________________
પધ્ધતિ
:
પૂર્વપરિચય
ભરત-બાહુબલિના ઘમસાણ યુદ્ધનો પ્રારંભ થયો. લોહીની નદીઓ ઊભરાઈ. કપાયેલાં માથાંવાળા સુભટોનાં ઘડો લડવા લાગ્યાં. તેનાથી એ પ્રમાણિત થાય છે કે માનસિક આવેશ જડ શરીરને પણ કેટલો પ્રેરિત કરી શકે છે. ભરતની સેનાનો સેનાપતિ સુષેણ અને બાહુબલિનો સેનાપતિ સિંહરથ પોતપોતાની સેનાના સુભટોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
સુષેણની સામે કોઈ ટકી શકતું નથી. બાહુબલિની સેનામાં ભાગતોડ મચી ગઈ. એટલામાં બાહુબલિની સેનાના પક્ષકાર અનિલગ વિદ્યાધરે ભયંકર આક્રમણ શરૂ કર્યું. અનિલવેગે સુષેણનાં ધનુષ્યબાણ તોડી નાખ્યાં. ક્રોધિત બનેલા સુષેણે સિંહરથ પર આક્રમણ કર્યું. બન્ને સેનાપતિઓનું પરસ્પરનું ભયંકર યુદ્ધ સૂર્યથી પણ જોઈ શકાયું નહીં, અર્થાત્ સૂર્ય અસ્ત થઈ ગયો. યુદ્ધ બંધ થયું.
બીજા દિવસની રણભૂમિમાં સિહરથના તીવ્ર પ્રહારોથી સુષણને રણભૂમિમાંથી ભાગી છૂટવું પડ્યું. રણભૂમિમાં હાહાકાર મચાવનાર અનિલગ વિદ્યાધર પર ભરત ચક્રવર્તીએ પોતાનું ચક્રરત્ન ફેંક્યું. તેમાંથી બચવા માટે અનિલગ રણભૂમિમાંથી ભાગીને વિદ્યાશક્તિથી વજમય પાંજરું બનાવીને પોતે પોપટની જેમ છુપાઈ ગયો. ત્યારે ચકે બિલાડાનું રૂપ કરીને તે અનિલવેગ રૂપી પોપટની ડોક મરડી નાખી, અર્થાત્ અનિલવેગ મરાયો. બાહુબલિની સેનામાં સોપો પડી ગયો. બાહુબલિના સુભટોનાં લોહી ઊકળી ઊઠ્યાં. તેઓ સો ગણા ઉત્સાહથી લડવા લાગ્યા. ચક્રવર્તાની સેનાને તૃણની જેમ કાપવા લાગ્યા અને પરાક્રમી વીર રત્નારિએ જોતજોતામાં તો ચક્રવર્તાની સેનાને ઘમરોળી નાખી. ચક્રવર્તીની સેનામાં નાસભાગ મચી ગઈ. ચક્રવર્તીનો યશસ્વી વીર વિદ્યાધર રાજા મહેન્દ્રએ રત્નારિના મસ્તકના ટુકડેટુકડા કરી નાખ્યા. બીજા દિવસનો સૂર્ય અસ્ત થયો. સૈનિકો પોતપોતાની શિબિરમાં ચાલ્યા ગયા.
સેનાપતિ સુષેણે ભરત મહારાજાને કહ્યું: “હે રાજન! આપના પુત્રો બંધુજનો પ્રત્યેના દાક્ષિણ્યથી યુદ્ધમાં વીરરસ બતાવતા નથી, પરંતુ તે ક્ષત્રિયો માટે ઉચિત નથી. તેનાંથી આપનો પરાજય થશે તે આપના માટે લજ્જાસ્પદ છે. સુષેણની વાણીથી ચક્રવર્તીના પુત્રો પોતપોતાના પરનો આક્ષેપ અસહ્ય લાગવાથી તે બધા યુદ્ધ માટે પ્રોત્સાહિત બની ગયા.
બીજા દિવસના સૂર્યોદયની સાથે યુદ્ધનો પ્રારંભ થયો. બાહુબલિના સગતિ અને મિતકેતુ બન્ને વિદ્યાધરોને ચક્રવર્તીના પુત્ર શાર્દૂલ અને સૂર્યયશાએ મારી નાખ્યા. બન્ને વિદ્યાધર વીરોના વધથી ક્રોધિત બનેલા બાહુબલિએ ભયંકર સિંહનાદ કર્યો. એ સિંહનાદ સાંભળીને ચક્રવર્તીના સવા કરોડ પુત્રો રણભૂમિમાંથી પલાયન થઈ ગયા.
હવે સૂર્યયશા અને બાહુબલિ બન્ને સામસામે આવી ગયા. દેવો પણ કંપી ઊઠ્યા. તે વગેરે યુદ્ધનું વર્ણન પંદરમા સર્ગમાં ગ્રંથકાર વિસ્તારથી બતાવશે.
धनुर्व्यः कृतहस्तानां', टङ्कारा निर्ययुस्तराम् ।
सैन्यसम्भारविण्णाया, हुङ्कारा इव युद्भुवः ।।१।। ૧. વૃng - હોંશીયાર તીરંદાજા (તહસ્તક છાપુ:- મિરૂ ૪૩૬)
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૨૦૬