SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કપાળ, " - - - િill wilk Rપધારતીય સમાજના ધારા જી: यच्च याज्ञिकानां लोकपूज्यत्वोपलम्भादित्युक्तम् । तदप्यसारम् । अबुधा एव पूजयन्ति तान् न तु विविक्तबुद्धयः। स अबुधपूज्यता तु न प्रमाणम् । तस्याः सारमेयादिष्वप्युपलम्भात्। यदप्यभिहितं देवतातिथिपितृप्रीतिसंपादकत्वाद् वेदविहिता हिंसा न दोषायेति। तदपि वितथम् । यतो देवानां संकल्पमात्रोपनताभिमताहारपुद्गलरसास्वादसुविहितानां वैक्रियशरीरत्वाद् युष्मदावर्जितजुगुप्सितपशुमांसाद्याहुतिप्रगृहीतौ इच्छैव दुःसंभवा । औदारिकशरीरिणामेव तदुपादान2 योग्यत्वात्। प्रक्षेपाहारस्वीकारे च देवानां मन्त्रमयदेहत्वाभ्युपगमबाधः । न च तेषां मन्त्रमयदेहत्वं भवत्पक्षे न सिद्धम्। "चतुर्थ्यन्तं पदमेव देवता" इति जैमिनिवचनप्रामाण्यात् । तथा च मृगेन्द्रः- "शब्देतरत्वे युगपद् भिन्नदेशेषु यष्टषु।। न सा प्रयाति सान्निध्यं मूर्तत्वादस्मदादिवत्" ॥ सेति देवता । हूयमानस्य च वस्तुनो भस्मीभावमात्रोपलम्भात्, કારણભૂત હોવાથી દોષરૂપ નથી.આ પ્રાર્થનામાં ભાવઆરોગ્યવગેરે જ વિવિક્ષિત છે. દેવ- મનુષ્યાદિ! ચારગતિરૂપસંસાર જ ભાવરોગ છે અને તેના લય એ જ ભાવઆરોગ્ય છે. તેથી ભાવઆરોગ્યની પ્રાપ્તિ એ | ઉત્તમફળ છે. કેમ કે તેમાં સંસારનો છેદ છે. તેથી આવી ભાવઆરોગ્યાદિવિષયક પ્રાર્થના શા માટે સુજ્ઞપુરુષોને આદરણીય ન બને ? વળી આવી પ્રાર્થના દ્વારા ઉત્પન્ન થતા શુભભાવો ભાવઆરોગ્ય આપવામાં સમર્થ છે, તે સર્વવાદી સંમત છે જ. અહીં પરમાત્મા પાસેથી આરોગ્યવગેરેની માંગણી કરવામાં મૃષાભાષા થવાની આપત્તિ છે. કેમ કે કે પરમાત્મા વીતરાગ હેવાથી પોતે આ માંગણી પૂરી કરવાના નથી એ ખ્યાલ હોવા છતાં એવી માંગણી કરવી વ્યર્થ અને ખોટી છે. અને વ્યર્થવચન મૂષાભાષારૂપ છે. અને જો પોતાની સ્તુતિથી ખુશ થઇ પરમાત્મા આરોગ્ય આદિ આપવાવાળા બને તો પરમાત્મા રાગી ગણાય. પણ વાસ્તવમાં તેમ નથી. કેમ કે ભક્તિનાં અતિરેકમાં કરાતી આ માંગણી વાસ્તવમાં પરમાત્મભકિતરૂપ છે. અને ભક્તિથી બોલાયેલા વચનો કાલ્પનિક છે, તો પણ અર્થવાદરૂપ જ મનાયા છે. વળી આ વચનો પરમાત્માને અવલંબીને બોલાયા લેવાથી શુભ પરિણામદ્વારા પરંપરાએ આરોગ્યઆદિ ઇષ્ટને દેનારા બને જ છે. તેથી પરમાત્મા સ્વાલંબન દ્વારા આરોગ્યાદિની શું પ્રાપ્તિમાં હેતુ બનતા હોવાથી પણ આ વચન અસત્ય નથી. તાત્પર્ય “મા વોદિતામ” વગેરે વચનો સ્વત: ફળદાયક નથી. પરંતુ તે વચનો ઉચ્ચારતી વખતે ઉત્પન્ન થતાં સવિશુદ્ધપરિણામો જ ભાવઆરોગ્ય અને મોક્ષને પરંપરાએ દેનારા બને છે. વળી, પરભવાદિમાં આ વિશુદ્ધિ દ્વારા મળતી વધુ ઉત્તમ સામગ્રી વગેરે પણ ઉત્તરોત્તર ભાવઆરોગ્યમાં હેતુ બનવા દ્વારા મોક્ષહેતુક બને છે. તેથી આવી પ્રાર્થના સંગત છે. જ્યારે વેદવચનો જો સાક્ષાત્પરભવમાં વિવાદિફળક લેય, તો ઉત્તરોત્તરનાં ભાવોમાં પણ વિવાહદિ ફળની જ પ્રાપ્તિ થવાથી સંસાર જ લીલોછમ રહે. જે અનિષ્ટ છે. વૈદિકહિંસા નિંદનીય વેદમાં દર્શાવેલા હિંસા કુત્સિત નથી. એવું જે તમે દર્શાવ્યું હતું, તે પણ અયુક્ત છે. જેઓ સમ્યજ્ઞાન અને દર્શનથી યુક્ત છે, તે જૈનોએ તથા અર્ચિમાર્ગને સ્વીકારવાવાળા મીમાંસકોએ પણ આ હિંસાની ગ જ કરી છે. તેથી જે તત્વદષ્ટાઓએ કહ્યું છે. “દેવને અર્પણ કે યજ્ઞનાં બહાનાથી જેઓ નિર્દય થઈને પશુઓને હણે છે ? તેઓ અતિરોદ્ર દુર્ગતિ પામે છે. વેદાનિકો પણ કહે છે કે, “પશુઓથી યજ્ઞ કરનારા અમે અંધ= અજ્ઞાનરૂપી છે | અંધકારમાં પડીએ છીએ. કેમકે ‘હિંસા ધર્મરૂપ ભૂતકાળમાં કે ભવિષ્યમાં કયારેય બની ન શકે તથા “અગ્નિ મને આ હિંસાથી થયેલા પાપમાંથી મુક્ત કરાવે” “મુઝતુ પ્રયોગ છાન્દસ વૈદિક લેવાથી તેનો પ્રેરક –બુક્ત કરાવે. એવો અર્થ કરવો. વ્યાસ પણ કહે છે-“જ્ઞાનરૂપી ભીંતથી વીંટળાયેલા, બ્રહ્મચર્ય અને દયારૂપ પાણીથી છે. ભરેલાં, તથા પાપરૂપ કાદવને દૂર કરનારા અતિનિર્મળ તીર્થમાં સ્નાન કરીને ૧ | જીવરૂપી કુણ્ડમાં રક્લા તથા દમરૂપી પવનથી ઉદ્દીપિત થયેલા ધ્યાનરૂપ અગ્નિમાં અસર= અશુભ કર્મરૂપ સમિધને (યજ્ઞમાં હોમવારે યોગ્ય ડાળી ડાંખલાં વગેરેન)ોમીને ઉત્તમ અગ્નિહોત્ર યજ્ઞ કર. / રાા ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના નાશક છે? १: अष्टगुणैश्वर्ययोगादेकानेकाणुमहच्छरीरविविधकरणं विक्रिया सा प्रयोजनमस्येति वैक्रियकं । २. उदारं स्थूलं, उदारं प्रयोजनं अस्येति औदारिक। A. 8 વૈદિક હિંસા નિંદનીય 131)
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy