________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. કારકોની નિયતતાનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- (૧) ભવનમ્ - અપ્રાપ્તિ હોયને પ્રથમાદિકારકરૂપે થવાનું ઉદા. આ પ્રમાણે છે. ઉપલા વસતિ | વગેરે પ્રયોગોમાં ભિક્ષા વગેરેનો કોઈપણ વ્યાપાર (ક્રિયા) ન હોવાથી તે હેતુ માત્ર - નિમિત્ત માત્ર હોયને તત્ત્વથી અકારક જ છે, કારક નથી.
તેમ છતાં પક્ષા માં સ્વતંત્રરૂપે વાસન (વસાવવા) વગેરે વ્યાપારની વિવક્ષા કરવાથી = તેમાં સ્વતંત્રરૂપે વાસન ક્રિયાના કર્તા તરીકે વિવક્ષા કરવાથી કર્તારૂપકારત્વની સિદ્ધિ થઈ. (માટે કર્તા કારકમાં પ્રથમા - વિભક્તિ સિદ્ધ થઈ.).
પ્રશ્ન :- વસ્તુતઃ | તાત્ત્વિક રીતે તો ભિક્ષાદિમાં અકારકત્વ નથી જ ને ? અર્થાત ભિક્ષાદિને પણ કારક કહી શકાય ને ?
ઉત્તર :- ના, વસ્તુતઃ ભિક્ષાદિ (વાસન ક્રિયાની અપેક્ષાએ) અકારક જ છે, કારક નથી જ. જો ભિક્ષાદિ કારક હોય તો ઉપક્ષયા fષત: | વગેરેમાં રેવં કૃતા (૩-૧-૬૮) સૂત્રથી મિક્ષા સાથે fષતઃ | પદનો તૃતીયા તપુરુષ સમાસ થવો જોઈએ. પણ તે થતો નથી. કારણ તે ભિક્ષાદિ કારક માનેલાં નથી. આમ ભિક્ષાદિ કારક નથી, તેમ છતાં, જે પક્ષા વાસતિ | વગેરેમાં તેનો કર્તારૂપકારક તરીકે પ્રયોગ કરેલો દખાય છે, તે વિવિલાથી જ સિદ્ધ થાય છે. (વાસન - ક્રિયાની અપેક્ષા એ મિક્ષ એ કારક નથી, પણ હોવું, વર્તવું, સુકાવું વગેરે ક્રિયાની અપેક્ષાએ તે કારક બની શકે છે, એમ સમજવું. જેમ કે, fમક્ષા વર્તd I)
(૨) સમવનમ્ - હવે કારક હોવા છતાં વિવક્ષાવશથી કારક ન બનવાનું ઉદા. જોઈએ; માનાં ગબ્બીયાત્ ! વગેરેમાં માપ વગેરે કર્મ - કારક હોવા છતાં પણ તેની વિવફા ન કરવાથી સંબંધમાત્રમાં ષષ્ઠી જ થઈ. (અહીં સંબંધની કારકસંજ્ઞા થતી નથી. આથી કારકની અવિવક્ષાનું ઉદાહરણ ઘટે છે, એમ સમજવું.)
(૩) અન્યથા મવનમ્ - ક્યારેક વિવક્ષાને લીધે એક કારકનો બીજા કારક રૂપે પ્રયોગ થાય છે. જેમ કે, મોઃ સ્વયં પ્રખ્યતે | (મૂળ વાક્ય માં પતિ પૈત્ર:) તથા
સચ્છિનત્તિ ! (મૂળ વાક્ય સિના છિત્તિ) વગેરેમાં અનુક્રમે બોવન રૂપ કર્મની અને તે રૂપ કરણની સ્વતંત્રરૂપે વિવક્ષા કરવાથી તે બેયની કર્તા કારકરૂપે સિદ્ધિ થઈ. B માટે નોન વગેરેને પ્રથમા - વિભક્તિ થઈ છે.
જ્ઞાપક :- આ ન્યાયનું અનુવાદક = જ્ઞાપક - મૃત્યર્થયેશ: (૨-૨-૧૧) સૂત્રમાં કર્મની વિકલ્પ કર્મ સંજ્ઞાનું જે વિધાન એ નિયમ કરવા માટે હોવું, તે છે. તે આ રીતે - આ ન્યાયથી સર્વધાતુઓના કર્તા - કર્મ વગેરે (છ) કારકો જો કર્તા - કર્માદિ રૂપે વિવક્ષા કરાય ત્યારે તે કર્તા - કમંદિરૂપે થાય અને જો તેવી વિવેક્ષા ન કરાય ત્યારે તે કર્તા કમંદિરૂપે ન થાય, એમ વ્યવસ્થા કરાય છે. આ રીતે મૃત્વર્થ, સત્ અને શું આ ધાતુઓનું પણ કર્મ વિવફા પ્રમાણે કર્મ થાય અને ન પણ થાય એમ ફલિત થયું. કેમ કે સર્વધાતુના ગ્રહણથી “મૃત્યર્થ વગેરે ધાતુઓનું પણ ગ્રહણ થઈ જ જાય. આ રીતે મૃત્યથદિ ધાતુઓના કર્મ - કારકની વિકલ્પ
= ૧૭૪