SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ *, , , , ,એડ .-૨ * * * iા अथास्ति चेतन आत्मा, पर चेतनासमवायसम्बन्धात्, न स्वतः, तथाप्रतीतेः इति चेत् ? तदयुक्तम् । यतः प्रतीतिश्चेत् प्रमाणीक्रियेत (यते वा), तर्हि निर्बाधमुपयोगात्मक एवात्मा प्रसिद्ध्यति । न हि जातुचित् स्वयमचेतनोऽहं चेतनायोगात् चेतनः, अचेतने वा मयि चेतनायाः समवाय इति प्रतीतिरस्ति। ज्ञाताहमिति समानाधिकरणतया प्रतीतेः। भेदे तथा प्रतीतिरिति चेत् ? न । कथंचित् तादात्म्याभावे सामानाधिकरण्यप्रतीतेरदर्शनात्। यष्टिः पुरुष इत्यादिप्रतीतिस्तु भेदे । सत्युपचाराद् दृष्टा, न पुनस्तात्त्विकी। उपचारस्य तु बीजं पुरुषस्य यष्टिगतस्तब्धत्वादिगुणैरभेदः, उपचारस्य मुख्यार्थस्पर्शित्वात् । तथाचात्मनि ज्ञाताहमिति प्रतीतिः कथञ्चित् चेतनात्मतां गमयति, तामन्तरेण ज्ञाताहमिति प्रतीतेरनुपपद्यमानत्वाद् घटादिवत् । न हि घटादिरचेतनात्मको ज्ञाताहमिति प्रत्येति । चैतन्ययोगाभावाद् असौ न तथा प्रत्येतीति चेत् ? न । अचेतनस्यापि चैतन्ययोगात् चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात्। इत्यचेतनत्वं सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकरोति । तं पुनरिच्छता चैतन्यस्वरूपतास्य स्वीकरणीया ॥ પૂર્વપક્ષ:- જ્ઞાન અને આત્માનું પરત:સંવેદન થશે. ઉત્તરપક્ષ:- અલબત્ત, આત્માનું પરત:સંવેદન (ગ્રહણ)માનવામાં દોષ નથી. પરંતુ જ્ઞાનનું પરતસંવેદન માનવામાં અનવસ્થામાનદી દસ્તર છે. જ્ઞાનનું સંવેદન કરનાર બીજું જે જ્ઞાન તમે કહે છે, તે જ્ઞાન પોતે ગૃત છે કે અગૃઢત? અગૃહીત તો માની શકાય નહીં. કેમકે “સ્વયં અગૃહત બીજાનું ગ્રહણ ન કરાવી શકે દા.ત.ઘડો’ જો દીવો પોતાને જ પ્રકાશી ન શકે, તો બીજાને શી રીતે પ્રકાશી શકે? અને જો એ બીજા જ્ઞાનનું ગ્રહણ થતું હોય, તો નાગૃહીત ઇત્યાદિ વચનથી “જ્ઞાનત્વ' વિશેષણના ગ્રહણપૂર્વક જ તે જ્ઞાનનું ગ્રહણ માનવું પડે. જેમ કે “ઘટત્વનું ગ્રહણ થાય, તો જ ઘટનું ગ્રહણ થાય. હવે આ બન્ને (જ્ઞાનત્વ અને તે બીજું જ્ઞાન)નું ગ્રહણ સ્વત: છે કે પરત.? જો સ્વત: માનો, તો (૧)સ્વસિદ્ધાંતવિરોધ છે. કેમ કે તમે સ્વસંવેદન સ્વીકાર્યું નથી. અને (૨)આટલું લાંબુ કરીને પછી સ્વસંવેદન સ્વીકારવા કરતા પ્રથમ જ્ઞાનને જ સ્વસંવિદિત માનવામાં લાઘવ છે. અને તમારે મન “એક કાના–માત્રાનો લાઘવ પણ પુત્રજન્મ મહોત્સવ સમાન છે. હવે જો પરત: ગ્રહણ માનશો, તો ફરીથી તે ત્રીજા જ્ઞાનનું અને તેના જ્ઞાનત્વવિશેષણનું ગ્રહણ સ્વત:કે પરત વગેરે પ્રશ્નોના ફેંદામાં ફસાવ. આમ જ્ઞાનનું પરત:સંવેદન માનવું એટલે કોશેટાના કીની જેમ જાતે ગૂંથેલી જાળમાં જાતે ફસાવાનું, અને અનવસ્થા નદીમાં ડૂબી મરવાનું. તથા જે મૂળ પ્રથમ જ્ઞાન છે, તેનું સંવેદન, આત્માનું સંવેદન અને તે બન્નેના સંવેદનથી પ્રગટતો “જ્ઞાનવાનાં પ્રત્યય આ બધા તો બિચારા કયાં દટાઈ ગયા, તેની ખબર પણ નહિ પડે. આમ જો આત્માને જડ માનશો, તો “જ્ઞાનવાનવું એવો પ્રત્યય સંગત કરશે નહિ અને જો અનુભવસિદ્ધ આ પ્રત્યયને સંગત ઠેરવવો ય, તો આત્માને જડ માનવાની જડતા દૂર કરવી પડશે. અનેતો અનન્યગત્યા, આત્માને ચૈતન્યસ્વરૂપ સ્વીકારવો જોઇશે. અને જો, આત્માનું ચૈતન્યસ્વરૂપસ્વીકારવાની ચેતના પ્રગટી શ્રેય, તો ચૈતન્ય ઔપાધિક છે, અને આત્માથી એકાંતે ભિન્ન છે તે વચનનો ત્યાગ કરવો. કેમ કે આ વચન તત્વરૂ૫ માલ વિનાના બગડેલા બારદાન જેવું છે. મુક્તિમાં જ્ઞાન-આનંદસ્વરૂપનાં અભાવનું ખંડન વળી પૂર્વપલે આત્માના નવવિશેષગુણસંતાન અત્યંત ઉચ્છેદ પામે છે. કેમ કે તેઓ સંતાનરૂપ છે જે જે સંતાનરૂપ હોય, તે તે અત્યંત ઉચ્છેદ પામે. દા.ત.પ્રદીપ સંતાન આ અનુમાનના બળ પર મોક્ષને જ્ઞાન અને આ સખ વિનાનો કપ્યો. પણ તે કલ્પના મૂળ વિનાના વૃક્ષ જેવી છે. બોલો, આ “સંતાનપદમાં સંતાનથી તમારે શું અભિપ્રેત છે? (૧)અલગ-અલગ પદાર્થોની સ્વતંત્ર પરસ્પરનિરપેક્ષ, કાશ્રયનાનિયમ વિનાની) ઉત્પત્તિમાત્ર કે (૨)એક અધિકરણમાં અલગ-અલગ પદાર્થોની ઉત્પત્તિ? પ્રથમ પક્ષ તમને માન્ય હેય, તેમ છે સંભવતું નથી. કેમ કે આ પક્ષ વ્યભિચારદોષયુક્ત છે. આ જગતમાં પ્રત્યેક ક્ષણે ઘટ, પટ, કટ (સાદડી વગેરે છે મુક્તિમાં દાન-આનંદ સ્વરૂપનાં અભાવનું ખંડન મ9 જનક
SR No.005720
Book TitleAnyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Original Sutra AuthorHemchandracharya
AuthorJayshekharsuri, Ajitshekharsuri
PublisherJain Sangh Gantur
Publication Year1992
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy