SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમું શ્રવણ દ્વાર (200) શ્રાદ્ધદિનકૃત્ય ઘટી ગયો હોય, મોક્ષમાર્ગને અનુકૂળ વૈરાગ્યથયો હોય, આટલું બધું હોવા છતાં જિનવાણી વિના તેનામાં મોક્ષમાર્ગમાં પ્રવેશવાની લાયકાત આવતી નથી. સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં પ્રવેશ થયા પછી જિનવાણી વિના તેમાં સ્થિર ન રહી શકાય. મોક્ષમાર્ગમાં પ્રવેશ થયા પછી પણ જો જિનવાણીનું શ્રવણ-વાંચન ન થાય તો જીવ મોક્ષમાર્ગથી પતિત થાય એવું બને. આથી જ હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિંદુમાં કહ્યું કે “નિનવાનશ્રવાઃ વર્મયોપશમતિઃ સચદ્દર્શનમ્ =“જિનવચનનું શ્રવણવગેરેથી કર્મનો ક્ષયોપશમ વગેરે દ્વારા સમ્યગ્દર્શન પ્રગટે છે.”કર્મનાલયોપશમ વિના સમ્યગ્દર્શન ન પ્રગટે, કર્મનો ક્ષયોપશમ શાથી થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે – જિનવચનશ્રવણ, જિનપૂજા, ગુરુવંદન, સુપાત્રદાન વગેરે ધર્મક્રિયાઓથી કર્મનો ક્ષયોપશમ થાય. અહીં જિનવચન શ્રવણનો સાક્ષાત્ ઉલ્લેખ કરીને અને જિનપૂજા વગેરેનો આદિ શબ્દથી નિર્દેશ કરીને દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમના ઉપાયોમાં જિનવચનશ્રવણની મુખ્યતા જણાવી છે. થયેલી પણ ધર્મશ્રદ્ધા જિનવાણી શ્રવણ વિના જતી રહે આનાથી ઉલટું, જિનવાણીનું શ્રવણ નકરવામાં આવે તો થયેલું પણ સમ્યગ્દર્શન ચાલ્યું જાય એવું બને. જમીનમાં બીજ વાવ્યું હોય, તેમાંથી અંકુરો પણ ફૂટ્યો હોય, પણ પછી જરૂરી વરસાદ ન આવે અને સખત તાપ પડે તો એ અંકુરો બળીને ખાખ થઈ જાય. અહીં બીજના સ્થાને સમ્યગ્દર્શન છે. અંકુરાના સ્થાને સમ્યજ્ઞાન છે. વરસાદના સ્થાને જિનવાણી શ્રવણ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી જો જિનવાણી શ્રવણ કરવામાં ન આવે તો એ બંને ચાલ્યા જાય એવું બને. આ વિષે નંદમણિયારનું દષ્ટાંત છે. નંદમણિયારનું દષ્ટાંત નિંદમણિયાર ખુદ ભગવાનથી ધર્મ પામ્યો હતો. તેણે ભગવાન શ્રી મહાવીરસ્વામીની દેશના સાંભળીને વૈરાગ્ય થવાથી સમ્યક્ત સહિત બારવ્રતોનો સ્વીકાર કર્યો હતો. એકવાર તેણે ઉનાળામાં ઔષધસહિત ચોવિહાર અઠ્ઠમ તપ ક્ય. પૌષધમાં રહેલા તેને ત્રીજી રાતે પાણીની ખૂબ તરસ લાગી. તૃષાથી પીડાયેલા તેણે વિચાર્યું કે જેમણે નગરની બાજુમાં પવિત્ર જળથી ભરેલી સુંદર વાવડીઓ બંધાવી છે, તે લોકો ધન્ય છે, અને કૃતિપુણ્ય છે. કારણકે વાવડીઓમાં નગરના લોકો પાણી પીને, તૃષા શાંત કરે, સ્નાન વગેરે કરે. આથી વાવડી બંધાવવાથી મોટું પુણ્ય થાય. “પુણ્યબંધનાં નવ કારણો – ૧. અન્યને ભોજન આપવું. ૨. અન્યને પાણી પીવડાવવું. ૩. અન્યને પહેરવાવો આપવાં. ૪. અન્યને બેસવા આસન આપવું. ૫. અન્યને સૂવા પથારી આપવી. ૬. મનથી અન્યનું હિત ચિંતવવું. ૭. અન્ય માટે હિતકરવચન બોલવાં. ૮. અન્યના સારા કામ આદિની પ્રશંસા કરવી. ૯. અન્ય માટે હિતકર પ્રવૃત્તિ કરવી, જેમકે – અન્યની સેવા કરવી, સત્કાર કરવો, સહાયતા આપવી. આ નવમાં પાણીનો પણ સમાવેશ થાય છે. અન્યને પાણી આપવાથી પુણ્ય બંધાય. વાવડી બંધાવનાર અન્યને પાણી આપીને પુણ્ય બાંધે છે. આથી હું વાવડી બંધાવીશ. સવાર થતાં પૌષધ પારીને સ્નાનાદિ કાર્યો ક્ય પછી તે ભેટવું લઈને રાજા પાસે ગયો. રાજાને ભેટનું ધરવાપૂર્વક પ્રણામ કરીને વાવડી બનાવવાની રજા માંગી. રાજાએ સંમતિ આપી. આથી તેણે થોડા જ સમયમાં વાવડી બંધાવી. આ વાવડી સામાન્ય ન હતી, કિંતુ આકર્ષક અને અનેક સગવડોથી ભરપૂર હતી. વાવડીની ચારેબાજુ કોતરણીવાળો સુંદર કિલ્લો બનાવ્યો હતો. વાવડીની અંદર વિવિધ જાતિના સુગંધી કમળો રોપ્યાં હતાં. આથી આજુ-બાજુનું વાતાવરણ સુગંધી રહેતું હતું. વાવડીની ચારે બાજુ ચાર વિશાળ બગીચાઓ બનાવ્યા હતા. દરેક બગીચાને ફરતી વાડ બનાવી હતી. આવાડ ખેડૂતો બનાવે છે તેવી કાંટાવાળી નહતી, કિંતુવિવિધવૃક્ષો
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy