SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ બંડ : ૧ લે, ૧૬૯ નીકળી ગયું. ત્યારબાદ આણે આટલા કાળ સુધી કયાંક પણ પરિભ્રમણ કર્યા કર્યું. આ વખતે તે એવું બન્યું છે કે હું અને મારી બેન પણ દિવ્ય વિમાન ઊપર આરૂઢ થઈને શ્રીપર્વત તરફ જવાને માટે જેવી ઘરમાંથી નીકલી કે તરત જ બળ છે ઘણું જેને એવા આ ઇશાનચંદ્ર પિતાની આકૃષ્ટિ શક્તિ વડે કરીને અહીં આકય આણી, આમ અહિં આવી ગયા પછીથી તે આ જેમ કરવાનું કહે તેમ અમે કરીએ છીએ. સાચી વાત છે કે બળવાન એવા ચેરના બોજને કાંઠે વહેવું પડે છે ! ચન્દ્રલેખાના મુખેથી કહેવાએલી આટલી હકીકતને સાંભળીને ગંભદ્ર વિચારવા લાગે કે અહો રાક્ષસના પણ રાક્ષસે પ્રતિશત્રુઓ હોય છે ખરા–વાત એ છે કે ચન્દ્રલેખા તેની મોટી બેન ચંદ્રકાન્તાની સાથે દિવ્ય વિમાનમાં આરૂઢ થઈને શ્રી પર્વત પ્રત્યે જવાને જે નીકળી હતી તેનું કારણ એ હતું કે તેમને સ્વયં પ્રભા નામની મહાવિદ્યાને સાધવી હતી. એ મહા વિધાની સાધનાના વિધિને પણ તેમણે આરંભ કરી દીધો હતું. તેમાં બ્રહ્મચર્યનું પાલન આવશ્યક હતું અને હવે તે માત્ર સાત રાત્રિઓ સુધી જ બ્રહ્મચર્યને ભંગ થાય નહિ. તાએ મહાવિદ્યા સધાય તેમ હતું અને એ મહાવિદ્યા સધાયેથી આ લાકોને ચિતિત અર્થની પ્રાપ્તિ થઈ જતી હતી. વિદ્યાસિદ્ધપુરૂપે આજે ચંદ્રકાંતાના બ્રહ્મચર્યને ભંગ તે કરી દીધો હતો એટલે ચન્દ્રકાન્તાએ આરંભેલી સાધના તે ગઈ જ હતી પરંતુ ગોભદ્ર ચન્દ્રલેખાના બ્રહ્મચર્યને ભંગ કર્યો નહિ એટલા માત્રથી સ્વયંપ્રભા નામની મહાવિદ્યાને સાધવાને
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy