________________
અગિયારમું શ્રવણ દ્વાર
198)
શ્રાદ્ધદિનકૃત્ય એક કલાક સાંભળેલી જિનવાણીનો પાવર ૨૩ કલાક રહે સંસારમાં રહેલા માણસને ધન મેળવવા પ્રયત્ન કરવો પડે. એમાં કોઇવાર લાભના બદલે નુકસાની થાય એવું બને. કોઇવાર હાથમાં આવેલી રકમ સરકી જાય. ક્યારેક સ્વજનો અનુચિત વર્તન કરે. ક્યારેક અસહ્ય અપમાન પણ થાય. ક્યારેક શારીરિક માંદગી વગેરે દુ:ખ આવે. આમ સંસારમાં રોગ વગેરે શારીરિક દુ:ખ અને નુકસાન, નિષ્ફળતા, સંઘર્ષ, અપમાન વગેરે માનસિક દુ:ખના પ્રસંગો આવે. પણ જે આત્મા નિયમિત જિનવાણી શ્રવણ કરે છે અને તેને પોતાના આત્મામાં પરિણમાવે છે તે આવા દુ:ખના પ્રસંગોમાં પણ દુ:ખી ન બને. એક કલાક સાંભળેલી જિનવાણીની અસર બાકીના ત્રેવીસ કલાક સુધી થાય છે. એકવાર લીધેલ ઇજેક્શનનો પાવર ૨૪ કલાક રહે છે, ઘડિયાળને એક્વાર આપેલી ચાવીની અસર ૨૪ કલાક રહે છે, તેમ દિવસમાં એક્વાર સાંભળેલી જિનવાણીની અસર આખો દિવસ અને આખી રાત રહે છે. બજારમાં ગયા અને ક્માણી નથઇ, બલકે ખોટ ગઇ, તો સંસારમાં લાભ-હાનિ, સફળતા-નિષ્ફળતા સ્વાભાવિક છે એવી જિનવાણીને યાદ કરીને આત્મા સ્વસ્થ બની જાય. સ્વજનને કે મિત્રને મળવા ગયા, અને માનન મળ્યું, બલકે અપમાન થયું, તો માન-અપમાન પુલરૂપ છે ઇત્યાદિ જિનવાણીને વિચારીને આત્માસ્વસ્થ બની જાય. અપમાનની અસરનથવાદે. ઓચિંતીકોઇ શારીરિક પીડા થઇ તો આકર્મનોવિપાક છે ઇત્યાદિ જિનવાણીનું ચિંતન કરીને આત્મા શાંતિથી પીડાને ભોગવે. વર્તમાનમાં પ્રાય: એવા જીવો કોઇ નથી કે જેમને ઉપર કહ્યા તેવા દુ:ખના પ્રસંગો ક્યારેય ન આવે. અવાર-નવાર આવા પ્રસંગો આવ્યા કરે. આ વખતે તે જિનવાણીનું ચિંતન ન કરે તો અનેક પ્રકારના ખોટા વિચારો અને ચિંતાઓ કરીને વર્તમાનમાં તો દુ:ખી થાય, પણ અશુભ કર્મ બંધ કરીને ભવાંતરમાં પણ દુ:ખી થાય. આજે દુનિયા તરફ નજર કરવામાં આવે, દુનિયાના જીવોની પરિસ્થિતિનો વિચાર કરવામાં આવે, તો સ્પષ્ટ ખ્યાલ આવે કે આજે લોકો (જેમની પાસે સુખનાં સાધનો છે, એવા પણ લોકો) નિરર્થક ચિંતા, શોક, દીનતા વગેરે દુ:ખની આગમાં શેકાઈ રહ્યા છે. પણ નિયમિત જિનવાણી શ્રવણ કરનાર આ આગથી પ્રાય: બચી જાય.
- જિનવાણીનો સંગ લાવે જીવનમાં રંગ માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે જેને જિનવાણી ગમી ગઇ, તેનું દુ:ખગયું, અને તેના સુખનો પ્રારંભ થયો. કારણકે તેને સુખ–દુ:ખના વાસ્તવિક સ્વરૂપનો અને સુખ-દુ:ખના વાસ્તવિક કારણોનો ખ્યાલ આવી જાય છે. આથી તે સુખના પ્રસંગે તો સુખી હોય, પણ દુઃખના પ્રસંગે પણ સુખી હોય. જેને જિનવાણીનો સંગ થાય તેના જીવનમાં આનંદ આવ્યા વિના ન રહે. મૂર્ખાઓ ભલે કહે કે “જ્યાં કોકાકોલાનો સંગ ત્યાં વાતવાતમાં જામે રંગ”, પણ હું તો કહીશ કે “જ્યાં જિનવાણીનો સંગ ત્યાં ક્ષણે ક્ષણે જામે રંગ”. કોકાકોલાના પાનથી રંગ જામે જ એવો નિયમ નહિ. કદાચ રંગ જામે તો પણ ક્ષણિક હોય. કોકાકોલાનું પાન થતું હોય એ દરમિયાન અશુભ સમાચાર આવે તો આનંદ ચાલ્યો જાય. પછી કોકાકોલા પીવાનું ન ગમે.
શ્રાવક બીજાને જિનવાણીનું શ્રવણ કરનારા બનાવે - વસુભૂતિ જેને જિનવાણીનો આવો પ્રભાવ સમજાઈ જાય તે પોતાના આશ્રિતોને, સ્વજન-સ્નેહીઓને અને પરિચયમાં આવનારાઓને પણ જિનવાણીનો મહિમા સમજાવે, અને જિનવાણીનું શ્રવણ કરનારા બનાવે. એને વધુને વધુ જીવો જિનવાણીનું શ્રવણ કરનારા બને એવી ભાવના હોય, અને એ માટે એ શક્ય પ્રયત્ન પણ કરે. એ માટે ધનનો વ્યય કરવો પડે તો યથાશક્તિ ધનનો વ્યય પણ કરે. આ વિષે વસુભૂતિ શેઠનો પ્રસંગ જાણવા જેવો છે. વસુભૂતિ શેઠ આર્યસુહસ્તિસૂરિના મુખથી જિનવાણી સાંભળીને જૈન બન્યા. પણ તેના ઘરના માણસો જૈનધર્મ