SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે સકળ શાસ્ત્રોને વિષે વ્યાકરણના બોધ વિના તેવી ગતિ | બોધ વિશેષ થતો નથી. આ વાતની પુષ્ટિ કરતાં પૂર્વોક્ત વૃત્તિમાં જ કહેવું છે કે, वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फलं विदुः । શબ્દશાનાતે તન દયામણુપતે છે ? || વક્નત્વ શક્તિ અને કવિત્વ શક્તિ પ્રાપ્ત થવી એ વિદ્વત્તાનું ફળ કહેલું છે. પણ શબ્દના (વ્યાકરણના) જ્ઞાન વિના તે બન્નેય ઘટતાં નથી | પ્રાપ્ત થતાં નથી. . અન્યત્ર પણ કોઈ વિદ્વાને કહ્યું છે કે, अर्थप्रवृत्ति - तत्त्वानां, शब्दा एव निबन्धनम् । तत्त्वावबोधः शब्दानां, नास्ति व्याकरणं विना ॥ १ ॥ અર્થ | પદાર્થ વિષયક પ્રવૃત્તિના તત્ત્વો | રહસ્યો જાણવા માટે શબ્દો જ કારણભૂત છે. અને શબ્દોનો વાસ્તવિક બોધ વ્યાકરણ વિના થતો નથી. વ્યાકરણનો મોક્ષ સાથે શું સંબંધ છે? શું વ્યાકરણના બોધ વિના મોક્ષ ન થાય ? વ્યાકરણના અધ્યયન કાળ દરમ્યાન આ પ્રશ્ન પૂજ્યપાદ ગુરુદેવશ્રીને પૂછાઈ ગયો. તેઓશ્રીએ કહ્યું કે, મોક્ષ સાથે સંબંધ ન ધરાવે એવી રચના શું આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ કરે ખરા ? વ્યાકરણના બોધથી ક્રમશઃ શાસ્ત્રનો સૂક્ષ્મ બોધ થાય છે, જે મોક્ષનો હેતુ બને છે. અન્યત્ર કહ્યું છે કે, ___ व्याकरणात् पदसिद्धिः पदसिद्धेरर्थनिर्णयो भवति । અર્થાત્ તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનાત્ પર શ્રેયઃ | ૨ | વ્યાકરણના જ્ઞાનથી પદની સિદ્ધિનું જ્ઞાન થાય છે, પદસિદ્ધિના જ્ઞાનથી અર્થનો - પદાર્થનો નિર્ણય થાય છે. અર્થના નિર્ણયથી (હેય - ઉપાદેય આદિગત ઉહાપોહ કરવા દ્વારા) તત્ત્વજ્ઞાન થાય છે અને તત્ત્વજ્ઞાનથી પરમ કલ્યાણ – મોક્ષ થાય છે. - “સિદ્ધિ ચાતા' (૧-૧-૨) સૂત્રનો વાવત્ સિદ્ધિઃ સાત્ ! એવો જે દ્વિતીય અર્થ થાય છે, તે પણ પૂર્વોક્ત હકીકત જ સૂચવે છે. . પ્રશ્ન - વ્યાકરણ” નામના ૧૦માં અંગમાં સત્ય બોલવા - રૂપ બીજા સંવર દ્વારનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, अह केरिसयं पुणाइ सच्चं भासिअव्वं ? जं तं दव्वेहिं पज्जवेहिं य गुणेहिं कम्मेहिं बहुविहेहिं सिप्पेहिं आगमेहि य नामक्खाय - निवाय - उवसग्ग - तद्धिअ - समास - संधि - पद - हेतु - નોાિય - ૩UT$ - વિથિવિરાજ - થાતું - સર - વિત્તિ - વUOT - ગુર્ત તિવત્ત રસવિદ્દે સંગ્લૅન્મ વત્તä 1 (સૂત્ર - ૨૪.) - હે ભગવંત ! કેવું સત્ય બોલવું જોઈએ ? (ભગવંત -) જે દ્રવ્ય, ગુણ, કર્મ, બહુવિધ શિલ્પ તથા આગમથી યુક્ત હોય તથા નામ (વ્યુત્પન્ન કે અવ્યુત્પન્ન), આખ્યાત (ક્રિયાપદ), નિપાત (વ, વા. વગેરે), ઉપસર્ગ (V, પરી, સમ્ વગેરે), તદ્ધિત (મ, રૂ વગેરે પ્રત્યય), સમાસ, સંધિ, પદ (ત્યાઘન્ત શબ્દરૂપ), હેતુ, યૌગિક, ઉણાદિ, ક્રિયાવિધાન (પર્વ: | આદિ કૃત પ્રત્યય વિધિ), ધાતુ (પૂ વગેરે), સ્વર (કારાદિ), વિભક્તિ (પ્રથમા આદિ ૭) અને વર્ણ ( આદિ) થી યુક્ત હોય તેવું ત્રિકાળ – વિષયક દસવિધ સત્ય... બોલવું જોઈએ. આ પ્રમાણે મોક્ષના હેતુભૂત સંવર તત્ત્વનું બીજુ દ્વાર “સત્ય - વચન ની શુદ્ધિ પૂર્વોક્ત રીતે = ૨૩
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy