SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ : ::::::::::::::::: Hિ ચાઠમંજરી यदप्युदितम् आगमश्चात्र प्रमाणमिति । तदप्यप्रमाणम् । स हि पौरुषेयो वा स्यात्, अपौरुषेयो वा ? पौरुषेयश्चेत् । R? सर्वज्ञकृतः, तदितरकृतो वा ? आद्यपक्षे युष्मन्मतव्याहतिः । तथा च भवत्सिद्धान्तः । “अतीन्द्रियाणामर्थानां ? साक्षाद् द्रष्टा न विद्यते । नित्येभ्यो वेदवाक्येभ्यो यथार्थत्वविनिश्चयः" ॥ १ ॥ द्वितीयपक्षे तु तत्र दोषवत्कर्तृत्वेनानाश्वासप्रसङ्गः। अपौरुषेयश्चेत् न सम्भवत्येव, स्वरूपनिराकरणात्; तुरङ्गशृङ्गवत् । तथाहि । उक्तिर्वचनमुच्यते इति चेति पुरुषक्रियानुगतं स्पमस्याः। एतत्क्रियाऽभावे कथं भवितुमर्हति । न चैतत् केवलं क्वचिद् ध्वनदुपलभ्यते । उपलब्धावप्यदृश्यवक्त्राशङ्कासम्भवात् । तस्मात् यद् वचनं तत् पौरुषेयमेव, वर्णात्मकत्वात्, कुमारसम्भवादिवचनवत्। वचनात्मकश्च वेदः। तथा चाहुः- “ताल्वादिजन्मा ननु वर्णवर्गो वर्णात्मको वेद इति । स्फुटं च । पुंसश्च ताल्वादि ततः कथं स्यादपौरुषेयोऽयमिति प्रतीतिः" ॥ . - જે વચનરૂપ છે તે પૌરુષેય છે. કેમકે વર્ણાત્મક છે. જેમ કે કુમારસંભવવગેરે વચનો. વેદ પણ વચનાત્મક છે. તેથી પૌરુષેય છે. તેથી જ કહ્યું છે “વર્ણ = અક્ષરસમુદાય તાલ વગેરે સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે અને વેદ વર્ણાત્મક છે તે સ્પષ્ટ છે. તથા તાલુવગેરે તો પુરુષોને ધ્યેય છે. (પંચેન્દ્રિય જીવોને હેય છે. તેથી આ વેદ અપૌરુષેય છે એવી પ્રતીતિ શી રીતે થાય?” અર્થની પૌરુષેયતા વળી તમે કૃતિને અપૌરુષેય સ્વીકારીને પણ તેના અર્થનું વ્યાખ્યાન તો પૌરુષેય જ માનો છો. અર્થાત ! તમે અપૌરુષેય શ્રુતિનો પણ આક્ત તરીકે ઈષ્ટ પુરુષે કરેલો અર્થ જ માન્ય રાખો છો. જો પુરુષકૃત અર્થ પણ અમાન્ય હેયતો “અગ્નિહોત્ર જુહુયા ” આ વાક્યનો અર્થ કુતરાનું માસ ખાવું એમ પણ કરવામાં પ્રતિબંધક , ન રહે. કેમકે અમુક જ અર્થ થાય, એમ દર્શાવનાર નિયામકનો અભાવ રહે. તેથી “સ્વર્ગની ઇચ્છાવાળાએ આ અગ્નિહોત્ર યજ્ઞ કરવો ઈત્યાદિ અર્થ દર્શાવનાર કોઈક આખપુરુષ તો માન્ય રાખવો પડે. તેથી અર્થને તો પૌરુષેય છે માનવો જ પડશે. અને અર્થની જ પ્રધાનતા લેવાથી સૂત્ર પૌરુષેય કે અપૌરુષેય હેય તેની કિંમત રહેતી નથી. તેથી સૂત્રરૂપવેદને પણ પૌરુષેય માનવા જ સંગત છે. અથવા તો “તુષ, દુર્જન' એ ન્યાયથી વેદને અપૌરુષેય માની લો. તો પણ તે પ્રમાણરૂપ બની ન શકે. કારણ કે આપપુરુષ પ્રણીત વાણી જ પ્રમાણરૂપ બને છે. જયારે વિદ તો અપૌરુષેય છે. આપ્તપુરુષપ્રણીત નથી. તેથી પ્રમાણરૂપ નથી. આમ વેદનું અપ્રામાણ્ય જ સિદ્ધ થાય છે. તેથી તેને અનુસરનારી સ્મૃતિઓ પણ અપ્રમાણિત છે. તેથી વેદ અને સ્મૃતિઓમાં દર્શાવેલી યજ્ઞ અને હું શ્રાદ્ધાદિગત હિંસા પણ પ્રમાણરહિત છે. વેદિકહિંસા આપવાદિક - પૂર્વપક્ષ 1 પૂર્વપક્ષ:- “સર્વ જીવોની હિંસા ન કરવી જોઈએ.’ એવા અર્થવાળું શાસ્ત્રવચન ઔત્સર્ગિક છે. હું (વિશેષકારણ સિવાય સામાન્યથી સર્વદા કરણીય હેય તે ઉત્સર્ગવિધિ છે. તથા વિશેષકારણે જે કરણીય બને તે અપવાદ.) દરેક શાસ્ત્રીય વિધિ-નિષેધ બે પ્રકારનાં ય છે. (૧)ઔત્સર્ગિક-સામાન્યથી વિધિરૂપ (૨)અને આપવાદિક- વિશેષ પ્રસંગે કરવારૂપ. તેમાં નહિંસ્યા ઈત્યાદિનિષેધ ઔત્સર્ગિક માર્ગ છે. અને વેદથી વિહિત હાયજ્ઞાદિવિષયક હિંસા આપવાદિકવિધિ છે. અપવાદવિધિ વિશેષપ્રસંગે જ આદરણીય હેવાથી બળવાન બને છે અને ઉત્સર્ગવિધિને બાધ કરી પ્રવૃત્ત થાય છે. શ્રુતિમાં બતાવેલી હિંસા આપવાદિક ઈ ઉત્સર્ગને બાધિત કરીને છે ફિશ પ્રવર્તશે, તેથી દોષરૂપ નથી. એવો ન્યાય છે કે, “ઉત્સર્ગ અને અપવાદ વિધિમાં અપવાદવિધિ બળવાન છે. જો ઉત્સર્ગવિધિઅપવાદવિધિનેબાધિત કરતી હોય, તો અપવાદવિધિનિષ્પોજન બની જાય. વળી તમને જૈનોને) :22: : ******** : A::::::::::::::::::::::: અર્થની પૌરુષેયતા _
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy