________________
( 119 )
શ્રાદ્ધદિનકૃત્ય
નવમું વંદન દ્વાર છે એમ ચિંતવવું. હૃદયમાં (છાતીમાં) તિલક કરતાં આ હદય તારું જ ધ્યાન કરવા માટે છે એમ ચિંતવવું નાભિમાં તિલક કરતાં આ નાભિચમાં સદા તારો જ વાસ હો એમ ચિંતવવું.
કેટલાક બહુજનાનું તિલક કરે છે. તે બરોબર નથી. તિલક થોડે દૂરથી બીજાઓ જોઇ શકે તેવું મોટું હોવું જોઇએ. શ્રાવક માટે વિધિ છે કે રસ્તામાં સાધર્મિક મળે તો પ્રણામ કરે તિલક મોટું હોય તો ઝટ નજરમાં આવી જાય અને આ સાધર્મિક છે એમ જાણીને પ્રણામ આદિ કરીને સાધર્મિકનો આદર થઇ શકે.
જેવી રીતે સધવા સ્ત્રીના લલાટે રહેલ તિલક તેના સૌભાગ્યને સૂચવે છે, તેમ શ્રાવકના મસ્તકે રહેલ તિલક તેના સૌભાગ્યને સૂચવે છે. કારણકે મસ્તકે ભગવાનની આજ્ઞા ચઢાવવાથી તેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે તેનું જ સૌભાગ્ય સાચું છે.
પૂજાનો સમય પ્રશ્ન:- પૂજા ક્યારે કરવી જોઇએ?
ઉત્તર - સવાર, બપોર અને સાંજ એમ ત્રિકાળ જિનપૂજા કરવી જોઇએ. તેમાં સવારે વાસક્ષેપ પૂજા કરવી જોઇએ. બપોરે-મધ્યાહ્નકાળે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. સાંજે ધૂપ અને દીપપૂજા કરવી જોઈએ. સવારે વાસક્ષેપ પૂજા અને સાંજે ધૂપ-દીપ પૂજા સ્નાન વિના થઇ શકે છે. અષ્ટપ્રકારી પૂજા સ્નાનપૂર્વક કરવી જોઈએ. કારણ કે અષ્ટપ્રકારી પૂજામાં જલપૂજા, ચંદનપૂજા અને પુષ્પપૂજા આ ત્રણ પૂજા પ્રભુને સ્પર્શીને કરવાની હોય છે. સ્નાનથી શરીરશુદ્ધિ કર્યા વિના પ્રભુને સ્પર્શી શકાય નહીં.
આના ઉપરથી સમજી શકાય છે કે આજે અત્યંત વહેલી સવારે થતી પ્રક્ષાલપૂજા અવિધિવાળી છે. આજે નોકરી-ધંધા વગેરે કારણે સવારના જિનપૂજા કરવી પડતી હોય તો પણ અજવાળું થયા પહેલાં નહિકરવી જોઇએ. લાઈટ વિના પ્રતિમાજી સ્પષ્ટ દેખાય તેવા સમયે પૂજા કરવી જોઈએ. અજવાળું થયા વિના પૂજા કરવામાં પ્રતિમાજી ઉપર રહેલાં પુષ્પોમાં કોઇ જીવ-જંતુ હોય, અથવા પ્રતિમાજી ઉપર કોઈ જીવ-જંતુ હોય તો તેની વિરાધના થાય. પૂજા જયણાપૂર્વક કરવાની છે. અંધારામાંકેલાઇટના પ્રકાશમાં જયણા થઈ શકે નહીં. આથી સંઘમાં સ્પષ્ટ અજવાળું થયા પછી જ પ્રક્ષાલપૂજા કરવાનો નિયમ હોવો જોઇએ. અનિવાર્યકારણે કોઇને વહેલી પૂજા કરવી પડે તો તે એક નાના પ્રતિમાજી એક બાજુ પધરાવી પ્રક્ષાલપૂજા વગેરે કરે એ અપવાદરૂપ ગણાય.
પ્રાત:, મધ્યાહ્ન અને સાયંકાલ એ ત્રણ સંધ્યાવખતે જિનપૂજા કરવાનું જે વિધાન છે તે ઉત્સર્ગથી છે. અપવાદથી તો પોતાની આજીવિકામાં વિરોધ ન આવે તે રીતે પોતાને જે કાલ અનુકૂળ હોય તે કાળ સમજવો. - (પૂજા પંચાશક.)
પૂજા સંબંધી કેટલાક પ્રશ્નોત્તરી પ્રશ્ન:- ભગવાનની ફણાની પૂજા કર્યા પછી તે જ કેશરથી બીજા ભગવાનની પૂજા કરી શકાય?
ઉત્તરઃ માત્ર નવ અંગેજ પૂજા કરવાની હોવાથી ફણાની પૂજા કરવાની જરૂર નથી. આમ છતાં ફણાની પૂજા કરી હોય તો ફણા ભગવાનનું અંગ હોવાથી તે જ કેશરથી બીજા ભગવાનની પૂજા કરી શકાય.
પ્રશ્ન:- નાવપૂજા કે બીજી મોટી પૂજા ભણાવવી હોય ત્યારે ક્યાં ભગવાન જોઈએ?
ઉત્તર :- પહેલા નંબરમાં પંચતીર્થી પ્રતિમા જોઇએ. જો તે શક્ય ન બને તો ૨૪ જિનેશ્વરમાંથી કોઈપણ જિનની પ્રતિમા સમક્ષ સ્નાત્રપૂજા કે બીજી મોટી પૂજા ભણાવી શકાય. જેમકે કોઈ ગામમાં પંચતીર્થી સિવાયની