SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ : શિબિર શરીર માઠમંજરી રાજા દિદિકરી ___ अपि च बौद्धाः "निखिलवासनोच्छेदे विगतविषयाकारोपप्लवविशुद्धज्ञानोत्पादो मोक्षः” इत्याहुः । तच्च न घटते ।। । कारणाभावादेव तदनुपपत्तेः । भावनाप्रचो हि तस्य कारणमिष्यते । स च स्थिरैकाश्रयाभावाद् विशेषानाधायकः, it प्रतिक्षणमपूर्ववद् उपजायमानः, निरन्वयविनाशी, गगनलङ्घनाभ्यासवत् अनासादितप्रकर्षो न स्फुटाभिज्ञानजननाय प्रभवति, इत्यनुपपत्तिरेव तस्य । समलचित्तक्षणानां स्वाभाविक्याः सदृशारम्भणशक्तेरसदृशारम्भम् प्रत्यशक्तेश्च अकस्मादनुच्छेदात् । किंच, समलचित्तक्षणाः पूर्व स्वरसपरिनिर्वाणाः, अयमपूर्वो जातः सन्तानश्चैको न विद्यते, . बन्धमोक्षौ चैकाधिकरणौ न विषयभेदेन वर्तेते । ततः कस्येयं मुक्तिर्य एतदर्थं प्रयतते । अयं हि मोक्षशब्दो बन्धनविच्छेदपर्यायः । मोक्षश्च तस्यैव घटते यो बद्धः । क्षणक्षयवादे त्वन्यः क्षणो बद्धः क्षणान्तरस्य च मुक्तिरिति | प्राप्नोति मोक्षाभावः ॥ દેખાતી હોવાથી સમળચિત્તક્ષણોમાં સદેશારંભણ (= સમળઉત્તરચિતક્ષણ) શકિત જ સ્વાભાવિક માનશો, તો ચરમસમળ -ચિત્તક્ષણની તેવી શકિતનો અને અસદેશક્ષણારંભની અશકિતનો ઉચ્છેદ કેવી રીતે સિદ્ધ કરશો? અર્થાત તે સંભવશે નહીં.) તથા જેમ અમલચિત્તસંતાન એ મોક્ષ છે, તેમ સમાચિનક્ષણો બંધરૂપ છે, એમ આવશે, પણ આ સમળ છે ચિત્તક્ષણ પૂર્વે સ્વત: જ નિર્વાણ પામી જાય છે. કેમકે તેઓ નિરન્વયનાશ પામે છે, તથા સમળચિત્તસંતાન છે અને અમળચિત્તસંતાન આ બન્ને ભિન્ન છે. કેમકે જયારે સમળચિત્તસંતાન નાશ પામે છે ત્યારે અમળ ચિત્તસંતાન પ્રાદુર્ભાવ પામે છે. તેથી બંધ સમળચિત્તલણોનો, અને મોક્ષ અપૂર્વ પ્રાદુર્ભાવ પામેલા શું અમળચિત્તસંતાનનો. આમ બંધ અન્યનો થશે અને મોક્ષ અન્યનો થશે તેથી એકાધિકરણ બંધ-મોક્ષ નહિ , આવે. જયારે બંધ અને મોક્ષ એકાધિકરણ જ સર્વને ઈષ્ટ છે. શંકા :- “બંધ એકનો અને મોક્ષ અન્યનો એમ બંધ-મોક્ષને ભિન્નાધિકરણ સ્વીકારવામાં શો દોષ સમાધાન :- મોક્ષમાટે પ્રયત્ન કરનાર મુકન થાય, મુક્ત થવું બંધનથી છૂટકારો પામવો. હવે પોતે બંધાયેલો ન હૈય, તો શી રીતે તેમાંથી છૂટવા-મુક્ત થવા પ્રયત્ન કરે? “મોક્ષ' શબ્દ “બંધ' શબ્દને સાપેક્ષ છે. બંધાયેલો શ્રેય, તેજ મુક્ત થાય. આમ બંધ અને મોક્ષ એકાધિકરણ જ સંભવે. ભિન્નાધિકરણ ઇષ્ટ નથી. જમે જગલો ને માર ખાય ભગલો નીતિ પ્રમાણિકજન સંમત નથી. વળી દરેક ક્ષણો માત્ર ક્ષણભર જ જીવી શકે છે. એક ક્ષણ પછી તેઓ આ જગતમાંથી સર્વથા નષ્ટ થઈ જવાના છે. આવા ક્ષણભંગુર આયુષ્યવાળા ચિત્તલણો કે પરનાં મોક્ષ માટે પ્રયત્ન કરે એ અસંગત છે. કેમકે જે ક્ષણે તેઓ ઉત્પન્ન થાય છે, તે ક્ષણે તેઓ માત્ર ઉત્પત્તિમાં વ્યત્ર છે, અને બીજી ક્ષણે તો નષ્ટ થઈ જશે. તો કયારે તેઓ પોતાની કે બીજાની બંધઅવસ્થાનો વિચાર કરશે? તથા કયારે બીજા પ્રત્યે કરૂણાભાવથી ભાવનાઓને ભાવશે? એકક્ષણમાં એ કેટલા કાર્યો કરશે? તથા તે દરેક કાર્યોની સૂચના અને કરવાની પદ્ધતિઆદિનું જ્ઞાન કયારે બીજા પાસેથી મેળવશે? કેમકે હજી ત્યારે જ ઉત્પન્ન થયા હોઇ, સ્વત: તો આ બધાનું જ્ઞાન મેળવશે નહિ. તેથી આ બધી પંચાતમાં પડ્યા વિના તેઓ પોતાનાં એક ક્ષણનાં આયુષ્યને આનંદથી ભોગવી લેવાનું જ પસંદ કરે. ભાવનાપ્રચય :-બૌદ્ધમતે ચાર ભાવના છે (૧)બધું જ ક્ષણિક છે (૨) બધું જ દુ:ખરૂપ છે. (૩) બધી જ વસ્તુઓ સામાન્યરૂપે જ્ઞાત નથી થતી, પરંતુ સ્વલક્ષણ ( પોતાના અસાધારણરૂપ) થી જ ખ્યાત થાય છે. તથા (૪) સર્વ પદ્યર્થ નિઃસ્વભાવ છેવાથી શૂન્ય છે. આ ચાર ભાવનાઓને સતત ભાવવાથી ભાવનાને પ્રચય થાય છે). સ્મૃતિભંગ દોષ હવે સ્મૃતિભંગદોષ બતાવે છે. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે- “પૂર્વબુદ્ધિએ અનુભવેલા અર્થના १. सर्व क्षणिकं सर्वं क्षणिकम, दुःखं दुःखं, स्वलक्षणं स्वलक्षणं, शून्यं शून्यमिति भावनाचतुष्टयं । કાવ્ય-૧૮ : :::::::::: 236
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy