________________
૧૧૨
સબધ યાને ધર્મનું સ્વરૂપ જર્મનમાં હિટલર સત્તા ઉપર આવ્યા ત્યારે એણે આ કામ કર્યું -સરકારી નોકરીમાં જેટલી યુવાન સ્ત્રીઓ લાગી ગઈ હતી એ બધાને રાજીનામા અપાવી ઘેર બેસાડી દીધી, પરંતુ એમના દિલમાં આ ગૌરવ જગાડીને કે, તમે તે લોખંડી જર્મન પ્રજા પકવનારી છે. દુનિયામાં જે પ્રજાને જેટ ન મળે એવી શુરવીર જર્મન પ્રજાની તમે માતા થનારી તમારે આ નોકરી કરવાની હોય ? નેકરી કરે તે લેખંડી નહિ પણ નમાલી પ્રજા પકવશે. કેમકે અહિં ઓફિસમાં બેઠેલા તમને જોઈ જોઈને પુરૂષો નિ:સત્વ થઈ જવાના. તમારા મીઠા લાગતા દર્શન કરી-કરીને એમના વીર્ય-નિઃસત્વ વીર્યથી તમે પ્રજા કેવી પકવશે? નમાલી અને નિઃસત્વ જ ને ? માટે જાઓ લેખંડી જર્મન પ્રજા પકવી એની ગૌરવશાલી માતા થવા નેકરીમાંથી રાજીનામાં મૂકી દો. બસ. આ ગૌરવ બેનના હૈયે વસાવી દઈને એમને નોકરીમાંથી છૂટી કરી દીધી. આમાંથી મહાવીર પ્રભુની શ્રાવિકા બેનને સમજવા જેવું છે કે નહિ ? હુ મહાવીર ભગવાનની પ્રાવિકા ને જાતે જૈન કુળને સંસ્કાર લઈને પોતે પતિને તથા પુત્રોને શીલવંતા બનાવું જેથી બધાને જન્મારો સુધરી જાય. હિટલરે આ તત્ત્વ જોયું હતું માટે પરસ્ત્રીદર્શન ખોટું માની સ્ત્રીઓને નેકરીમાંથી ઘરે બેસાડી દિધેલી, હું તે. ભગવાનની શ્રાવિકા છું લેભાગુની ભક્તા નહિ.
સ્ત્રી એટલે પુરૂષ માટે વિજાતીય કહેવાય, તેથી એનું દર્શન ખોટું, માટે જ માબાપે સંતાનને ખોટું આલંબન ન બનવા સાવધાન રહી ગુણ સુવાસિત જીવન જીવવાનું છે.