________________
નવમું વંદન દ્વાર
114
શ્રાદ્ધદિનકૃત્ય.
તે વખતે કાયદો હતો કે વાઈસરોય આવે ત્યારે ભારતના રજવાડાના રાજવીઓએ વાઈસરોયને સન્માન આપવા જવું પડે. પાછા જતી વખતે વાઈસરોયને પુંઠ ન પડે એ માટે પાછા પગે ચાલીને જવું પડે. વડોદરા ગાયકવાડના રાજવીએ આ કાયદાનો અનાદર ર્યો. આથી તેના રાજ્યનો અનુમ નંબર બીજો હતો તેના બદલે ત્રીજો થયો. પહેલો નંબર નિઝામ રાજ્યનો હતો, બીજો નંબર વડોદરા ગાયક્વાડનો હતો, અને ત્રીજો નંબર મૈસુરનો હતો. હવે વડોદરા ગાયકવાડનો ત્રીજો નંબર થયો. જો આ પ્રમાણે લોકવ્યવહારમાં પણ મોટા ગણાતાની મર્યાદા જાળવવી પડે તો ત્રિલોકના નાથની મર્યાદા તો સારી રીતે જાળવવી જોઈએ.
જો નીકળતી વખતે મંદિરમાં પ્રવેશવાના દરવાજે બહાર નીકળવાના બદલે જમણી કે ડાબી તરફના દરવાજાથી બહાર નીકળવામાં આવે તો પ્રભુજીને પુંઠ થવાનો જરાય પ્રસંગ ન આવે.
અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય જળપૂજા આત્મામાં અનાદિકાળથી રહેલક્ષ્મરૂપમલદૂર કરવા કરવાની છે. ભગવાનને જળનો અભિષેકર પ્રક્ષાલ કરતાં કરતાં “જળથી જેમ શરીરનો મેલ દૂર થાય છે, તેમ જિનની જળપૂજાથી મારા આત્માનો કર્મ-મેલ દૂર થાઓ” એવી ભાવના ભાવવાની છે. ચંદનપૂજાક્ષાયોની ગરમી દૂર થાય અને આત્મા ક્ષમાદિ ગુણોથી શીતલ બને એ માટે કરવાની છે. ચંદનપૂજા કરતી વખતે “જેમ ચંદનથી શરીરમાં ગરમી દૂર થાય છે અને શીતળતા આવે છે, તેમ જિનની ચંદનપૂજાથી મારા આત્મામાં કષાયરૂપ અગ્નિ દૂર થાઓ અને સમાદિ ગુણો રૂપી શીતળતા પ્રસરો” એવી ભાવના ભાવવી જોઇએ. પુષ્પપૂજા આત્માસુગુણોથી સુવાસિત બને એ માટે કરવાની છે. ભગવાનનાં અંગે પુષ્પો ચડાવતાં “જેમ પુષ્પોથી ચોતરફ સુવાસ પ્રસરે છે તેમ જિનની પુષ્પપૂજાથી મારા આત્મામાં સુગુણો રૂપ સુવાસ પ્રસરો” એવી ભાવના ભાવવી જોઇએ. ધૂપપૂજાનો હેતુ મિથ્યાત્વને દૂર કરવાનો છે. ભગવાન સમક્ષ ધૂપ ઉવેખતાં “જેમ ધૂપથી દુર્ગધ દૂર થાય છે અને સુગંધ પ્રસરે છે, તેમ જિનની ધૂપપૂજાથી મારામાં મિથ્યાત્વરૂપ દુર્ગધ દૂર થઇને સમ્યગ્દર્શનરૂપસુગંધ વિસ્તરો.” એવું ચિંતન કરવું જોઇએ. દીપક પૂજામાં કેવળજ્ઞાનરૂપદીપક પ્રગટે એ હેતુ છે. દીપપૂજા કરતાં “જેમ દીપકથી પ્રકાશ ફેલાય છે તેમ જિનનીદીપપૂજાથી મારા આત્મામાં અજ્ઞાનરૂપ અંધકાર દૂર થાય અને કેવળજ્ઞાનરૂપ પ્રકાશ પ્રસરો” એવી ભાવના ભાવવી જોઈએ.
અક્ષત પૂજામાં પહેલાં ચોખાનો સાથિયો, પછી તેની ઉપર લાઇનમાં ચોખાની ત્રણ ઢગલી, પછી તેની ઉપર અર્ધ ચંદ્રાકાર, પછી અર્ધ ચંદ્રાકારના મધ્યમાં ચોખાની એક ઢગલી કરવામાં આવે છે. આમ કરવામાં ઘણો જ સુંદર હેતુ રહેલો છે. સાથિયાના ચાર વિભાગથી દુઃખમય સંસારની ચાર ગતિઓને યાદ કરીને તેમાંથી છૂટવાની ભાવના રાખવાની છે. ચાર ગતિમાંથી છૂટવા દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણની આરાધના કરવી જોઇએ. એ ત્રણની પ્રાપ્તિ થાય એ ભાવનાથી સાથિયા ઉપર ચોખાની ત્રણ ઢગલી કરવાની છે. સમ્યગ્દર્શન આદિ ત્રણની આરાધનાથી આત્મા સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધશિલાની ઉપર લોકના અગ્રભાગે જાય છે, એ દર્શાવવા ચોખાથી અર્ધ ચંદ્રાકાર અને તેની ઉપર એક ઢગલી કરવામાં આવે છે. સિદ્ધશિલાનો આકાર અર્ધ ચંદ્ર જેવો હોય છે. નૈવેદ્યપૂજામાં અણાહારી (મોક્ષ) પદની પ્રાપ્તિનો હેતુ છે. સાથિયા ઉપર નૈવેદ્ય મૂકીને નૈવેદ્ય પૂજા કરવી. ભગવાન સમક્ષનૈવેદ્ય ધરતી વખતે “નૈવેદ્યપૂજાથી મને મોક્ષપદની પ્રાપ્તિ થાઓ.” એવી ભાવનાભાવવી જોઇએ. અર્ધચંદ્રાકાર ઉપર રહેલી ઢગલી ઉપર ફળ મૂકીને ફળપૂજા કરવી. ફળપૂજા મોક્ષરૂપફળ મેળવવાના આશયથી કરવાની છે. મોક્ષ ત્યાગથી મળે છે. આથી જેનાથી પરિણામે મોક્ષ મળે એવા ત્યાગની માગણી સાથે ભગવાન સમક્ષ ફળો મૂકવા જોઈએ.