SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ( ii . . . . ક્યાકુટમંજરી જે તા. 2 : __ पृथिव्यादीनां पुनर्जीवत्वमित्थं साधनीयम् । यथा सात्मिका विद्रुमशिलादिरूपा पृथिवी, छेदे समानधातूत्थानाद, अर्थोऽड्कुरवत् । भौममम्भोऽपि सात्मकम्, क्षतभूतसजातीयस्य स्वभावस्य सम्भवात्, शालूरवत् । आन्तरिक्षमपि सात्मकम्, अभ्रादिविकारे स्वतः सम्भूय पातात्, मत्स्यादिवत् । तेजोऽपि सात्मकम्, आहारोपादानेन वृद्ध्यादि विकारोपलम्भात्, पुरुषाङ्गवत् । वायुरपि सात्मकः, अपरप्रेरितत्वे तिर्यगतिमत्वाद् गोवत् । वनस्पतिरपि सात्मकः, छेदादिभिर्लान्यादिदर्शनात्, पुरुषाङ्गवत् । केषाञ्चित् स्वापाङ्गनोपश्लेषादिविकाराच्च । अपकर्षतश्चैतन्याद् वा सर्वेषां । सात्मकत्वसिद्धिः। आप्तवचनाच्च । त्रसेषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिषु न केषाञ्चित् सात्मकत्वे विगानमिति ॥ જ પ્રમાણે “આકાશનું પાણી પણ સજીવ છે. કેમકે વાદળાવગેરેના વિકાર થવાથી સ્વયં ઉત્પન્ન થઈને પડે છે, જેમકે માછળ્યો.' (આકાશમાં તેવા પ્રકારના વિકાર થવાથી ત્યાં માછલો ઉત્પન્ન થાય છે, અને પૃથ્વી પર પડે છે. જો માછલી સજીવન ધ્યેય, તો ઉત્પન્ન જ થઇ શકે નહિ. તેમ વાદળામાં ઉત્પન્ન થતું અને પડતું પાણી સજીવન તો તેની ઉત્પત્તિ સંભવી શકે નહિ.) (૩) અગ્નિ પણ સજીવ છે કેમકે આહાર ગ્રહણ કરવાથી વૃદ્ધિ પામતું દેખાય છે. જેમકે મનુષ્યનું શરીર. તાત્પર્ય :- ઇંધણવગેરે અગ્નિનો આહર છે. જેમ જેમ ઈધણ વધુ મળે છે તેમ તેમ અગ્નિ વધુ પ્રજવલિત થતો દેખાય છે. “આહાર મળતા વૃદ્ધિ પામવું' એ જીવથી અધિષ્ઠિત વસ્તુનું લક્ષણ છે, અજીવનું નહિ. તેથી અગ્નિ પણ સજીવ છે.) (૪) “વાય પણ સજીવ છે કારણ કે બીજાથી પ્રેરિત થયેલો તે તીરછું ગમન કરે છે, જેમકે ગાય.' તાત્પર્ય :- બારણાવગેરે વાયુની ગતિમાં રોધ કરે, તો વાયુ વાંકો ફંટાય છે, અને જે બાજુ બારી ખુલ્લી હેય, તે તરફ ગમન કરે છે. ઇત્યાદિકિયા વાયુ સજીવ હોય તો જ સંભવે. અજીવની આવી પ્રવૃત્તિ કરવાની ત્રેવડનથી.) (૫) વનસ્પતિ પણ સજીવ છે, કેમકે છેદવગેરે કરવામાં આવે તો સ્વાનવગેરે થતી દેખાય છે. જેમકે પુરુષનું શરીર.... (અજીવલાક વગેરેને કાપવામાં આવે, તો પણ કોઈ વિકાર દેખાતો નથી. જયારે લીલી વનસ્પતિમાં પ્લાનિવગેરે વિકારો સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે.) તથા કેટલીક વનસ્પતિમાં ઊંધ, સ્ત્રીના આલિંગનથી વિકાર, વગેરે જીવાધિષિત દેહના લક્ષણો સ્પષ્ટ ઉપલબ્ધ છે થાય છે. ચૈતન્યનાઅપકર્ષદ્વારા પણ સર્વમાં ચૈતન્યની સિદ્ધિ થાય છે. આપણામાં ચૈતન્યનું ઓછાવત્તાપણું (જ્ઞાનનો છું અ૫અધિકવિકાસ) દેખાય છે, તેથી ચૈતન્યનો તરતમભાવ સિદ્ધ થાય છે. ઇન્દ્રિયના અપકર્ષની સાથે ચૈતન્યનો અપકર્ષ દેખાય છે, તથા સમાન ઇન્દ્રિયવાળામાં પણ ચૈતન્યની અસમાનતા દેખાય છે, આ ચૈતન્ય પંચેન્દ્રિય કરતા ચઉરિદ્રિયમાં, તેનાં કરતા ઈન્દ્રિયમાં અને તેના કરતા બેઇન્દ્રિયમાં અલ્પ. અલ્પતર, અલ્પતમ દેખાય છે. તેથી અપકુટચૈતન્યવાળું પણ કોઇક લેવું જોઇએ. આમ તેવા અપકુટચૈતન્યવાળા તરીકે એકેન્દ્રિયની સિદ્ધિ થાય છે. આમ અનુમાનથી તેઓ સજીવ સિદ્ધ થાય છે. ભગવાને કહ્યું કે લેવાથી પૃથ્વી વગેરેમાં જીવત્વ છે જ, એમાં બેમત નથી, પરંતુ ઉપરોક્ત કેટલીક દલીલો આજના કાળે બુદ્ધિજીવી કદાચ ન પણ સ્વીકારે, જો કેટલાક વૈજ્ઞાનિકપયોગો વગેરે તરફ ધ્યાન આપવામાં આવે, તો આ બધામાં વૈજ્ઞાનિક તર્ક-પ્રયોગથી જીવતસિદ્ધ થઇ શકે છે, તેથી તે તરફ ખાસ ધ્યાન આપવા જેવું છે.) તથૈવ, આપ્તવચનરૂપઆગમથી પણ તેઓ સજીવ સિદ્ધ થાય છે. ત્રસમાં કૃમિ વગેરે બેઈન્દ્રિય, કીડીવગેરે તેઇન્દ્રિય, ભમરાવગેરે ચઇરિન્દ્રિય, અને મનુષ્યવગેરે પંચેન્દ્રિયજીવો સજીવ છે. એમાં કોઈને વિરોધ નથી. શિ ભગવાને જીવો અનંતા કહ્યા તે બરાબર છે–નેમ દર્શાવે છે. છ જવનિકાયમાં ત્રસજીવો સૌથી થોડ, તેમના કરતાં અગ્નિના જીવો સંખ્યાતગુણા, તેમના કરતાં પૃથ્વીકાયજીવો વિશેષાધિક (બમણા કરતા ઓછા) તેમના કરતાં અપકાયજીવો વિશેષાધિકા તેમના કરતા વાયુકાય વિશેષાધિક, અને તેમના કરતાં વનસ્પતિકાયજીવો $ અનંતગુણ છે. નિદની સદા અરિક્તતા આ વનસ્પતિજીવો બે પ્રકારના છે. (૧) વ્યવહરરાશિના અને (૨)અવ્યવહારરાશિના. વ્યવહારરાશિના ફી પણ બે ભેદ છે, (૧)પ્રત્યેક અને (૨)સાધારણ. સાધારણ વનસ્પતિકાય નિગોદ તરીકે ઓળખાય છે. આ શા .. 8 નિગોદની સદા અરિક્તતા જિ. : 0319
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy