SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ EP ::::::::: ચાલ મંજરી तदेतदखिलमालजालम् । चिच्छक्तिश्च विषयपरिच्छेदशून्या चेति परस्परविरुद्धं वचः । 'चिती संज्ञाने'। चेतनं चित्यते वानयेति चित् । सा चेत् स्वपरपरिच्छेदात्मिका नेष्यते, तदा चिच्छक्तिरेव सा न स्यात्, घटवत् । न चामूर्तायाश्चिच्छक्तेर्बुद्धौ प्रतिबिम्बोदयो युक्तः । तस्य मूर्तधर्मत्वात् । न च तथा परिणाममन्तरेण प्रतिसंक्रमोऽपि युक्तः। कथञ्चित् सक्रियात्मकताव्यतिरेकेण प्रकृत्युपधानेऽप्यन्यथात्वानुपपत्तेः, अप्रच्युतप्राचीनरूपस्य च सुखदुःखादिस भोगव्यपदेशानहत्वात् । तत्प्रच्यवे च प्राक्तनस्पत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वापत्तिः । स्फटिकादावपि तथापरिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात, अन्यथा कथमन्धोपलादौन प्रतिबिम्बः। तथापरिणामाभ्यपगमे च बलादायातं | चिच्छक्तेः कर्तृत्वं साक्षाभोक्तृत्वं च ॥ સ્વામીને પ્રાપ્ત થાય છે. તેમ અહીં પણ અવિવેકથી (પુરુષ-પ્રકૃતિના વિવેક વિભાગનો ગ્રહ=બોધન થવાથી) પ્રકૃતિવિષયક ભોગ, સંસાર અને અપવર્ગનો સંબંધ પુરુષમાં કરવામાં આવે છે. આમ પુરુષનો જે બન્ધ-મોક્ષ કહેવાય છે તે ઉપચાર છે. વાસ્તવમાં પુરુષનો બંધ કેમોક્ષનથી. આ પ્રમાણે સાંખ્યદર્શનનું સ્વરૂપ અને તે દર્શનની માન્યતા દર્શાવી. * ચિતશક્તિની વિષય અપરિચ્છેદક્તા અસંગત પરંતુ આ સર્વસ્વરૂપ અને માન્યતા વ્યર્થ માયાજાલ છે. તે આ પ્રમાણે- (૧)ચૈતન્યશક્તિ, વિષયનાં બોધથી, રહિત શેય, આ વાત પરસ્પરવિરુદ્ધ છે. “ચિતી ધાતુ-જાણવું અર્થમાં છે. જાણવું = ચિત અથવા જેનાં દ્વારા બોધ પમાય ચિત. હવે જો ઘડાની જેમ આ શક્તિ સ્વ–પરનાં બોધરૂપ ન હોય, તો તે ચિતશક્તિ જન કહેવાય. અર્થાત ચિતશક્તિ એટલે જ્ઞાનશક્તિ. અને જ્ઞાન સ્વ-પરપ્રકાશક છે, તે વાત પૂર્વે સિદ્ધ કરી ગયા છીએ. તેથી જ સ્વ-પરનાં જ્ઞાનરૂપ ન હોય તેને જ્ઞાનસ્વરૂપ=ચિતશક્તિ શી રીતે કહી શકાય? ઘડો પોતે સ્વપરનો પ્રકાશક નથી, તો તેને ચિશક્તિ કહી શકાતો નથી. કારણ કે ચિશક્તિ એ (જ્ઞાનક્રિયારૂપ અર્થ અભિધેયના યોગના કારણે)યૌગિક નામ છે, રૂઢનામ નથી. • બુદ્ધિમાં પ્રતિબિંબોદય અસિદ્ધ (૨)વળી તમે જે દર્શાવ્યું કે ચિતશક્તિનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તે પણ અસંગત છે. કેમકે ચિતશક્તિ પુરુષનું સ્વરૂપ છે અને અમૂર્ત છે. અમૂર્ત (અરૂપી પદાર્થનો રૂપીપદાર્થમાં પ્રતિબિંબોદય અસંભવિત છે, કેમકે પ્રતિબિંબ' એ મૂર્તિપદાર્થનો ગુણ છે. વળી જો આત્મા પોતે તેવા પરિણામને પામે નહિ તો બુદ્ધિમાં અંદાજ થયેલા અર્થોનો દ્વિતીયદર્પણકલ્પ આત્મામાં પ્રતિસંક્રમ થઇ ન શકે. જો આત્મા કંઇક અંશે પણ તે પ્રતિબિંબ ઝીલવા સક્રિય ન બને, તો પ્રકૃતિનાં સનિધનથી પણ તેમાં આવા પ્રતિબિંબ પડી ન શકે. શંકા :- નિષ્ક્રિય આત્મામાં આ પ્રતિસંક્રમરૂપ ભોગ શા માટે અનુ૫૫ન્ન બને? સમાધાન :- આત્માનિષ્ક્રિય રહે એનો અર્થ એ થયો કે, આત્મા પોતાના પૂર્વનાં ભોગરહિતના સ્વરૂપનો, ત્યાગ કરવા તૈયાર નથી. અને જો એ અવસ્થાનો એ ત્યાગ ન કરે તો તેનાં સુખદુ:ખાદિ ભોગનો જે વ્યપદેશ કરાય છે તે થઈ ન શકે. શંકા:- અહીં જે વ્યપદેશ છે એ માત્ર બુદ્ધિનાં પ્રતિક્રમના કારણે ઉપચારથી છે. પ્રાચીન સ્વરૂપનાં ત્યાગ વિના પણ ને : છે: ઉપચાર ઉપપન્ન છે. : સમાધાન :- ઉપચાર પણ ત્યાં ઉ૫૫ન્ન થાય, જ્યાં વિદ્ધધર્મનો અધ્યાસ ન હોય કયારેય કાયરપુરુષમાં સિંહનો ઉપચાર છે થતો નથી. અહીં તો આત્મા પ્રાચીન “અભોક્તત્વ' સ્વરૂપ વિરૂદ્ધધર્મથી અધ્યાસિત છે. તેથી અહીં તેવો ઉપચાર પણ અસંગત કરે છે. બમિાં પ્રતિબિંબોદય અસિલ :::::::::::::::::::::::::: છી ભા. *
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy