________________
શ્રાદ્ધદિનકૃત્યા
અગિયારમું શ્રવણ દ્વાર (212)
દલશુદ્ધિ- જેનાથી મંદિરનું નિર્માણ થાય તે કાષ્ઠ અને ઈટો વગેરે દલ છે. દલ બનાવનારાઓ પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરદ અને બળદ આદિને દુ:ખ ન થાય તે રીતે લાવેલું દલશુદ્ધ છે.
ભૂતકાસંધાન- કામ કરનારા માણસોને વેતનમાં ( પગારમાં) છેતરવા નહિ. સ્વાશયશુદ્ધિ- પશ્ચાત્તાપ આદિ દોષોનો ત્યાગ કરીને સ્વચિત્તના ઉત્સાહ પૂર્વક જિનમંદિર બંધાવવું. યતના- વઢથી ગાળેલા પાણીનો ઉપયોગ કરવો વગેરે યતના છે.
અથવા સયામોગપરિશુદ્ધી પદનો અર્થ આ પ્રમાણે છે– જિનમંદિર બંધાવવામાં બેસવા વગેરેની ક્રિયા કરવામાં પણ સદા હવે કહેવાશે તે આશાતનાઓનો ત્યાગ કરવો. (૧૨૨)
निट्ठीवणाइकरणं, असक्कहाणुचियआसणाई य । आययणमि अभोगो, इत्थ देवा उदाहरणं ॥१२३॥ આશાતનાઓને કહે છે
(જિનમંદિરમાં કે જિનમંદિરની હદમાં) થુંકવું, રાજક્યા વગેરે વિસ્થા કરવી, અનુચિત આસન ઉપર બેસવું, અથર્ વડિલ વગેરેના આસનથી ઊંચા આસને કે સમાન આસને બેસવું. પલંગ વગેરે ઉપર બેસવું, ઈત્યાદિ બધું જિનમંદિરમાં ભોગ છે, અર્થાત્ જિનમંદિરનો દુરુપયોગ છે. આ રીતે જિનમંદિરનો દુરુપયોગ કરવો એ મહાઆશાતનાના ફળવાળું હોવાથી દુર્ગતિનું કારણ છે.
અહીં વિકથા અને અનુચિત આસન એ બે જિનની આશાતનારૂપ હોવાથી આશાતનાના વર્ણનમાં તે બે આવી જાય છે, આમ છતાં “આબે મહાઅવજ્ઞારૂપ હોવાથી એબનો અતિશયત્યાગ કરવો જોઇએ એ જણાવવા માટે અહીં તે બેનો અલગ ઉલ્લેખ કર્યો છે.
અહીં આશાતનાના ત્યાગમાં ભવનપતિદેવો વગેરેનું ઉદાહરણ છે. (૧૨૩) તેવદાયંમિતેવા, વિવિમોહિયાવિન વાયાવિ . . સરસહિં સિમ, હાgિટ્ટાવિન વુતિ ૨૨૪ો . દેવો પણ આશતાનાનો ત્યાગ કરે છે એ વિષયને વિચારે છે–
દેવોને વિષયરૂપઝેરે મૂઢબનાવી દીધા હોવા છતાં દેવોનંદીશ્વર વગેરે સ્થળે રહેલા જિનમંદિરમાં પ્રાણથી પણ અધિક પ્રેમનું સ્થાન બનેલી અપ્સરાઓની પણ સાથે ક્યારે ય હાસ્ય, કીડા, મજાક, વિચિત્ર હાસ્યવચનો વગેરે પણ કરતા નથી. તથા મોટી બધી આશાતનાઓનો ત્યાગ કરે છે. (૧૨૪)
इय सो महाणुभावो, सव्वत्थ वि अविहिभावचाएण । चरिउं विसुद्धधम्मं, अक्खलिआराहओ जाओ ॥१२५॥
આ પ્રમાણે સંકાશશ્રાવકમાંપ્રશસ્ત સામર્થ્યપ્રગટ થયું. તેણે સર્વકાર્યોમાં અનુચિપ્રવૃત્તિનો ત્યાગ કર્યો. શ્રુત-ચારિત્રરૂપ વિશુદ્ધ ધર્મની નિરતિચાર આરાધના કરીને તે મોક્ષનો સાધક બન્યો. (૧૨૫)
चेइयदव्वं साहारणं, च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए ॥१२६॥