SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. હોયને પ્રાપ્તિ જ ન હોય તો નિષેધ કરનાર આ ન્યાયનો ક્યાં અવકાશ રહે ?) અને આથી જ બીજી રીતે આ ન્યાય નિરવકાશ બની જતો હોવાથી (તેના નિરવકાશપણાને દૂર કરવા માટે) નામના ગ્રહણપૂર્વક કહેલ કાર્યની, અવયવના પ્રાધાન્યની વિવક્ષાવડે, તે નામ જેના અંતે હોય તેવા (સમુદિત) નામથી પણ પ્રાપ્તિ છે. આથી તેનો (તદન્તવિધિનો) નિષેધ ક૨વા માટે આ ન્યાય છે. (આ પ્રમાણે પ્રાપ્ત કાર્યનો નિષેધ કરવો એ આ ન્યાયનું પ્રયોજન છે.) જ્ઞાપક :- આ ન્યાયની ઉપપત્તિ કરનાર मालेषिकेष्टिकस्याऽन्तेऽपि જ્ઞાપક છે મારિતૂષિતે (૨-૪-૧૮૨) સૂત્રમાં ‘અન્તેઽપિ' એવું કથન. આ કથન માલમારી । ની જેમ ઉત્પત્તમાનમારી । વગેરે પ્રયોગોમાં પણ માતા શબ્દના ગ ના હ્રસ્વ આદેશની સિદ્ધિ માટે કરેલું છે. અને જો અવયવ પ્રાધાન્યની વિવક્ષાથી મારી વગેરે શબ્દ પર છતાં માતા વગેરેની જેમ ત્વતમાતા વગેરે શબ્દોમાં મૈં કારના હૃસ્વાદેશની પ્રાપ્તિ જ હોય, તો પછી શા માટે સૂત્રમાં ‘અન્તેઽપિ’ એવા અંશનું ગ્રહણ કરે ? અર્થાત્ ન જ કરવું જોઇએ. પરંતુ માતા શબ્દનું નામ ગ્રહણ કરીને હ્રસ્વાદેશનું વિધાન કરેલું હોવાથી આ ન્યાયથી ઉત્પત્તમાતા વગેરે શબ્દોમાં મારી શબ્દ પર છતાં હ્રસ્વાદેશ પ્રાપ્ત થતો નથી. આથી આ ન્યાયથી જ માતા શબ્દનું કાર્ય ઉત્પત્તમાતા શબ્દથી નહિ થાય, એવી શંકા થવાથી માત્તા શબ્દની જેમ ઉત્પન્નમાલા શબ્દના આ નો પણ હ્રસ્વાદેશ કરવા માટે કરેલું અન્તપિ એવું વચન સફળ બનતું હોયને (આ ન્યાય વિના તે સાર્થક ન બનતું હોયને) તે વચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે. અનિત્યતા :- આ ન્યાય તરલ - અનિત્ય છે. આથી દ્વાશ્રય કાવ્યમાં પ્રિયાદૃનોડસાવ!નદ્ધિડન્ના (સર્ગ ૨ શ્લોક - ૬૭) એવા શ્લોકાંશમાં પ્રિયા}ન:, ક્રિસ્સા । આ બે પ્રયોગોમાં સમાસરૂપ સમુદાયના અંતે આવેલાં પણ અમૃન્ શબ્દનો વન્તપાવનાસિાહયાડમૃયુષો ડોર્યછતો વત્પન્નવસન્યુષસુવવોષન્ય∞ન્ વા (૨-૧-૧૦૧) સૂત્રમાં પણ વત્ત વગેરે શબ્દો નામગ્રહણપૂર્વક કહ્યા હોયને આ ન્યાયથી તદન્તવિધિ ન થવો જોઇએ. છતાં આ ન્યાય અનિત્ય બનેલો હોવાથી પૂર્વોક્ત દિલા । પ્રયોગમાં સમાસના અંતે રહેલાં પણ અમૃન્ શબ્દનો સન્ આદેશ થયો છે. – - આ ન્યાયની અનિત્યતાનું જ્ઞાપક છે વાસવિવર્તૌ (૧-૪-૨૬) સૂત્રમાં વત શબ્દ. આ વત શબ્દનું ગ્રહણ પ્રિયઃ સવા યસ્ય તસ્મિન્ (પ્રિયસદ્ધિ ≤િ =) પ્રિયતા, નરપતૌ । વગેરે પ્રયોગોમાં ઙિ (સપ્તમી એ.વ.) પ્રત્યયનો ઔ આદેશ કરવા માટે છે. અને જો આ ન્યાય અનિત્ય ન હોત તો ‘વિપતેરી' એવું સૂત્ર કરવામાં પણ પ્રિયસૌ, નરવતૌ । વગેરે પ્રયોગોમાં ઙિ પ્રત્યયના ઔ આદેશનો નિષેધ થઈ જ જાય છે. કારણકે આ ન્યાયથી સદ્ધિ વગેરે નામના ગ્રહણપૂર્વક જે કાર્ય કહેલ હોય તે કાર્ય, તે નામ જેની અંતે હોય તેવા સમુદાયથી (પ્રિયસદ્ધિ વગેરે સમાસથી) થવાનો નિષેધ કરેલો જ છે. આથી શા માટે વલ શબ્દનો પ્રયોગ કરવો જોઇએ ? અર્થાત્ ન જ કરવો જોઇએ. તેમ છતાં ય જે કરેલો છે, તે આ ન્યાય અનિત્ય હોવાથી જ ઘટતો હોયને આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. ૩૪૪ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy