SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ : : ચાલાકી यत्तु ज्ञानात्मना सर्वगतत्वे सिद्धसाधनं प्रागुक्तं तच्छक्तिमात्रमपेक्ष्य मन्तव्यम्। तथा च वक्तारो भवन्ति “अस्य मतिः ।। सर्वशास्त्रेषु प्रसरति" इति। न च ज्ञानं प्राप्यकारि; तस्यात्मधर्मत्वेन बहिर्निर्गमाभावाद्। बहिर्निर्गमे चात्मनोऽचैतन्यापत्त्याऽजीवत्वप्रसङ्गः। न हि धर्मो धर्मिणमतिरिच्य क्वचन केवलो विलोकितः। यच्च परे दृष्टान्तयन्ति यथा सूर्यस्य किरणा गुणरूपा अपि सूर्याद् निष्क्रम्य भुवनं भासयन्ति। एवं ज्ञानमपि आत्मनः सकाशाद् बहिर्निर्गत्य प्रमेयं । परिच्छिनत्ति इति। तत्रेदमुत्तरम्। किरणानां गुणत्वमसिद्धं, तेषां तैजसपुद्गलमयत्वेन द्रव्यत्वात्। यश्च तेषां प्रकाशात्मा गुणः स तेभ्यो न जातु पृथग् भवतीति। तथा च धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्राचार्यपादाःવલ્લભ એવા પુત્ર-પત્નીનો પણ ત્યાગ કરે અને નિર્જન વનમાં રહેઠાણ રાખે, તેનાં જેવી આ મૂર્ખ કલ્પના ઈશ્વરની સર્વવ્યાપિતાનું ખંડન - આ જ પ્રમાણે ઇશ્વર સર્વવ્યાપી છે એ વાત પણ દુર્ઘટ છે. ઇશ્વર સર્વવ્યાપી શી રીતે છે? (૧) શરીર દ્વારા વિશ્વવ્યાપી છે કે (૨)જ્ઞાન દ્વારા (૧) “ઇશ્વર શરીર દ્વારા વિશ્વવ્યાપી છે એ વિકલ્પ પૂરા પાસ્ત છે. કેમ કે જો ઇશ્વર પોતાના શરીર દ્વારા સર્વ જગતમાં ફેલાઈ જશે, તો પછી નિર્માણયોગ્ય બીજા પદાર્થોનું આશ્રયસ્થાન શું રહેશે? કેમકે બધી જ જગ્યા પહેલેથી જ ઇશ્વરે રોકી લીધી છે. તે જ્ઞાનરૂપે ઈશ્વરની સર્વગતા પૂર્વપક્ષ:- ઇશ્વર જ્ઞાન દ્વારા સર્વવ્યાપી છે. અર્થાત ઈશ્વરનું જ્ઞાન ત્રણે જગતની બધી વસ્તુ વિષયક છે. અને તે રૂપે ઈશ્વર પણ સર્વવ્યાપી છે. ઉત્તરપક્ષ :- દીર્ધાયુ થા! આ સિદ્ધાંત તો અમને પણ માન્ય જ છે. તેથી તે રૂપે ઇશ્વરને સર્વવ્યાપી માનવો એ ઉભયવાદી સિદ્ધ જ છે. તેથી અહીં તો સિદ્ધને જ સાધ્ય કરાતું હેવાથી સિદ્ધસાધ્યતા દોષ છે. અમે પણ નિરતિશયજ્ઞાન સર્વવિષયક જ્ઞાનરૂપે ભગવાન ત્રણલોક વ્યાપી છે એમ સ્વીકારીએ છીએ જ. પરંતુ તમે આ સ્વીકારશો તો અમારા મતમાં ભળી જશો. અને તમને પ્રમાણ તરીકે ઈષ્ટ એવા વેદની સાથે વિરોધ આવશે. કેમ કે વેદમાં શરીર દ્વારા જ ઇશ્વરને સર્વવ્યાપી માન્યો છે. – “ઈશ્વર સર્વત્ર નયન-મુખ હાથ અને પગને ધારણ કરે છે વગેરે તમારા વેદનાં વચનો છે. તેનાથી ઇશ્વર સશરીર સિદ્ધ થાય છે. ઈશ્વરની અસર્વવ્યાપિતાનું સમર્થન વળી “ઈશ્વર જો પ્રતિનિયત દેશવર્તી હોય, તો તે અનિયતદેશમાં સ્થિત ત્રણ જગતનાં પદાર્થોનું યથાવત છે નિર્માણ ન કરી શકે ઈત્યાદિ તમે જે નિરુપણ કર્યું; તે પણ સંગત નથી. અમે તમને પૂછીએ છીએ, જગવિધાતા જગતનું નિર્માણ સુથારાદિની જેમ સાક્ષાત્ દેહ વ્યાપાર દ્વારા કરે છે? કે માત્ર પોતાનાં સંકલ્પબળથી? જો દેહ વ્યાપાર દ્વારા નિર્માણ કરે છે, એમ પ્રથમ પક્ષ માન્ય રાખશો તો તો બિચારા ઇશ્વર છું પર કામનો બોજો એટલો બધો આવશે કે, તે બધા કાર્યો પૂરા જ કરી શકશે નહિં. કેમ કે પૃથ્વીપર્વત વગેરેની રચનારૂપ કાર્યો એવા જંગી છે કે, એક કાર્યને પૂર્ણ કરતાં જ ઘણો સમય ચાલ્યો જાય. સુથાર દેહવ્યાપારથી હું કાર્ય કરે છે તો જેમ કાર્ય મોટું તેમ તેની પૂર્તિમાં તેને ઘણો સમય લાગે છે. એમ ભગવાન પણ દેહવ્યાપારથી દૂર કાર્ય કરશે તો ઘણા સમયે એક કાર્ય કરી શકશે. આમ કાલક્ષેપ ઘણો થતો હોવાથી જગત્કર્તા સ્વકાર્યને ઘણા HD સમયે પણ પૂર્ણ કરી શકશે નહિ. - : - / કાવ્ય -૬ [ી ડી
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy