SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું ભોજન દ્વાર શ્રાદ્ધદિનકૃત્ય વંકચૂલે તેની વાત ગણકારી નહીં ને રાણીએ પોતાના હાથે જ શરીર પર નખ લગાડ્યા ને કપડાં ફાડી પુકાર કર્યો કે, ‘બચાવો, દોડો, ચોર જાય.’ તરત આરક્ષકો દોડી આવ્યા ને ભાગતો ચોર ઝડપાઈ ગયો. સવારે તેને બાંધી રાજા સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. રાજાએ પૂછ્યું– ‘તું કોણ છે ને કેમ કરતાં પકડાયો ?’ વંકચૂલે કહ્યું– ‘હું ચોર છું મહારાજ ! મારા દુર્ભાગ્યે રાણી મને જોઈ ગયા અને પકડાવી દીધો.’ તેથી વિશેષ કાંઈ જ વંકચૂલે કહ્યું નહીં. રાજા તેની વાત સાંભળી પ્રભાવિત થયા ને બોલ્યા– ‘ખરેખર તું અસામાન્ય માણસ છે, રાતની આખી ઘટના હું જાણું છું. હું રાણીવાસ આવ્યો ત્યારે તારી ને રાણીની વાત ચાલતી હતી. તે મેં પદડા પાછળથી સાંભળી છે, તારી ગંભીરતા પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે.’ પછી રાજાએ તરત તેને બંધનમુક્ત કરતાં કહ્યું– ‘તું નિર્ભય છે.’ આજથી હું તને સામંતના પદ પર નિયુક્ત કરું છું. પછી શુદ્ધ થયેલા રાજાએ રાણીને કોરડો લઈ મારવા લીધી. વંકચૂલે વચ્ચે પડી તેને બચાવી. વંકચૂલ તો નિયમનું આવું ફળ જોઈ વારે વારે ગુરુ મહારાજને મનમાં ને મનમાં વાંદવા લાગ્યો ને ધર્મને વખાણવા લાગ્યો. 274 એકવાર શત્રુ રાજા ઉજ્જયિની પર ચડી આવ્યો. વંકચૂલ સેનાનાયક થઈ યુદ્ધમાં મોટું સૈન્ય લઈ ઉપડ્યો. ત્યાં તેણે શત્રુને એવો માર માર્યો કે તે જીવ લઈને નાઠો. પરંતુ વંકચૂલ શત્રુના સૈનિકોથી ગંભીર રીતે ઘવાયો. તેને સૈનિકો ઉઠાવી મહેલમાં લાવ્યા. રાજા ને પ્રધાનમંડળ ચિંતાતુર થઈ ઉભા પગે તેની ચિકિત્સા કરાવવા લાગ્યા. રાજવૈદ્યે કહ્યું – ‘પ્રહાર મર્મમાં થયા છે, પરિસ્થિતિ ગંભીર છે, ભવિષ્ય કટોકટી ભર્યું છે. છતાં સામંતરાય સાજા થઈ શકશે. સમયસર ઔષધ–અનુપાન અને પથ્યની ચોક્કસાઈ રાખવાની રહેશે.’ એમ કહી ઔષધ તૈયાર કરવા પોતાના માણસોને જણાવી વૈદ્યરાજે રાજાને કહ્યું – ‘આ ઔષધ કાગડાના માંસમાં લેવાનું છે. તેથી આશ્ચર્યકારી આરોગ્ય લાભ જોઈ શકાશે.’ આ સાંભળી વંકચૂલે કહ્યું – ‘વૈદ્યરાજ ! તમારી ભલી લાગણી માટે આભાર. મારે કાગડાના માંસનો ત્યાગ હોઈ હું તે નહીં લઈ શકું.' વૈદ્યરાજે, રાજાએ, રાજપરિવારે, વંકચૂલના પરિવારે અને સાથીઓએ તેને ઔષધરૂપે લેવાથી વાંધો આવતો નથી. નિયમમાં અપવાદ પણ હોય છે. શરીર હશે તો ધર્મ પણ થશે. ઇત્યાદિ ઘણી રીતે સમજાવ્યો પણ તે ન માન્યો. પાસેના ગામડામાં જિનદાસ નામે ધર્મિષ્ઠ વણિક વસતો હતો. જે વંકચૂલનો પરમ મિત્ર હતો. તેનું વચન વંકચૂલ કદી ઠેલતો નહીં. માટે રાજાએ વંકચૂલને મનાવી શકાય તે માટે જિનદાસને તેડું મોકલ્યું. ઉજ્જયિની આવતા જિનદાસે ઉપવનમાં બે સુંદર બાઈઓને ઉદાસ જોઈ કારણ પૂછ્યું. તેમણે કહ્યું – ‘અમે સુધર્મ દેવલોકની દેવીઓ છીએ. અત્યારે જેને તમે સમજાવવા જઈ રહ્યા છો તે પુણ્યવાન અમારો પતિ થાય તેમ છે. પણ તમારા કહેવાથી તે કાગમાંસ ખાઈ નિયમ તોડશે તો દેવલોક નહીં પામે અને અમને આવો સારો પતિ પણ નહીં મળે. માટે અહીં સુધી આવવું પડ્યું છે ને એ જ મોટું વ્યથાનું કારણ છે.’ જિનદાસે કહ્યું – ‘હું વીતરાગદેવનો ઉપાસક છું. જીવન અધ્યાત્મથી સમૃદ્ધ છે, શરીરથી નહીં. તમે ચિંતા ન કરો. હું તેને નિયમમાં ઢીલો નહીં થવા દઉં. ઉલ્ટાના વધુ દૃઢ કરીશ. એમ તો એ પોતે પણ ઘણા સ્વસ્થ મનનો માણસ છે.’ ઇત્યાદિ તેની વાત સાંભળી બંને દેવીઓ પ્રસન્ન થઈ. જિનદાસ રાજમહેલે આવ્યો. જોયું તો વંકચૂલ અસહ્ય વેદનામાં જાણે વિંટળાઈ પડ્યો હતો. અનેક લોકો ચિંતાતુર થઈ તેને ઘેરી બેઠા હતા. રાજાએ આખી વિગત સમજાવતાં તેને કહ્યું – ‘ભાઈ ! તારા વિના કોઈ આને સમજાવી શકે નહીં અને આ બીજા કોઈનું માને પણ નહીં. માટે તને બોલાવેલ છે. તું એને સમજાવ એટલે ઔષધ આપીએ. બધું જ તૈયાર જ છે.’ જિનદાસે કહ્યું –
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy