SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ dif किञ्च तस्य सर्वगतत्वेऽङ्गीक्रियमाणेऽशुचिषु निरंतरसन्तमसेषु नरकादिस्थानेष्वपि तस्य वृत्तिः प्रसज्यते।। तथाचानिष्ठापत्तिः। अथ युष्मत्पक्षेऽपि यदा ज्ञानात्मना सर्वं जगत्त्रयं व्याप्नोति इति उच्यते तदाऽशुचिरसारवादादीनामपि । उपलम्भसंभवात् नरकादिदुःखस्वरूपसंवेदनात्मकतया दुःखानुभवप्रसङ्गाच्यानिष्टापत्तिः तुल्यैव इति चेत् ? तदेतदुपपत्तिभिः प्रतिकर्तुशक्तस्य धूलिभिरिवावकिरणम्। यतो ज्ञानमप्राप्यकारि स्वस्थानस्थमेव विषयं परिच्छिनत्ति, न पुनस्तत्र गत्वा। तत्कुतो भवदुपालम्भः समीचीनः ? नहि भवतोऽपि अशुचिज्ञानमात्रेण तद्रसारवादानुभूतिः। तद् भावे हि सक्चन्दनाङ्गनारसवत्यादिचिन्तनमात्रेणैव तृप्तिसिद्धौ तत्प्राप्तिप्रयत्नवैफल्यप्रसक्तिरिति । સિદ્ધ હોય, તે પક્ષમાં સાધ્યને સિદ્ધ કરવા અપાતો હેતુ “બાધા દોષગ્રસ્ત બને.)આમ પૂર્વપક્ષના અનુમાનનો હેતુ અનેક દોષોથી ભરેલો હોવાથી સાધ્યને સિદ્ધ કરવા સમર્થ નથી, અને સાધ્યની સિદ્ધિના અભાવમાં જગત્કર્તા તરીકે ઇશ્વર સિદ્ધ થતો નથી. આમ ઈશ્વરની અસિદ્ધિ થવાથી તે ઈશ્વર માટે “એકત્વ' “નિત્ય વગેરે જે વિશેષણે લગાડવામાં આવ્યા છે તે વિશેષણો નપુંસક આગળ સુંદરીના રૂપના વખાણની જેમ અથવા મડદાના શણગારની જેમ નિષ્ફળ છે. છતાં પણ આ પ્રત્યેક વિશેષણો તર્કરૂપી સ્તંભ વિનાના ઇમારત જેવા છે તેમ દર્શાવાય છે. ઈશ્વરનાં એકત્વનો નિરાસ" હવે ઇશ્વરનાં એકપણાનો પરામર્શ કરે છે. પૂર્વપક્ષમાં અનેક ઈશ્વર માનવામાં પરસ્પર વિમતિ થવાથી કાર્યમાં અસમંજસતા આવે તેથી ઇશ્વર એક માનવો ઉચિત છે” વગેરે કહ્યું તે વાહિયાત છે. કેમ કે ઘણી વ્યક્તિ ભેગી થઈ એક કાર્ય કરે તો પરસ્પર વિમતિ જ થાય એવો એકાંત નથી. કેમકે ઘણે સ્થળે સમુદાય દ્વારા એક કાર્ય થતું દેખાય છે. જેમ કે સેંકડો કીડીઓ ભેગી થઈને એક રાફડો બનાવે છે. ઘણા શિલ્પીઓ ભેગા મળીને સુંદર ઇમારત ખડી કરે છે. ઘણી મધમાખીઓ એકસંપ રાખીને મજાનો મધપૂડો તૈયાર કરે છે. આવા અલ્પજ્ઞ અને રાગાદિથી ભરેલા જીવો જો એકસંપ રાખી શકે, તે સર્વજ્ઞ ઇશ્વરસમુદાય શું કામ સંપીને રહી ન શકે? શું ઈશ્વર ઈર્ષ્યાલ છે? કલહખોર છે? વળી આ બધા ઈશ્વરો સર્વજ્ઞ હેવાથી સમાન જ્ઞાનવાળા છે. કેમ કે તેઓનું જ્ઞાન ભિન્ન હોય, તો તેઓમાં સર્વજ્ઞતા જ ન સંભવે. તેથી સર્વજ્ઞ ઇશ્વરોના જ્ઞાનમાં વૈમત્ય સંભવતું નથી. વળી તે ઈશ્વરો પોત-પોતાના જ્ઞાન દ્વારા બીજાનાં જ્ઞાનાદિને સમજીને વૈમત્યને દૂર કરી શકે અને અસમંજસતા દૂર કરી શકે. પૂર્વપક્ષ :- અનેક દ્વારા એક કાર્ય કરવામાં વૈમત્યનો સંભવ હોય જ. તમે જે દષ્ટાંતો આપ્યા છે ત્યાં તો એ બધા કીડી વગેરે નિમિત્તમાત્ર છે. ખરેખર કર્તા તો એક ઈશ્વર જ છે. ઉત્તરપલ :- ધન્ય છે તમારી ઈશ્વર પ્રત્યેની નિરુપમ શ્રદ્ધાન! જો આ બધા સ્થાનોમાં ઈશ્વર જ કર્તા છે તો પછી વણકર-કુંભારાદિને પણ કર્તા તરીકે માનશો નહિ. લાધવથી અત્ર તત્ર સર્વત્ર કાર્ય પ્રત્યે ઇશ્વર જ કર્યા છે તેમ માનો. પૂર્વપક્ષ:- ઘટ-પટાદિ પ્રત્યે કુંભારાદિ કર્તાતરીકે પ્રત્યક્ષદષ્ટ છે. અને પ્રત્યક્ષને છૂપાવવું અશક્ય છે. આ ઉત્તરપલ :- તો કીડી વગેરેએ તમને ડંખ દીધા લાગે છે કે જેથી કર્તા તરીકે પ્રત્યક્ષસિદ્ધ તેઓને તમે કર્તા તરીકે માનતા નથી. તેઓ બીજાથી અસાધારણ એવા પ્રયાસ દ્વારા આ કાર્યોનું નિર્માણ કરે છે તેની તમે શું કદર કરવાને બદલે બસ એક જ ધડાકે તેઓનાં નિર્માતાપણાને ઊડાડી મૂકો છો. ખરેખર તેથી વૈમત્યનાં ભયથી તમે ઈશ્વરને એક કહ્યો છે એ હાસ્યાસ્પદ છે. ભોજનવગેરેનાં વ્યયની ચિંતાથી કૃપણ માણસ પોતાને અત્યંત ઈશ્વરના એક્વનો નિરાસ ' '''' , , : its:
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy