________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ટીકાર્થ : અહીં નિરુપમ* શબ્દ મૂળ શ્લોકમાં જણાવેલ નથી તે અહીં અધ્યાહારથી ગ્રહણ કરવો એટલે કે નિરુપમક્રમ મરણ ઉપસ્થિત થયે છતે જિનધર્મને છોડીને કોઈ શરણ થતું નથી. પણ સોપક્રમ મરણ આવે ત્યારે વિભવ સ્વજન વગેરે પણ શરણ થાય છે. જિનધર્મ પણ અનંતર ભાવથી** કે પરંપરાથી મૃત્યુથી રહિત (મોક્ષ) સ્થાનમાં આત્માને લઈ જાય છે એટલા માત્રથી શ૨ણ કહેવાય છે.
તે જ ભવમાં તરત જિનધર્મ પણ મૃત્યુને નિવારણ ક૨વા શક્તિમાન થતું નથી. આથી જ તેને કહે છે કેसयलतियलोयपहुणो उवायविहिजाणगा अनंतबला । तित्रा वि हु कीति कित्तिसेसा कयंतेण ॥। ४४ ।। सकलत्रिलोकप्रभव उपायविधिज्ञायका अनन्तबलाः । तीर्थकरा अपि खलु क्रियन्ते कीर्तिशेषाः कृतान्तेन ।। ४४ ।।
ગાથાર્થ : સકળ ત્રણ લોકના સ્વામી ઉપાય અને વિધિને જાણનારા અનંત બળવાળા તીર્થંકરો પણ યમરાજવડે કીર્તિશેષ કરાય છે. (૪૪)
૧૫
उत्कृष्टो हि धर्मस्तीर्थकराणां, परं सोऽपि तद्भव एव न मृत्युं निवारयितुमलं, उपायांश्च संभविनः सर्वानपि केवली जानाति, प्ररं समुत्पन्नकेवलैस्तीर्थकरैरपि स कोऽप्युपायो न दृष्टो येन मृत्युः सद्य एव निवार्यते, एवमनन्तबलादिविशेषणानामपि सफलताऽभ्यूह्या ।। अथ शान्तास्तीर्थकरा इति प्रभवत्येषां मृत्युः, ये तु शक्रचक्रवर्तिवासुदेवा रौद्रास्तेषामसौ न प्रभविष्यतीत्याशङ्कयाऽऽह
ટીકાર્થ : તીર્થંકરોને ધર્મ ઉત્કૃષ્ટ હોય છે. પરંતુ તે પણ તે જ ભવમાં મૃત્યુને નિવારવા સમર્થ થતા નથી અને કેવળી ભગવંતો સંભવિત સર્વ ઉપાયોને પણ જાણે છે. છતાં ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન જેને એવા તીર્થંકરોવડે પણ એવો કોઈ ઉપાય જોવાયો નથી કે જેનાથી મૃત્યુ તુરત જ નિવારી શકાય. અનંતબળાદિ વિશેષણ જેને અપાયું છે એવા તીર્થંકરોની પણ સફળતા આ પ્રમાણે સમજવી. અર્થાત્ તેઓ પણ એ ભવમાં મૃત્યુને વારી શકતા નથી.
હવે તીર્થંકરો ઉપશાંત થયેલા છે તેથી તેઓ પર આ મૃત્યુ અસરકારક થાય તે બરાબર છે પણ જે ઇન્દ્ર, ચક્રવર્તી-વાસુદેવ રૌદ્ર છે તેઓને વિશે આ મૃત્યુ કેવી રીતે અસ૨કા૨ક થાય એવી શંકા કરીને કહે છે કેबहुसत्तिजुओ सुरकोडिपरिवुडो पविपयंडभुयदंडो ।
हरिणो व्व हीरइ हरी कयंतहरिणाऽहरियसत्तो ।। ४५ ।।
**
बहुशक्तियुक्तः सुरकोटिपरिवृतः पविप्रचण्डभुजदण्डः ।। हरिण इव ह्रियते हरिः कृतान्तहरिणाऽधरितसत्त्वः ।।४५ ।।
નિરુપમમરા ગમે તેટલા ઉપચારો કરવામાં આવે છતાં મરણની ઘટતી સ્થિતિના વેગને અટકાવી શકાય નહીં તેવું મરણ નિરુપક્રમ છે જ્યારે સોપક્રમ મરણમાં ઉપચારોથી ઝડપથી ભોગવાતા આયુષ્યના દળીયાઓ ક્રમથી ભોગવાતી સ્થિતિવાળા કરીને પૂર્ણ આયુષ્યની સ્થિતિ જાળવી શકાય છે બંને પ્રકારના મરણોમાં આયુષ્ય કર્મના દળીયાની મૂળ સ્થિતિમાં કશો ફેરફાર કરી શકાતો નથી. અર્થાત્ કર્મના દળીયા એટલા જ ભોગવાય છે.
અનંતરભાવ એટલે તે ભવ પૂરો થયા પછી તરત (લગોલગ)