SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ एकोप्यजय्यो युधि चैष राजा, भटैः किमेभिः परिवारितोऽयम् । विलोकनीयो न दृशापि तिग्ममरीचिवद्वासरयौवनान्तः ||५८।। યુદ્ધમાં આ રાજા એકલો જ અજેય છે. જ્યારે સુભટથી પરિવરેલા હોય ત્યારે તો શું વાત કરવી? તીણ કિરણવાળો સૂર્ય આંખોથી જોઈ શકાતો નથી, જ્યારે મધ્યાહ્ન સમયે તો તેને દેખવાની વાત જ શું કરવી ! इत्युक्तवन्तं मगधक्षितीशमुपेक्ष्य सैन्याधिपतिः सुषेणः । क्ष्मेन्दोर्युगान्ताब्द इव व्यमुञ्चत्, वेडां परप्राणहरीमनीके ||५९।। મંગલપાઠકના અગ્રણી બૃહસ્પતિએ આ પ્રમાણે શત્રુસેનાના સુભટોની પ્રશસ્તિ કરી. તરત જ તેની ઉપેક્ષા કરીને સેનાપતિ સુષેણે ચક્રવર્તીની સેનામાં પ્રલયકાલીન મેઘના જેવો અને શત્રુઓના પ્રાણને હરી લે તેવો ભયંકર સિંહનાદ કર્યો. प्रादुर्बभूवुर्युगपत्तदैव, पञ्चास्यनादा भटसानुमद्भ्यः | नितान्तसंभ्रान्तिकराधिकारा, गर्जेर्विरावा इव वारिदेभ्यः ||६०।। .. એ દિવસે સુભટોરૂપી પર્વતોએ પણ એકીસાથે સિંહનાદ કર્યો. એ સિંહનાદથી અત્યંત ભયંકર . ગર્જના કરતાં વાદળોના જેવો ભયંકર ગર્જારવ થયો. ससंभ्रमं विश्वमपीह विश्वं, बभूव विश्वापि चलाचलेयम् । दिक्कुञ्जरास्त्रासमुपेत्य तस्थुश्चित्रामेलीला इव सर्वतोऽपि ||६१।। उज्जागरा मन्दरकन्दरस्था, द्राक् किन्नराः पाणिनिमील्यनेत्राः । बभूवुरत्यजकाः स्त्रियोऽपि, तैः सिंहनादैर्भटकुञ्जराणाम् ||६२।। આવા પ્રકારના સિંહનાદથી ચરાચરથી ભરેલું સમસ્ત વિશ્વ વ્યાકુળ બની ગયું. સમસ્ત જગત ત્રાસી ગયું. દિગ્ગજો પણ ત્રાસીને ચિત્રમાં ચીતરેલા હોય એમ સ્તબ્ધ બની ગયા. પર્વતોની ગુફાઓમાં નિરાંતે સૂતેલા કિન્નરો પણ જાગી ગયા ને આંખો બંધ કરીને બેસી ગયા. સ્ત્રીઓ પણ પોતાનાં બાળકોને દૂર ખસેડીને ભયભીત બનીને બેસી ગઈ. टंकाररावा भटचापकोटिकोटिभ्य एताः प्रथिमानमुच्चैः । कल्पान्तकालाम्बुधिगर्जिभीमा, दिक्कुञ्जकुक्षिभरयः प्रसस्नुः ।।३।। કરોડો સુભટોના કરોડો ઘનુષ્યના ટંકારવના અવાજો દૂર દૂર સુધી પ્રસરી ગયા. તે જાણે પ્રલયકાળના સમુદ્રની ગર્જના જેવો ભયંકર અવાજ દિશાઓના ખૂણે ખૂણે પ્રસરી રહ્યો હતો. આ इतः स्वयं तक्षशिलाधिपोऽपि, भ्रातुः सुतान् वेदयितुं सुतानाम् । भूसंज्ञयाऽपृच्छदमात्यधुर्य, सुमन्त्रनामानमनामिताङ्गः ||६४।। આ બાજુ તક્ષશિલાના અધિપતિ બાહુબલિ ઉન્નત મસ્તક રાખીને પોતાના પુત્રોને ભાઈના પુત્રોનો પરિચય કરાવવા માટે ભૂસંજ્ઞા (ઇશારા)થી પોતાના પ્રધાનમંત્રી સુમંત્રને પૂછ્યું : १. वासरयौवनान्त:-वासरस्य यौवन-मध्यान्हं, तस्य अन्तर-मध्यः । . શ્રી ભરતબાહુબલિ મહાક્તવ્યમ્ ૦ ૨૦૨
SR No.005718
Book TitleBharat Bahubali Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year2000
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy