SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo સધ યાને ધર્મનું સ્વરૂપ ચન્દ્રલેખાને વિધિ પરિપૂર્ણ રહેવા પામ્યું હતું. ચન્દ્રલેખાએ ગોભદ્રને કહ્યું કે અહો મહાશય ! હવે મારે તમને એટલું જ કહેવાનું છે કે જે વિદ્યાસિદ્ધ આ પ્રસ્તાવમાં મારી બેન બેનને ચંદ્રકાન્તાના બ્રહ્મચર્યને ભંગ કર્યો હતો નહિ, તે મારી, બેનને સ્વયંપ્રભા નામની મહાવિદ્યા સધાઈ જવા પામી હેત ! પરંતુ તમે મારા શીલનું ખંડન કર્યું નહિ એથી એ મહાવિદ્યાની જે વિધિ તે અદાપિ પરિપૂર્ણ વતે છે અને માત્ર સાત રાત્રિઓમાં તે મને મારા વાંછિતાર્થની સુંદર પ્રાપ્તિ થઈ જશે. ચન્દ્રલેખાએ બે હાથ જોડીને ગભદ્રને પ્રેમપૂર્વક એમ કહ્યું કે આપના પ્રત્યેની ભક્તિથી પરવશ બનેલું મારું મન આપને કાંઈક વિનંતિ કરવાને ઈચ્છી રહ્યું છે ત્યારે તરત જ ગભદ્ર એના ઉત્તરમાં તેને કહ્યું કે ભદ્ર ! શા માટે તુ આમ સંભને વહી રહી છે ! તારા મનમાં મને જે કાંઈ પણ કહેવાની ઈચ્છા હોય તે તું મને તારા મનમાં કશી જ શંકા રાખ્યા વિના કહે ! હવે તે ભદ્ર પણ સમજી ગયેલ છે કે આ કઈ અનુચિત વિનંતિ કરવાની જ નથી. ચંદ્રલેખાએ ગભદ્રને વિનંતિ સાથે કહ્યું કે હવે આપ અમારે આંગણે અવશ્ય પધારશો. હવે અત્યારે તે આ બને છૂટા પડવાની તૈયારીમાં છે. હવે રાત્રિના અંત ભાગમાં અરૂણોદય થએલે જોઈને વિદ્યાસિદ્ધ ગંભદ્રને બૂમ મારી અને કહ્યું કે, રાત્રિ ઘણા પ્રભાતવાળી થઈ ગઈ છે માટે તું તૈયાર થઈ જા એટલે આપણે ચાલવા માંડીએ. ગંભદ્રે તરત જ કહ્યું કે આ હુ તે તૈયાર જ છું. આટલી વાત થતાં ચન્દ્રલેખા પણ ગભદ્રની પાસેથી વિદાય માંગીને
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy