________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
ઋષિવુમયતિ: ॥ ૪૨૪ ॥ ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- ક્વચિત્ ઉભયની ગતિ = જ્ઞાન અર્થાત્ ગ્રહણ થાય છે. એટલે કે કૃત્રિમ અને અકૃત્રિમ શબ્દના ગ્રહણનો સંભવ હોય ત્યારે બેયનું ગ્રહણ થાય છે.
પ્રયોજન :- પૂર્વન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ પૂર્વન્યાયના આવતાં અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- નાડીતન્ત્રીભ્યાં સ્વાન્ને (૭-૩-૧૮૦) આ ર્ સમાસાંત પ્રત્યય વિધાયક સૂત્રથી વઢ્યો નચો યસ્યાસૌ વદુનાહિ:' ાય: । એ પ્રમાણે વહુતન્ત્રી પ્રીવા । અહિ કૃત્રિમ (પારિભાષિક) સ્વાંગ અર્થમાં રહેલાં નાડી અને તન્ત્રી શબ્દોથી જેમ ર્ સમાસાંતનો નિષેધ થયો, તેમ અકૃત્રિમ સ્વાંગ અર્થમાં વર્તમાન તે બે શબ્દોથી પણ પ્ સમાસાંતનો નિષેધ થાય છે. જેમકે, બઢ્યો નાડ્યો યસ્યાસૌ વહુના િસ્તમ્ય:। વદ્યસ્તન્ત્રો વસ્યા સૌ વહુતન્ત્રી વીળા । (નાડી શબ્દનો સ્વર ોદ્યાને૦ (૨-૪-૯૬) થી હ્રસ્વ થયો છે. જ્યારે તન્ત્રી શબ્દ ઔણાદિક પ્રત્યયથી બનેલો હોવાથી અર્થાત્ નૈ પ્રત્યયાંત ન હોવાથી, તેનો સ્વર પેશ્વાન્તે સૂત્રથી હ્રસ્વ થયો નથી.)
અહિ નાડી અને તન્ત્રી એ અપ્રાણિસ્થ હોવાથી કૃત્રિમ સ્વાંગ નથી. તેમ છતાં પૂર્વોક્ત સૂત્રથી ધ્ નો નિષેધ થયો જ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વોક્ત સૂત્રમાં ‘સ્વાઙ્ગ’ એમ સમાસપૂર્વક કહેવાથી પૂર્વન્યાયથી કૃત્રિમ પારિભાષિક સ્વાંગની જ પ્રાપ્તિ થાય આથી તેમાં જ વ્ ના નિષેધની પ્રાપ્તિ છે. છતાં આ ન્યાયથી અહીં અકૃત્રિમ સ્વાભાવિક - લોકસિદ્ધ સ્વાંગનું પણ ગ્રહણ થવાથી વધુનાહિ: સ્તન્ત્રઃ । વગેરેમા પણ ર્ નિષેધની સિદ્ધ થઈ. પ્રશ્ન :- સ્તમ્બ (ધાન્યાદિનું વૃક્ષ) એ તો એકેન્દ્રિય પ્રાણી છે. માટે બાજુના:િ સ્તમ્ન:। ઘણી નાડીવાળો સ્તંબ ગુચ્છ, એમાં નાડી એ તો પ્રાણિસ્થ છે. અપ્રાણિસ્થ શી રીતે કહેવાય ?
-
ઉત્તર :- પ્રાૌષધિવૃક્ષેમ્યોડવયવે ૪ (૬-૨-૩૧) સૂત્રમાં પ્રાપ્તિ શબ્દના ગ્રહણથી જ ચેતનાવાળું હોવાથી વૃક્ષૌષધિનું પણ ગ્રહણ સિદ્ધ હોવા છતાંય, ઔષધિવૃક્ષનું સૂત્રમાં જુદુ ગ્રહણ કરવા દ્વારા જ્ઞાપન કરેલું છે કે આ વ્યાકરણશાસ્ત્રમાં પ્રાણિના ગ્રહણથી ત્રસ પ્રાણીઓનું જ ગ્રહણ થાય છે, પણ વૃક્ષાદિ સ્થાવર પ્રાણીઓનું (જીવોનું) ગ્રહણ થતું નથી. માટે વજ્જુનાિ સ્તમ્ન:। વગેરેમાં નહિ વગેરે પ્રાણિસ્થ ન હોવાથી કૃત્રિમ સ્વાંગ નથી. તેમ છતાં આ ન્યાયથી તેમાં સ્ નો નિષેધ સિદ્ધ થયો.
જ્ઞાપક ઃ- આ ન્યાયનું વિકાસક = જ્ઞાપક છે, તેવા પ્રકારના પ્રયોગોનું દર્શન જ. અર્થાત્ ત્રિમાકૃત્રિમયો: કૃત્રિમ (૧/૨૩) એ પૂર્વોક્ત ન્યાય હોતે છતે પણ ક્યારેક જે બન્નેય
૨૧૪