________________
बाह्यभक्षणम् । प्रतीत्यैष निषेधश्च न्याय्यो वाक्यान्तराद् गतेः ॥ અષ્ટક પ્રકરણ ૧૮-૪ો આ શ્લોકમાં ન ઈત્યાદિની વ્યાખ્યા પૂર્વપક્ષના અભિપ્રાયે જે કરી છે તે માન્ય રાખી છે. કહેવાનો આશય એ છે કે ન માંસમક્ષ રોષ... ઈત્યાદિ શ્લોકથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી-આ પ્રમાણે જણાવાયું છે અને માં જ મક્ષયિતા.. ઈત્યાદિ
શ્લોકથી માંસભક્ષકને જન્માન્તરમાં પોતે બીજાનું ભક્ષ્ય બને એવો જન્મ પ્રાપ્ત થાય છે-આ પ્રમાણે જણાવાયું છે. તેથી નનૈવ કોષોડત્ર... આ શ્લોકથી; એ વિરોધને જણાવતાં ફરમાવ્યું છે કેરીતે માંસભક્ષકને જન્માન્તરમાં બીજાના ભક્ષ્ય તરીકે થવાનો દોષ પ્રામ થવા છતાં માંસભક્ષણમાં દોષ નથી : એ કઈ રીતે કહ્યું? કારણ કે એવા જન્મની પ્રાપ્તિ; એ જ તો મોટો દોષ છે. બીજો કયો દોષ શોધવો પડે? અર્થાત્ બીજો કોઈ દોષ હોય કે ન પણ હોય તો ય માંસભક્ષણ કરનારને ભક્ષ્ય બનવાના જન્મની પ્રામિ થવી એ જ મોટો દોષ છે. આ પ્રમાણે સિદ્ધાન્તી (માંસને અભક્ષ્ય માનનારા) જણાવે છે.
આવી સ્થિતિમાં માંસભક્ષણમાં કોઈ પણ દોષ નથી-એમ માનનારા જણાવે છે કે માંસનું ભક્ષણ કરનારને ભવાંતરમાં બીજાના (જેનું માંસ ખાધું છે તેના) ભક્ષ્ય બનવા સ્વરૂપ દોષની પ્રામિ થતી નથી. કારણ કે એ દોષ શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે, પરંતુ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં એ દોષ નથી. માંસભક્ષણમાં (શાસ્ત્રવિહિત હોવાથી) જે દોષનો નિષેધ ક્યો છે તે બીજા વાક્યના કારણે સદ્ગત છે અર્થાત્ હવે પછી જણાવાતાં વાદ્યાન્તરના કારણે એ દોષનિષેધ સદ્ગત છે. અથવા જન્મ આ જ દોષ છે. પરંતુ સર્વસામાન્ય ન માંસમક્ષ કોષો... ઈત્યાદિ શ્લોકથી દોષનો જે નિષેધ કરાય છે તે શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રબાહ્યભક્ષણ