________________
૨/૨૮. પરામર્શ.... તે સૂત્રરચનાને પ્રયત્નોત્તર = અન્ય પ્રયત્ન ન કહેવાય. (૨/૨૮)
પિરામર્શ
A. સમર્થ પવિધ: (૭-૪-૧૨૨) પરિભાષાનો વિસ્તાર પ્રસ્તુત ન્યાય છે, એમ ન્યા. મં. ટીકામાં કહ્યું છે. તેનો કહેવાનો ભાવ એ છે કે, સમર્થ: પવિધિ: (૭-૪-૧૧૨) પરિભાષાથી તમામ સમાસાદિ - પદવિધિ સમર્થપદને આશ્રિત જ થાય છે. “સમર્થ એવો જ પદવિધિ થાય' એમ કહેવાથી અસમર્થ પદોના સમાસાદિપદવિધિનો નિષેધ પણ જણાય છે. આ સમર્થ પદોનું - સમાસાદિ પદવિધિના કારણભૂત એવું - સામર્થ્ય = સમર્થપણું બે પ્રકારે છે. ૧. વ્યાપેક્ષા સામર્થ્ય અને ૨. એકાથભાવ સામર્થ્ય. તેમાં (૧) એક વાક્યમાં જુદાં જુદાં પદો વચ્ચે પરસ્પર આકાંક્ષા હોવી, તે વ્યાપેક્ષા સામર્થ્ય કહેવાય. આવું સામર્થ્ય વાક્યમાં હોય છે. અને (૨) જેમાં પ્રધાન અર્થનું ઉપાદાન કરવા વડે પદો પોતાના અર્થને (સ્વાર્થને) ગૌણ બનાવીને સ્વપરરૂપ બે અર્થનું અભધાન કરે, અથવા સ્વાર્થનો વિલોપ કરીને સમાસ વગેરે રૂપ પર - અર્થનું અભિધાન કરે, તે એકાથભાવ સામર્થ્ય કહેવાય. આ સમાસમાં હોય છે. આની અહિ જરૂર નથી.
. પરંતુ વાક્યમાં જે પદોનું પરસ્પર આકાંક્ષારૂપ વ્યાપેક્ષા - સામર્થ્ય છે, ત્યાં પદોનો સમાસ પ્રાપ્ત થાય છે. આમ હોયને જ્ઞ: પુરુષ: | વગેરેમાં પણ વ્યાપેક્ષા સામર્થ્ય હોયને રીનનું અને પુરુષ પદના સમાસની પ્રાપ્તિ છે, જે ઈષ્ટ નથી. તેથી આ ન્યાય વડે અન્યપદને સાપેક્ષ = સાકાંક્ષ એવા પદોનું જે વ્યપેક્ષા = પરસ્પર આકાંક્ષારૂપ સામર્થ્ય છે - તેનો મસમર્થન્ એવા વચનથી નિષેધ કરાય છે. અર્થાત સાપેક્ષપદોનું સમાસ માટે અસામર્થ્ય જણાવાય છે. આથી શ્રદ્ધચ રાજ્ઞ: પુરુષ: / સ્થળે રા: પદ એ અન્ય પદને સાપેક્ષ હોયને આ ન્યાયથી સામર્થ્યનો નિષેધ થવાથી સમાસ થવાની આપત્તિ નહિ આવે. અને આ રીતે વ્યાપેક્ષા - સામર્થ્યની અતિવ્યાપ્તિ થતી હોવાથી અનિષ્ટ પ્રયોગ (સમાસ) થઈ જવાની સંભાવના હોતે છતે અન્ય પદને સાપેક્ષ એવા ગૌણનામના સમાસનો નિષેધ કરવા માટે તેવા સાપેક્ષ નામના સામર્થ્યનો અભાવ હોવાનું જણાવવા દ્વારા પ્રસ્તુત સાપેક્ષમસમર્થન | ન્યાય વડે સમર્થ: પવધ: (૭-૪-૧૨૨) રૂપ પરિભાષાનો જ અર્થ વધુ સ્પષ્ટ = વધુ સૂક્ષ્મ કરતો હોયને તેના પ્રપંચરૂપે જે આ ન્યાયને કહેલો છે, તે ઉચિત | સંગત જ જણાય છે.
પરામર્શ :- B. તેવાણ તાસર્ણ માર્યો તિ, તેવદ્રત્તર્ણ તાસકાર્યો ! એ પ્રમાણે તેવત્તા પદને સાપેક્ષ એવા સાત પદનો સમાસ થયો છે. તેથી આ ન્યાયની અનિત્યતા જણાય છે. પરંતુ આ ન્યાયની અનિત્યતા પણ ચોક્કસ વિષયમાં જ થાય છે - (અથવા ચોક્કસ હેતુથી થાય છે કે તે જાણવું ઉપયોગી છે.
તે આ રીતે - સમર્થ: પવિધ: (૭-૪-૧૨૨) સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં આ જ ન્યાયનો અર્થ જુદા શબ્દોમાં કહેલ છે. વાક્યવસ્થા અને સમાસમાં ચાર તફાવતો કહેલાં છે. તે પૈકી ત્રીજો તફાવત એ છે કે, વાક્ય અવસ્થામાં ઉપસર્જન = ગૌણ પદના વિશેષણનો પ્રયોગ સંભવે છે. જેમકે, શ્રદ્ધ0 રાજ્ઞ: પુરુષ: અહિ રાશઃ રૂ૫ ગણ પદના ત્રટી એવા વિશેષણનો પ્રયોગ થયો છે. જ્યારે સમાસમાં ઉપસર્જનપદના (અપ્રધાનપદના) વિશેષણનો પ્રયોગ થઈ શકતો નથી. જેમકે - નપુરુષ: | અહિ શ્રદ્ધચ એવા પદનો પ્રયોગ થઈ શકે નહિ. આ વિષયમાં પૂર્વ - મહર્ષિઓના વચનનું પ્રામાણ્ય આપતાં કહે છે કે,
= ૩૭૯