________________
ખંડ : ૧ લે
આપણને પાડનાર આપણું દુરાચરણ છે અને આપણું સદાચરણ એજ આપણો તારક છે. અને સદાચરણી થવા માટે વરની કૃપાની રાહ જોવાની નથી. એની તે કૃપા છે જ, હરહમેશાં છે જ, અને આપણે સદાચરણ થઈએ કે સુખી થયા જ છીએ. સદાચરણી સાધના દરમ્યાન પૂર્વનાં દતના બળે દુઃખ, તકલીફ આવી પડે. પણ એ સનાતન સન્માર્ગમાં અડગ રહીયે તે ઉત્તરોત્તર વિકસિત થતા થતા આખરે પૂર્ણ ઉજજવળ બની સર્વ દુઃખમાંથી મુક્ત થઈ શકીએ. અને પૂર્ણ શાતિ પ્રાપ્ત કરી શકીએ.
દુનિયામાં દુષ્ટ અધમ માણસે દુષ્ટ અધમ કામ કરે એનું કારણ શું ? એમના ઉપર એની (ઈશ્વરની કૃપા નથી એ કારણ છે? નહિ જ. એની તે ઉપર કહ્યું તેમ બધા ઉપર ભલા અને સુખી બને એવી કૃપા છે જ.
ખરી વાત તે એ છે કે દુનિયાના મામલામાં એની કૃપા કે અપા જેવું કાંઈ જ નથી. એ તે સ્વમગ્ન છે. નિર્લેપ અને તટસ્થ છે. એના તરફ આપણે ભક્તિભાવ અને ભક્તિભાવ દ્વારા સદાચારિત્વની સાધના એને જ એની કૃપા સમજી જઈએ તે તાર્કિક બુદ્ધિ પણ વાંધો ઉઠાવી ન શકે. એ જીવન હિતને સંપૂર્ણ મુદ્દો એમાં આવી જાય. છે. સારું જે થાય છે તે પુણ્યથી અને બુરું તે પાપથી. એમ આર્ય સંસ્કૃતિના તત્વજ્ઞાનને પ્રચલિત સિદ્ધાંત છે. હવે સુખ સગવડ મેલે અથવા કાંઈ સારું બન્યું અથવા અનિષ્ટ અકસ્માતના સપાટામાંથી આપણે ઈષ્ટજન કે આપણે