SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવંદન અધિકાર (134) શ્રાદ્ધદિનકૃત્ય કહેવાય છે. એવન્દનમાં બે વાર એ પ્રમાણે કરવું તે બે “અવનત જાણવાં. ‘વથાગત” એટલે ‘જન્મની જેમ.' તેનો ભાવાર્થ એ છે કે-જન્મ બે પ્રકારે ગણાય છે. એક માતાની કુક્ષિથી નીકળવું તે મનુષ્ય રૂપે પહેલો જન્મ અને સંસાર-માયા રૂપી સ્ત્રીની કુક્ષિથી નીકળીને સાધુ બનવું તે દીક્ષા રૂપે બીજો જન્મ. તે બન્ને જન્મ વખતે જેવી આકૃતિઓ હોય તેવી આકૃતિઓ ગુરુવન્દન વખતે પણ કરવી; અર્થાત્ જેમ જન્મ વખતે બે હાથ મસ્તકે લાગેલા હોય છે, તેમ વન્દન વખતે પણ બે હાથ મસ્તકે લગાડવારૂપ કરસંપુટઅંજલિ કરવી અને જેમ દીક્ષારૂપ જન્મ વખતે ‘ચોલપટ્ટો-ઓઘો અને મુપત્તિ' એ ત્રણ જ ઉપકરણો હોય છેતે સિવાય બીજું હોતું નથી, તેમ ગુરુવન્દનમાં પણ ત્રણ ઉપકરણો જ રાખવાં. આને યથાજાત’ કહેવાય છે. આ હેતુથી રજોહરણાદિને પણ કોઈ કોઈ શાસ્ત્રમાં યથાજાત' નામથી ઓળખાવ્યાં છે. તે માટે કહ્યું છે કે पंच अहाजायाई, चोलपट्टो तहेव रयहरणं । forગ-વોમિન-નિસિઝ-ગુબત્ત તહય મુરારી II II ભાવાર્થ-“પાંચ (ઉપકરણો) યથાજાત છે. તેમાં એક ચોલપટ્ટો (કટિવસ્ત્ર), બીજું રજોહરણ (ઓશો), ત્રીજું ઊનનું તથા ચોથું સુતરાઉ એમ બે નિષધા (કે જે હાલમાં ઓઘા ઉપર વિંટાય છે તે સુતરાઉ નિશથિયું અને ઊનનું ઓઘારીયું) અને પાંચમી મુખવસ્ત્રિકા.” અથ–ચોલપટ્ટો, રજોહરણ અને મુક્ષત્તિ એ ત્રણનું નામ યથાકાત છે. અહીં જેવી રીતિએ જન્મ્યો તેયથાજાત’ કહેવાય અને યથાજાત' રૂપથઈને વન્દન કરે માટેતેવદનને પણ યથાકાત કહેવાય. એમ (વન્દનનો પાઠ બોલતાં મસ્તકે હાથની અંજલિ તથા એ ત્રણ ઉપકરણો સિવાય બાકી ઓઢવા વિગેરેનો ત્યાગ કરવારૂપ) બે વખતના વન્દનનું ભેગું “એક યથાજાત’ આવશ્યક જાણવું. ગુરુવન્દન કરતાં, ગુરુના ચરણોમાં તથા પોતાના મસ્તકે હાથ લગાડવારૂપકાયાની ચેષ્ટાકરવી, તે ‘આવત કહેવાય છે. આવાં બાર આવર્તો ‘મહોયં શ્રેય અને નામે!ઝળનું રમે એ પદો બોલતી વખતે કરાય છે. તેમાં પહેલાં ત્રણ આવ બલ્બ અક્ષરોનાં છે, માટે તેમાંનો પહેલો અક્ષર બોલતાં બે હાથની હથેલીઓ ઊંધી કરીને દશેય આંગળીયો ગુરુના ચરણે (ઓઘા ઉપર કે ચરવળા-મુહપત્તિ ઉપર) સ્થાપવી અને બીજો અક્ષર બોલતાં બે હથેલીઓ સાથે દશેય આંગળીયો સવળી (મુખ સન્મુખ) કરીને લલાટે સ્થાપવી. એમ મ+હો” એ બે અક્ષરોના ઉચ્ચાર વખતે એક આવર્ત થાય. વળ્યું એ બે અક્ષરો બોલતાં પણ એ જ પ્રમાણે બે હથેલીઓઆંગળીઓ ગુરુચરણે અને મસ્તકે લગાડવાથી બીજું આવર્ત થાય અને I+” એ બે અક્ષરો બોલતાં પણ તે જ પ્રમાણે ત્રીજું આવર્ત થાય. આ ત્રણેય આવર્તાર્યા પછી સા’ પાઠ બોલતાં ગુરુચરણે (ઓઘા ઉપર) મસ્તકને લગાડવું (લલાટથી સ્પર્શ કરવો), તે પછી ‘++મે એ ત્રણે અક્ષરોનું ચોથું આવર્ત થાય છે. તેમાં પહેલો અક્ષર બોલતાં પૂર્વની જેમ હથેલીઓ ગુરુચરણે (ઓઘા ઉપર) સ્થાપવી, પછી તરત જ હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતાં વચ્ચે જ બીજો અક્ષર બોલતાં તે સહજ અટકાવવી અને ત્રીજો અક્ષર બોલતી વખતે તે લલાટે લગાડવી; એમ આ ત્રણ અક્ષરોનું ચોથું આવર્ત થાય છે. એ જ પ્રમાણે પાંચમા આવર્તમાં ‘ન++fr” એ ત્રણ અક્ષરોના ઉચ્ચાર વખતે ચોથા આવર્તની જેમ કરવું અને છઠ્ઠા આવર્તમાં નંગ્ર!' એ ત્રણ અક્ષરો ઉચ્ચારતાં પણ તેમજ કરવું. આ ચોથું પાંચમું અને છઠું-એ ત્રણ આવર્તોત્રણ ત્રણ અક્ષરોના ઉચ્ચારવાળાં છે. પહેલાં ત્રણ અને પછીનાં ત્રણ આવર્તામાં એટલું વિશેષ છેકે – પછીના ત્રણમાં વચ્ચેનો અક્ષરબોલતાંલલાટ તરફ આ પચીસ આવશ્યકોનું વર્ણન સ્પષ્ટ સમજાય તે માટે ગ્રંથમાં છે તેના કરતાં અહીં કાંઇક વિસ્તારથી લખ્યું છે.
SR No.005719
Book TitleShraddhdinkrutya
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2001
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy