SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ છેમi i.:- -: 5: : .5-% અ. . : ::: तथा प्रमोक्षभंगदोषः । प्रकर्षेणापुनर्भावेन कर्मबन्धनाद् मोक्षो मुक्तिः प्रमोक्षः। तस्यापि भङ्गः प्राप्नोति । तन्मते । तावदात्मैवं नास्ति । कः प्रेत्य सुखीभवनार्थं यतिष्यते । ज्ञानक्षणोऽपि संसारी कथमपरज्ञानक्षणसुखीभवनाय घटिष्यते। न हि दुःखो देवदत्तो यज्ञदत्तसुखाय चेष्टमानो दृष्टः । क्षणस्य तु दुःखं स्वरसनाशित्वात् तेनैव सार्धं दध्वंसे । सन्तानस्तु न वास्तवः कश्चित् । वास्तवत्वे तु आत्माभ्युपगमप्रसंगः ॥ આ કોઈ પ્રયત્ન કરવો પડશે નહિ. બૌદ્ધકલ્પિત મોક્ષની અસિદ્ધિ બૌદ્ધ :- સઘળીય વાસનાઓનો ઉચ્છેદ થવાથી વિષયાકારરૂપી ઉપપ્લવ (તરંગો) નષ્ટ થાય છે, તેથી જ વિશુદ્ધજ્ઞાન ઉત્પન્ન થાય છે તે મોક્ષ છે. અર્થાત અનાદિકાલીનમિથ્યાવાસનાઓનાં કારણે જ્ઞાન, નીલધટાદિ વિષયોનો પરિચ્છેદ કરે છે. અને નીલવટાદિઆકાર ધારણ કરે છે. જયારે “સર્વક્ષણિક આદિ ભાવનાઓના પ્રકર્ષથી મિથ્યા વાસનાઓ ટળે છે, ત્યારે જ્ઞાન બાહ્યવિષયોનો પરિચ્છેદ કરવાનું બંધ કરી, સ્વાત્મામાં લીન થાય છે, અને વિષયઆકારને ધારણ કરવાનું પણ બંધ કરે છે. આમ જ્ઞાન વિષયનાં આકારરૂપ મળથી રહિત અત્યંત વિશુદ્ધ બને છે. આ વિશુદ્ધજ્ઞાન જ મોક્ષ છે. મોક્ષનું સ્વરૂપ તેનાથી ભિન્ન નથી. ઉત્તરપલ :- (જૈન) આ બધું અસંગત છે. કેમકે કારણનાં અભાવથી મોક્ષ અનુ૫૫ન્ન છે. ભાવનાનો પ્રચય જ વાસનાના ઉચ્છેદ દ્વારા મોક્ષના કારણ તરીકે બૌદ્ધોને ઈષ્ટ છે. પરંતુ ભાવનાના પ્રચયને સ્થિર એક આશ્રય મળતો નથી. કેમકે ભાવનાને ભાવવાવાળી (આશ્રયભૂત) દરેક જ્ઞાનક્ષણો ક્ષણિક અને ભિન્ન છે. તેથી ભાવના પણ ક્ષણિક, અસ્થિર અને અનેકઆશ્રયવાળી બને છે. તેથી વાસનાના ઉચ્છેદ કે શુભસંસ્કારનાં આધાનાદિરૂપ કોઈપણવિશેષનું આદાન કરી શકતી નથી. વળી આ ભાવના પણ ક્ષણિક જ છે, અને ઉત્તરક્ષણે નિરન્વય નાશ પામે છે. તેથી પ્રતિક્ષણે ઉત્પન્ન થનારી ભાવનાઓ અપૂર્વ હોય છે. તેથી જેમ આકાશને કૂદી જવાનો અભ્યાસ ક્યારેય પણ પકર્ષ પામતો નથી, તેમ ભાવનાપચય પણ ક્યારેય પ્રકર્ષતાને પામશે નહિ. અને આ પ્રકર્ષતા વિના તે ભાવના સ્કુટ (વિશુદ્ધ) અભિજ્ઞાન (જ્ઞાન)ની ઉત્પત્તમાટે સમર્થ બની શકે નહિ. આમ વિશુદ્ધજ્ઞાનરૂપે મોક્ષની અનુપપત્તિ જ છે. વળી વિશુદ્ધજ્ઞાનવાનું ચિત્ત “અમળ છે. એમાં ભાવના તો માત્ર નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ તરીકે પૂર્વચિત્તક્ષણો જ ઈષ્ટ છે. આ પૂર્વચિનક્ષણો પોતે અમળ (કમળવિનાની) છે કે સમળ (કમળયુક્ત)? જો પોતે અમળ હૈય, તો તે વખતે જ મોક્ષ થઈ ચૂક્યો છે. ફરીથી મોલોત્પત્તિ શા માટે કલ્પવી? વળી એ પૂર્વચિત્તક્ષણના જનક પૂર્વની ચિત્તક્ષણોને પણ એમ અમળ જ માનશો, આમ અનાદિકાલીન મોક્ષ માનવો પડશે. પૂર્વની સમળચિત્તક્ષણો અમળચિત્તક્ષણનાં આરસ્મક (=ઉપાદાનકારણ) છે. અર્થાત એ સમળચિત્તક્ષણોમાં જ અમળચિત્તલણઆરસ્મણ શક્તિ છે” એમ પણ માની શકાય નહિ. કેમકે દરેક કારણમાં સદેશઆરમ્ભણશક્તિ જ ઈષ્ટ છે. અર્થાત દરેક કારણ તથાસ્વભાવથી જ સ્વસદેશ કાર્યનો જ આરંભ કરે એ ન્યાય આબાળગોપાળપ્રસિદ્ધ છે. કયાંય પણ બાવળમાંથી આંબો ઉગતો દેખાતો નથી. તેથી સમળચિત્તક્ષણોમાં સ્વાભાવિકસ્વસદેશાત્મશકિત સ્વદેશસમળચિત્તલણઆરંભશક્તિ જ છે. અનેઅસદેશઆરંભ દર શક્તિનો (અમળચિત્ત આરંભશક્તિનો) અભાવ જ છે. “ “આ શક્તિનો એકાએક ઉચ્છેદ થઈ જાય અને દર ચરમસમળચિત્તક્ષણદ્વારા અમલચિત્તક્ષણની ઉત્પત્તિ થઈ જાય તે ન બને તેવી વાત છે.(અથવા સમળ છે પૂર્વચિત્તલણમાં અમળચિત્તક્ષણ આરંભણશકિત સ્વાભાવિક પૂર્વ પરંપરાથી) છે કે નવી ઉદ્દભવી? જ સ્વાભાવિક માનો, તો 8 પૂર્વે જ અમળચિત્તક્ષણ-મોલ સિદ્ધ થવાથી તે અંગે વિચાર કે પ્રયત્ન ફોગટ છે. હવે જો ઉત્તરોત્તર સમળચિનક્ષણોની જ ઉત્પત્તિ જો કાશ બૌદ્ધકલ્પિત મોક્ષની અસિદ્ધિ )
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy