________________
૧/૧૧. પરામર્શ....
અકર્મકારક સંજ્ઞા આ ન્યાયથી જ સિદ્ધ હોયને જે નૃત્યર્થવ્યેશઃ (૨-૨-૧૧) સૂત્ર કરેલું છે,. તે સિદ્ધ સતિ આમ્મો નિયમાર્થ: (૧/૨૫) ન્યાયથી નિયમ કરવામાં જ વિશ્રામ પામે (ફલિત થાય) છે. હવે જો આ ન્યાયથી વિકલ્પે કર્મકારકની સિદ્ધિ થઈ ન હોય તો મૃત્યર્થ ૦ (૨-૨-૧૧) સૂત્રમાં સિદ્ધે સતિ આરમ્ભો નિયમાર્થ:। એ ન્યાય લાગી ન શકે. આથી આ સૂત્ર એ નિયમ સૂત્ર પણ ન બનત, પણ વિધિસૂત્ર જ બનત. નિયમસૂત્ર ત્યારે જ બને જો આ ન્યાયનો અંગીકાર કરવામાં આવે. આ પ્રમાણે આ ન્યાય વિના ‘મૃત્યર્થ ૦ (૨-૨-૧૧) સૂત્ર નિયમ કરવા માટે છે' એમ જે ત. પ્ર. બુ. વૃં. માં કહેલું છે, એ વચનની ઉપપત્તિ (સંગતિ) થતી ન હોવાથી અર્થાત્ આ ન્યાય વિના તે વચન વ્યર્થ બની જતું હોયને તે (ઉક્ત સૂત્રના નિયમાર્થપણાનું વચન) આ ન્યાયનું જ્ઞાપન કરે છે. પ્રશ્ન :- મૃત્યર્થ
(૨-૨-૧૧) સૂત્રમાં નિયમ શું કરેલો છે ?
ઉત્તર ઃ- મૃત્યર્થ ૦ (૨-૨-૧૧) સૂત્રમાં નિયમ કરેલો છે કે, ‘આ સૂત્રમાં કહેલ ‘સ્મૃતિ’ અર્થવાળા વગેરે ધાતુઓનું કર્મ વિકલ્પે અકર્મ થાય, એમ વિધાન કરવાથી આ ધાતુઓના કર્મની જ શેષ રૂપે વિવક્ષા થઈ શકે છે, પણ તેના કરણ વગેરે કારકની શેષરૂપે વિવક્ષા થઈ શકતી નથી.' આથી માત્ર સ્મૃતમ્, મનસા સ્મૃતમ્ । વગેરે પ્રયોગોમાં અનુક્રમે કર્તા અને કરણની શેષરૂપે વિવક્ષા ન થવાથી શેષે (૨-૨-૮૧) સૂત્રથી ષષ્ઠી વિભક્તિ ન લાગે. અનિત્યતા :- આ ન્યાય સવ્યભિચાર અનિત્ય છે. એટલે કે ક્વચિત્ નથી પણ લાગતો. તેથી સંબંધની કદાપિ કારકરૂપે વિવક્ષા થતી જ નથી. C. (અને આથી જ બહુમિનું વસ્ત્રમ્ । અહીં ષષ્ઠી એ કદાપિ કારક ન બનવાથી વધુ શબ્દથી વત્ત્વાર્થાત્હારાષ્ટિનિટે પ્લૅસ્ (૭-૨-૧૫૦) સૂત્રથી સ્ પ્રત્યય લાગતો નથી. (એટલે અહિ વર્તુN: એવો પ્રયોગ ન થાય) (૧/૧૧)
-
=
પરામર્શ
A. :- કહેવાનો આશય એ છે કે, બહવૃત્તિમાં કારકની રોતીતિ ારમ્ । એવી અન્વર્થ (અર્થ સંગત) સંજ્ઞા કરેલી હોવાથી મિક્ષા એ વાસ્તવિક કારક કહી શકાય નહિ. અર્થાત્ જે ક્રિયાને કરે તે કારક કહેવાય. જે સાધ્યભૂત પાકાદિ ક્રિયાના નિર્વતક હોય, સાધક હોય, કરનાર હોય, તેની જ કારક સંજ્ઞા થાય છે. પણ નિમિત્ત માત્ર એવા હેતુ, સંબંધ વગેરે અનાશ્રિત વ્યાપારરૂપે હોયને અર્થાત્ વ્યાપાર રહિત હોયને સાધ્ય ભૂત પાકાદિ ક્રિયાના અનિર્વર્તક અસાધક છે, અર્થાત્ કરનારા નથી. આથી હેતુ વગેરેની કારકસંજ્ઞા થતી નથી. આમ પાકાદિ ક્રિયાની નિષ્પત્તિમાં જરૂરી જે - રસોઈઓ, ચોખા, તપેલી વગેરે સક્રિય ભાગ લે છે, પછી તે કર્તારૂપે, કર્મરૂપે કે કરણાદિ રૂપે હોય, તે કારક કહેવાય. પણ જે ક્રિયાની સિદ્ધિમાં ઉદાસીનરૂપે હોય અર્થાત્ નિમિત્તમાત્ર હોયને નિષ્ક્રિય, અસાધક હોય તે`કારક ન કહેવાય. જેમકે મિક્ષા એ વિદ્યાર્થીઓને વાસ કરવા રૂપ ક્રિયાની સિદ્ધિમાં ક્રિયાન્વિત બનતી નથી, વાસ ક્રિયાને સાધનારી બનતી નથી. આથી નિમિત્તમાત્ર હોયને કારક નથી.
૧૭૫