________________
વ્યાકરણના જ્ઞાનથી જ થવી શક્ય છે.
દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની વાણીના ૩૫ ગુણો પૈકી કેટલાંક ગુણો આ પ્રમાણે છે. (૧) સંસ્કાર - વાળી વાણી હોય. (૨) ઉચ્ચ સ્વરયુક્ત હોય. (૩) મહાન અર્થવાળી (૪) પૂર્વાપર વાક્યોના વિરોધ રહિત (૫) શિષ્ટ એટલે અભિમત સિદ્ધાંત સૂચક અને વક્તાની શિષ્ટતા સૂચક. (૬) પદો અને વાક્યોની પરસ્પર અપેક્ષાઓ આકાંક્ષાઓથી યુક્ત (૭) વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુકૂળ (૮) અસંબદ્ધ અધિકાર અને અતિ વિસ્તારથી હીન. (૯) બીજાઓના મર્મનો વેધ નહીં કરનારી (૧૦) ઉદાર એટલે કે વક્તવ્ય - અર્થથી પૂર્ણ (૧૧) કારક - કાલ - વચન - લિંગ આદિના વિપર્યય | ઉલટાપણા રૂપ દોષથી રહિત. (૧૨) વર્ણ, પદ અને વાક્યો પૃથક્ - છૂટા છૂટ હોય એવી. (૧૩) વિવક્ષિત અર્થની સમ્યક્ સિદ્ધિ ન થાય ત્યાં સુધી નિરન્તર અર્થપૂર્ણ વચનો વાળી. આ ગુણોનો વિચાર કરાય તો સ્પષ્ટ પ્રતીત થશે કે આમાં વ્યાકરણની વિશારદતા રૂપ ગુણ વિના પૂર્વોક્ત વાણીના ગુણો વિકસિત થવા સંભવિત નથી. આમ ભગવાની વાણીના ગુણોમાં પણ પૂર્વોક્ત ગુણો કેટલાંક વ્યાકરણની વિશારદતાત્મક છે, તો કેટલાંક વ્યાકરણ વિશારદતાથી સાધ્ય ગુણો છે. બેશક, તીર્થંકર ભગવાનના પૂર્વોક્ત ગુણો અતિશયના કારણે લોકોત્તર છે એ જુદી વાત છે.
-
આમ મુક્તિપથના પથિકોએ શાસ્ત્રાધ્યયન માટે અને સત્યવચન - રૂપ બીજા સંવર દ્વારની શુદ્ધિ માટે - પણ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ. નવા શાસ્ત્રનું પ્રણયન / રચન, પૂર્વગ્રથિત શાસ્ત્રનો યથાર્થ બોધ અને હાર્દને પામવા દ્વારા તેનો રસાસ્વાદ માણવો, સુંદર સુઘટિત પ્રયોગો - કૃતિઓની સુચારુતાને માણવી, અપ્રગટ ગ્રંથોનું સંશોધન કરીને પ્રકાશિત કરવા અને પ્રકાશિત ગ્રંથોમાં પણ મુદ્રણ દોષાદિ અશુદ્ધિ હોય તો તેને શુદ્ધ કરીને વાંચવાની ક્ષમતા અને પૂર્વ ગ્રંથિત કઠણ ગ્રંથોના હાર્દને પકડીને સરળ શૈલીમાં તેનો અનુવાદ કરવાની ક્ષમતા - ઈત્યાદિ ગુણો પણ વ્યાકરણના સમ્યગ ્ અવબોધથી પ્રાપ્ત થાય છે.
મૂળ વ્યાકરણ અને પ્રથમા વગેરે પાઠ્ય પુસ્તકો વચ્ચે તફાવત
વર્તમાનકાળમાં પ્રાયઃ બે બુકો - શિવલાલભાઈની કે ભાંડારકરની ભણાવીને જ સંસ્કૃત ભાષાકીય જ્ઞાનથી સંતુષ્ટ કરાય છે. બેશક, તેવો ક્ષયોપશમ અને રૂચિવિશેષ ન હોય તેઓ પૂર્વોક્ત બુકોનો પણ નક્કર અભ્યાસ કરીને શાસ્ત્રાધ્યયન જરૂર કરી શકે છે. પણ અપવાદ વિષયમાં બુકથી સરતું નથી. અપવાદ સૂત્રો વ્યાકરણથી ખ્યાલમાં આવે છે. વ્યાકરણ એક દરિયો છે, તો બુકો તેમાં મળનારી નદી છે. વ્યાકરણ એક મોટું જહાજ છે, તો બુકો એ નૌકા સમાન છે. બન્નેયથી શાસ્ત્રાધ્યયન સમુદ્ર કદાચ પાર થઈ શકશે. પણ તોય બેયમાં સુદૃઢતા, સલામતિ, સચોટતા વગેરે અપેક્ષાએ તફાવત રહેવાનો જ. બુક કરતાં વ્યાકરણના અભ્યાસની અને રૂપસિદ્ધિની પ્રક્રિયા લગભગ ભિન્ન છે. વ્યાકરણ કરનારને સૂત્રાર્થ નિર્ણય અને સાધુનિકા માટે પ્રસ્તુત ન્યાયસંગ્રહ ગ્રંથનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બને છે. વર્તમાનમાં વ્યાકરણોના અભ્યાસ ક્યારેક સફળ શા માટે બનતો નથી ? સૌ પ્રથમ તો વ્યાકરણ ભણનારા ખૂબ અલ્પ છે. અને તેમાં પાર ઉતરનાર એથી ય અલ્પ છે. આ વિષય ગોખવાનો, ખૂબ દીર્ઘ અને કઠણ છે. એટલે કેટલાંક તેમાં ધૈર્ય ખોઈ બેસે છે. વળી આમાં વૈરાગ્યજનક પદાર્થો આવતાં નથી. માટે શ્રમણ સંસ્થા આમાં ખાસ ઝૂકાવતી નથી. કેટલાંક ખાસ પરિચય મેળવવા જ અભ્યાસ કરે છે. તેઓ લઘુવૃત્તિનો - અભ્યાસ માંડ કરે છે. વસ્તુતઃ વ્યાકરણનો બોધ ત્યારે સુદૃઢ, આત્મવિશ્વાસ સંપન્ન
-
૨૪