________________
कैतकेन रजसा तदा वनं, ज्योम्नि मारुतविवर्तितेन च ।
अस्य मूर्धनि निजं सितप्रभं, छत्रमादधदिव व्यराजत ||५||
સ્ત્રીઓની સાથે વનવિહાર કરતા મહારાજા ભરતની બન્ને બાજુ વિકસ્વર ક૨વીનાં પુષ્પોથી યુક્ત અને પવનથી મંદ-મંદ હાલતી લતાનાં પાદડાં વડે ઉપવન જાણે ચામર વીંઝી રહ્યું ના હોય ! વળી પવનથી પ્રેરાઈને આકાશમાં ફેલાયેલાં શ્વેત-કેતકીપુષ્પોથી પરાગ જાણે મહારાજા ભરતના મસ્તક પર છત્ર ધારણ કરી રહ્યો ના હોય !
वातवेल्लिततरुप्रपातिभिः प्राभृतं नरपतेः फलैर्वनम् ।
संततान खलु नेदृशाः क्वचित्, स्युश्चराचरविलङ्घ्यताजुषः ||६||
ચરાચર જગતમાં ભરત ચક્રવર્તી જેવી મહાન વ્યક્તિની મર્યાદાનું કચારે પણ ઉલ્લંઘન કરવું ના જોઈએ, એમ માનીને (ઉપવન) પ્રચંડ પવનના આધાતે વૃક્ષો પરથી પડી ગયેલાં ફળો વડે જાણે રાજાને ભેટણું કરતું ના હોય !
कामिनीकुचघटीविघट्टनैर्मन्थरो मिलितवक्त्रसौरभः ।
तं निषिक्तवसुधाङ्गसङ्गतोऽमूमुदत् प्रमदकाननानिलः ।।७।।
વનવિહાર કરતી સ્ત્રીઓના સ્તનરૂપી કળશોના અથડાવાથી મંદ, તાંબુલ ખાતી સ્ત્રીઓના મુખમાંથી નીકળતી સૌરભથી સુવાસિત અને જલછંટકાવ કરેલી ભૂમિના સ્પર્શથી શીતળ - એમ ત્રણ પ્રકારે ઉપવનનો મંદ-સુગંધ અને શીતલ પવન મહારાજા ભરતને આનંદ આપતો હતો.
अस्मदृद्धिपरिवर्द्धके रवौ, मैष कुप्यतु रसातिसर्जनात्' ।
छायया रविमहो निवारितं, संजदऽस्य शिरसीति शाखिभिः ||८||
નિરંતર જલવર્ષાથી અમારાં ફળ, પુષ્પ આદિની વૃદ્ધિ કરનાર ઉપકારી સૂર્યદેવ પર ભરત રાજા કોપાયમાન ના થાઓ ! આમ વિચારીને જાણે વૃક્ષોએ પોતાની શાખાઓ વડે મહારાજા ભરતના મસ્તક ઉપર પડતા આતપ (તડકા)નું નિવારણ કર્યું.
षट्पदाञ्जनभरं लतालयः २, सविधाय सुमलोचनेषु च ।
वल्लभा इव मुदं ददुस्तरां, तस्य संविहरतो वनान्तरे ।।९।।
વૃક્ષોની લતાઓ પુષ્પોરૂપી નયનોમાં ભ્રમરૂપી અંજન આંજીને વનવિહાર કરી રહેલા મહારાજા ભરતને પ્રિયની જેમ અત્યંત આનંદ આપતી હતી.
मत्तभृङ्गरुतशिञ्जिनीरवं, पुष्पचापमधिरोप्य मन्मयम् ।
संतोष स निजानुहारिणं, वीक्ष्य काननगतं जयावहम् ।।१०।।
-બેહૂબ પોતાના સરખા રૂપરંગનું અનુકરણ કરનારા જગતવિજેતા કામદેવ, પુષ્પના ધનુષ્યનું આરોપણ કરીને રસલોલુપી ભ્રમરોના ગુંજારવ રૂપી જયનાદથી ઉપવનને ગજવતા જોઈને મહારાજા ભરત અત્યંત સંતુષ્ટ થયા.
૧. રસાતિસર્વનાત્-પાનીયવર્ષળાત્ ।
૨. તાજયઃ-નતાનાં આાજયઃ-પંયઃ ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૫