SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૧ લે ૧૩૭ પિતાના સભામંડપમાં સ્થાપન કરી અને તેના ઉપર પિતાને બેસવાનું જે સિંહાસન હતું તે સિંહાસન સ્થાપિત કર્યું. આ જાતની વ્યવસ્થાથી લેકમાં એવી જાતિને પ્રવાહ થયે કે રાજાના સત્યવાદિપણાથી રાજાનું સિંહાસન (અદ્ધર) આકાશમાં રહે છે. (બીજે એક ઠેકાણે લખ્યું છે કે કોઈ શિકારીએ ટિક રત્નની શિલા લાવીને રાજાને ભેટ આપી હતી અને એ શિલામાં સિંહાસન નીચે રાખવા માટે શિલ્પીઓ પાસે કતરાણી કરાવી હતી. અને એ શિલ્પીઓ કોઈને આ વાતને ભેદ ન લે એટલે એને વસુરાજાએ યમદ્વારે પહોંચાડી દીધેલા જેથી પ્રજાને એ શિલાના ભેદની સમજ ન પડે એ રીતે લખેલ પણ વાંચ્યું હતું. હવે જે હોય તે જ્ઞાની જાણે.). વસુરાજાની સત્યવાદિપણાની પ્રખ્યાતી દેશ વિદેશમાં ગવાવા લાગી કે સત્યવાદિપણાથી સિંહાસન આકાશમાં રહે છે. કોઈ એક વખત શ્રી નારદજી પર્વતકના ઘરે આવ્યા ત્યારે પર્વતકે અને પર્વતકની માતા એટલે ક્ષીરકદએક પાઠકની પત્નીએ સન્માન કર્યું અને શ્રી નારદજીને રોકાવાને આગ્રહ કર્યો. નેહને વશ થઈને શ્રી નારદજી પણ ત્યાંજ સુખપૂર્વક રહેવા લાગ્યાં. એક દિવસે પર્વતક “નૈદરામ્આ પ્રકારનાં વેદ વાક્યની વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યા કરી રહેલ છે. તે વખતે ત્યાં શ્રી નારદજી હાજર છે. વેદવાક્યની વ્યાખ્યા કરતાં પર્વતકે કહ્યું કે આજે દ્વારા એટલે બકરાઓ દ્વારા ક મ્ એટલે ત્યાગની ક્રિયા કરવા ગ્ય છે. પર્વતકે કરેલી આ વ્યાખ્યા છેટી હતી ત્યારે ત્યાંને ત્યાં જ શ્રી નારદજીએ કહ્યું કે હે ભાઈ ! એ વાક્યની આ પ્રમાણે વ્યાખ્યાન
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy