________________
જ પ્રયોજન નથી. આમ છતાં એ શ્લોક હોવાથી, એની પૂર્વેના શ્લોકથી નિષેધ કરાયે છતે છપ્પનમા શ્લોથી વિધાન થઈ જાય છે. અને તેથી આ રીતે એક જ માંસભક્ષણમાં નિષેધ અને વિધિ બંન્નેનો અન્વય થવાથી વિરોધ સ્પષ્ટ છે. તેના પરિહાર માટે શાસ્ત્રબાહ્યમાં માંસભક્ષણનો નિષેધ અને શાસ્ત્રીય માંસભક્ષણમાં માંસભક્ષણનું વિધાન સમજી લેવું જોઈએ. આ રીતે વિધિવાક્યર્થનો અન્વયે વિધેય (શાસ્ત્રોક્ત માંસભક્ષણ)માં અને નિષેધવાદ્યાર્થનો અન્વય નિષેધ્ય (શાસ્ત્રબાહ્યમાંસભક્ષણ)માં સામાનાધિકરણ્યથી કરવાના તાત્પર્ય સ્વરૂપ વિશેષતાત્પર્યના કારણે દોષ નથી. અર્થાત માંસમક્ષ કોષો અહીં માંસભક્ષણસામાન્યમાં દોષાભાવનો જે બાધ થતો હતો તે થતો નથી. કારણ કે એ રીતે માંસભક્ષણસામાન્યમાં વિધિ કે નિષેધનું અહીં તાત્પર્ય નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ માંસભક્ષણવિશેષમાં તાત્પર્ય છે. *
આ પ્રમાણે વિશેષતાત્પર્ય માનવાના બદલે સામાન્યમાં જ તાત્પર્ય માનવામાં આવે તો ચોતિણોમેન સ્વવા નેત્ અહીં પણ સ્વર્ગાદિસામાન્યમાં જે યજ્ઞાદિની કાર્યતા મનાય છે તેનો બાધ થશે. કારણ કે જ્યોતિટોમયજ્ઞથી સ્વર્ગસામાન્યની પ્રાપ્તિ થવાની હોય તો; વવાનો યત્ આ વાક્યથી યજ્ઞસામાન્યને સ્વર્ગસામાન્યનું કારણ જણાવવાનું નિરર્થક બને અને તેથી યજ્ઞસામાન્ય સ્વર્ગસામાન્યનું કારણ નથી; એમ સમજવું પડે. તેથી સ્વર્ગસામાન્ય, યજ્ઞસામાન્યનું કાર્ય છે અને સ્વર્ગવિશેષ જ્યોતિeોમયજ્ઞનું કાર્ય છે-આ પ્રમાણે વિશેષતાત્પર્ય અહીં મનાય છે. વિશેષતાત્પર્યની વિવક્ષા કરવાની ન જ હોય તો અહીં ઉપર જણાવ્યા મુજબ બાધદોષ આવશે. " આથી સમજી શકાશે કે રૂā નનૈવ ટ્રોપોડઝ ન શાસ્ત્રાર્
A
is 28
1
1:15 ક
માઇઝડ