SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવના પ્રકરણ ભાગ – ૨ ઉત્તર : ના, શક્ય નથી. કેમકે ઠંડીમાં ઘણાં તિર્યંચો મરેલા દેખાય છે, વર્ષાકાળમાં અસંખ્યાતા તિર્યંચો જળપ્રવાહમાં તણાઈને મરે છે. આના ઉપલક્ષણથી ઉનાળાની ગરમીમાં ઘણાં તિર્યંચો મરે છે આથી તે બધા તિર્યંચોના દુઃખનું વર્ણન કરવું શક્ય નથી તો પણ તિર્યંચોના સામાન્ય દુઃખોનું વર્ણન ઉપરની ગાથાઓમાં કર્યું છે. પ્રશ્ન ઃ કયા કારણોથી જીવો તિર્યંચનું આયુષ્ય બાંધે છે ? ઉત્તર : આનો જવાબ ઉપર ૨૪૮-૨૪૯ એ બે ગાથામાં આપેલ છે. શ્રાવસ્તી વણિક કથાનક શ્રાવસ્તી નામની નગરી છે જેની અંદરના ભાગમાં જિનશ્વરના ભવનો છે અને બહાર વિચિત્ર પ્રકારના શ્વાપદોના સમૂહથી યુક્ત જંગલો છે. અને તે નગરીમાં સોમ, વરુણ અને મહેશ્વર નામના ત્રણ વણિકોના પુત્રો છે જે ૫૨સ્પ૨ મૈત્રીથી બંધાયેલા હંમેશા પણ સાથે જ રહે છે. હવે કોઈક વખત કુટુંબનું નિર્વાહ નહીં થવાથી ત્રણેય પણ સાથે જ દ્રવ્ય ઉપાર્જન ક૨વા માટે બીજા દેશમાં જાય છે. (૩) અને તે દેશમાં દુકાનમાં વ્યાપાર કરે છે અને ત્રણેય પણ મહામાયાવી મુગ્ધલોકને કૂટ-ક્રય અને કૂટ-માનથી ઠગે છે. મોટા આર્ત્તધ્યાનથી ઘણાં કાળ પછી તેઓએ કોઈપણ રીતે પાંચ લાખ દ્રવ્યોનું ઉપાર્જન કર્યું. પાંચ રત્નોને ખરીદીને તેઓ સ્વદેશમાં પાછા ફર્યા, જેટલામાં પરસ્પર એક બીજાને ઠગીને રત્નો પડાવી લેવા ઇચ્છે છે તેટલામાં તે સર્વે પણ પોતાની નગરીની નજીક પહોંચે છે. પછી બહાર ઉદ્યાનમાં આંબાની વૃક્ષની નીચે તે રત્નોને દાટી પોતપોતાના ઘરે તપાસ ક૨વાને માટે જાય છે અને તે પ્રદેશમાં તરુલતામાં છૂપાઈને રહેલા કોઈક પુરુષે રત્નોને દાટતા જોયા. પછી તેઓ દાટીને ગયા ત્યારે તેના અનુરૂપ બીજા પાંચ પથ્થરોને દાટીને રત્નોને લઈ ગયો. પછી રાત્રીમાં તે વણિકપુત્રોમાંથી સોમ ત્યાં આવીને તેને અનુરૂપ પાંચ પથ્થરના ટુકડાઓ મૂકીને આગળના પાંચ પથ્થર ઘરે લઈ ગયો. પછી વરુણે પણ આવીને સોમની જેમ કર્યું અને પછી મહેશ્વરે પણ આવીને વરુણની જેમ કર્યું. પછી પ્રભાતે જેટલામાં પથ્થરોને જુવે છે ત્યારે ફરી પાછા ત્રણેય ભેગા થઈને વિલખા થયેલા તે ઉદ્યાનમાં ગયા અને ખોદીને જેટલામાં જુવે છે તો પથ્થરા નીકળ્યા. (૧૩) પછી તેમાંનો એક કહે છે કે આ શું ? બીજો પણ એ જ પ્રમાણે કહે છે કે આ શું ? ત્રીજો પણ એમ જ કહે છે. પછી ત્રણેય જણા પરસ્પર ઝગડે છે અને આર્દ્રધ્યાનમાં ડૂબેલા રત્નોનું જ ધ્યાન કરતા તિર્યંચ આયુષ્ય બાંધીને ગધેડાપણે ઉત્પન્ન થયા. ત્યાં દુ:ખ અનુભવીને, મરીને, એકેન્દ્રિયમાં જઈને અનંતકાળ સુધી રહે છે. બે ઇન્દ્રિય વગેરેમાં સંખ્યાતા કાળસુધી રહે છે. (૧૬) શ્રાવસ્તી વણિક કથાનક સમાપ્ત થયું. • तदेवं तिर्यग्गतिस्वरूपमभिधाय मनुष्यगतिप्रस्तावनामाह એ પ્રમાણે તિર્યંચગતિના સ્વરૂપને જણાવીને હવે મનુષ્યગતિની પ્રસ્તાવના કરતા કહે છે कालमणतं एगिदिएसु संखेज्जयं पुणियरेसु । काऊण केइ मणुया होंति अतो तेण ते भणिम ।। २५० ।। - ૧૪૩ कालमनन्तमेकेन्द्रियेषु असंख्यं नरकेषु तु कृत्वा केचित् मनुष्याः भवन्ति तेन तान् भणामि ( तिर्यग्गतिः) ।। २५० ॥
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy