SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન અધિકાર 150 ) શ્રાદ્ધદિનકૃત્ય આચાર્ય મહારાજને પૂછીને તેઓને વંદન કરે અને જો આવનારા ભિન્ન સામાચારીવાળા હોય તો પહેલાં પોતાના આચાર્ય મહારાજને વંદન કરીને–તેઓનો આદેશ મેળવીને તેઓને વંદન કરે, કારણ કે જો આવનારાઓ યોગ્ય હોય તો તેઓ આદેશ આપે નહિ તો નિષેધ કરે.” એ વંદન કરવાનું પાંચમું કારણ પ્રાઘુર્ણક-પરોણા સમજવું. ૬–સંયમમાં જો કોઈ “અતિક્રમાદિ દોષ લાગ્યો હોય તો તેની આલોચના કરતાં-પ્રાયશ્ચિત્ત લેતાં વંદન કરીને આલોચના કરવાનું વિધાન છે, તે છઠું કારણ આલોયણા' જાણવું. (શ્રી આવનિર્યુ વૃત્તિમાં વિહાર કરતાં ગુરુને વંદન કરવામાં આવે છે તે પણ આમાં અંતર્ગત ગયું છે.) ૭-ભોજન કર્યા પછી ફરીથી વિવસરિમ તિવિરાર-વોવિહાર' આદિ વધુ રાખેલા આગારોના પણ ત્યાગ રૂપ વિશેષ પચ્ચષ્માણ કરવામાં આવે ત્યારે, અથવા એકાસણાદિનું પચ્ચખ્ખાણ કર્યું હોય તે ઉપવાસાદિનું કરે ત્યારે, એમ પુન: પચ્ચખાણ કરવા માટે વંદન કરવું તે સાતમું સંવર’ નામનું કારણ જાણવું, અને ૮-ઉત્તમાર્થ એટલે અનશન, અર્થાત્ અંતકાળે સંલેખના કરવા માટે કરાતું વંદન તે ‘ઉત્તમાર્થ-વંદન’ કહેવાય છે, એ ‘અનશન રૂપ-અંતિમ આરાધનારૂપ ગુરુવન્દનનું આઠમું કારણ જાણવું. ગુરુવંદનનાં આઠ કારણોનું આ પંદરમું દ્વાર કહ્યું. હવે છેલ્લા સોલમા દ્વારથી ગુરુવન્દન નહિ કરવાથી થતા દોષો કહે છેमाणो अविणय खिंसा, नीआगोयं अबोहि भववुड्डी । अनमंते छ दोसा, एवं अडनउअसयमिहयं ॥१॥ ભાવાર્થ– “ગુરુવન્દનનહિકરવાથી ૧-અભિમાન વધે છે, ૨-ગુરુનો અવિનય થાય છે, ૩-શાસનની અપભ્રાજના (નિંદા) થાય છે, ૪-નીચ ગોત્રનો બંધ થાય છે, પ-બોધિ (સમકિત પ્રામિ) દુર્લભ થાય છે, અને ૬-સંસારની વૃદ્ધિ થાય છે,-એમ છ દોષો થાય છે.” એ પ્રમાણે (પૃ. ૧૨૩માં) ગુરુવંદનની દ્વારગાથામાં જણાવ્યા પ્રમાણે સોલ દ્વારથી ગુરુવન્દનનાં એકસો અઠાણું સ્થાનો (કરણીય) જણાવ્યાં. હવે ગુરુવનસૂત્ર (વાંદણા) ની વ્યાખ્યા કહે છે. ગુરુવંદન (=વાંદણા) સૂત્રનો અર્થ મોટું (દ્વાદશાવર્ત) વન્દન કરવાની ઈચ્છાવાળો (શિષ્ય) સાધુ પહેલાં લઘુવન્દન (ખમાસમણ) પૂર્વક સંડાસા,માજીને બેઠાં બેઠાં જ પૂર્વેજણાવ્યા પ્રમાણે પચીસબોલથી મુક્ષત્તિ અને પચીસ બોલથી શરીર પડિલેહે. તે પછી પરમ વિનયપૂર્વક પોતે મન, વચન અને કાયાથી શુદ્ધ થઈને, ગુરુના આસનથી પોતાના દેહપ્રમાણ ભૂમિ રૂપ સાડા ત્રણ હાથ અવગ્રહની બહાર ઊભો રહીને, “દોરીએ ચઢાવેલું ધનુષ્ય જેમ વાંકુ વળેલું હોય તેમ કેડ ઉપરથી અર્ધશરીરમસ્તક સાથે નમાવીને (કાંઈક નીચો નમીને) અને હાથમાં ઘો-મુક્ષત્તિ લઈને વન્દન કરવા માટે આ પ્રમાણે બોલે— ___इच्छामिखमासमणो वंदिउं जावणिज्जाए निसीहिआए, अणुजाणह मे मिउग्गह, निसीहि । अहो-कार्य જમણા તથા ડાબા પગોને કેડથી નીચે સુધી તથા આગળનો મધ્ય ભાગ – એમ આગળની ત્રણ પ્રમાર્જના, એ જ પ્રમાણે પાછળની ત્રણ પ્રમાર્જના તથા અવગ્રહમાં પ્રવેશ કરતાં ત્રણ વાર જમીન પ્રમાર્જવી એ ત્રણ મળી નવપ્રમાર્જના; વળી જમણા હાથની નીચેની કોણીથી ઉપરનો સંપૂર્ણ હાથ છેક લલાટ સુધી અને એ જ પ્રમાણે ડાબો હાથ લલાટથી નીચેની કોણી સુધી – એમ બે હાથની બે મળી અગીઆર પ્રમાર્જના; ઢીંચણ ઉપર મુહપત્તિ મૂક્તાં સાધુને ત્રણ વખત ઢીંચણની પ્રમાર્જના; અને ઓઘા ઉપર ગુરુચરણની ધારણા કરી ત્રણ વખત ઓઘાની પ્રમાર્જના; એમ કુલ સત્તર પ્રાર્થના થાય છે. ગૃહસ્થને, ઢીંચણને બદલે કટાસણા કે ચરવળા ઉપર મુપત્તિ સ્થાપન કરતાં ત્રણ પ્રમાર્જના અને અવગ્રહની બહાર નીકળતાં ત્રણ પ્રમાર્જના એમ સત્તર પ્રમાર્જના કહી છે. આ વિષયમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા ઉલ્લેખો મળે છે, માટે બહુશ્રુતો જે કહે તે પ્રમાણ કરવું.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy