SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/પ. પરામર્શ.. કરેલી છે. તે આ પ્રમાણે – | સર્વ: મૈતી (૧-૪-૭) સૂત્રના શ. મ. બુ. ન્યા. માં તથા ન્યા. સ. લ. ન્યા. માં પરમસર્વ | વગેરે રૂપોની સિદ્ધિ મુખ્યરૂપે કહેલી છે અને વ્યપદેશિવભાવ (અર્થાત્ પ્રસ્તુત) ન્યાયથી સર્વ | વગેરેની સિદ્ધિ કહેલી છે. કારણ કે વિશેષમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષાને વર્ણસંબંધી જ શબ્દસંબંધી પણ માનેલી છે. શ. મ. બ. ન્યા. ના શબ્દો આ પ્રમાણે છે - ચારાક્ષસી નાના: सर्वादिभिर्विशेषणाद् १. विशेषणेन च तदन्तविधेर्भावात् २. "न सर्वादिः" ॥१४॥१२॥ इति द्वन्द्वे निषेधाद् ३. नामग्रहणे न तदन्तविधिः इत्यनुपस्थानात् तदन्तं (सर्वाद्यन्तं) परमसर्वस्मै इत्याधुदाहृतम् । આમાં પરમસર્વસ્ત્ર વગેરેની રૂપોની સિદ્ધિ માટે ૩ હેતુઓ આપેલાં છે. (૧) સફેદ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે થશે - સૂત્રગત સાવ એવું પદ સ્વાદિ - અધિકારવડે આક્ષિપ્ત = સામર્થ્યપ્રાપ્ત નાનઃ' એવા વિશેષ્યપદનું વિશેષણ બનશે. અને વિશેષણ વડે વિશેષનુમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી તદન્તવિધિનો લાભ થવાથી “સર્વાદ્યન્ત નાન: "એ પ્રમાણે વ્યાખ્યા થવાથી પરમસર્વર્સ | વગેરે ઉદાહરણ આપેલાં છે. (૨) તદન્તવિધિનો પૂર્વોક્ત રીતે લાભ થવા છતાં સમાસ વિના તદન્તવિધિ થાય નહિ, અને સમાસમાં પણ દ્વન્દ સમાસ હોય તો “ સર્વાદિઃ (૧-૪-૧૨) સૂત્રથી સવદિત્વનો નિષેધ કરેલો હોવાથી સર્વાદિસંબંધી તદન્તવિધિ થશે નહિ. પણ પ્રસ્તુતમાં તો પરમાતી સર્વશતિ પરમસર્વતસ્તે – એમ કર્મધારય સમાસ હોવાથી તેમાં સવદિત્વનો નિષેધ કરેલો નથી. આ કારણથી પરમસર્વસ્ત્ર | વગેરે રૂપો ઉદાહરણ રૂપે કહેલાં છે. અને (૩) વિશેષ મન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી તદન્તવિધિનો લાભ થઈ જવા છતાંય જો “પ્રાણવતા નાના (નાનપ્રહ) ન તદ્દન્તવિધિઃ' એ ન્યાય જો ઉપસ્થિત થાય તો પૂર્વોક્ત પરિભાષાનો બાધ કરીને “સર્વ” એમ પ્રતિનિયત (અમુક ગણતરીબંધ) જ શબ્દોનો પ્રાયઃ નાયગ્રહણપૂર્વક જ નિર્દેશ કરેલો હોવાથી પૂર્વોક્ત “વિશેષમન્ત:' (૭-૪-૧૧૩) પરિભાષાથી પ્રાપ્ત પણ તદન્તવિધિ બાધિત થઈ જાય. અને તેમ થતાં પરમસર્વઐ | વગેરેની સિદ્ધિ અટકી જાય. માટે ત્રીજો હેતુ આપ્યો કે પ્રણવતાનાના ૦ એ પૂર્વોક્ત ન્યાય અહિ અનુપસ્થિત થવાથી અર્થાત્ અનિત્ય બનવાથી નિરાબાધપણે * પરિભાષાપ્રાપ્ત તદન્તવિધિ થશે - આથી પરમસર્વસ્ત્ર | વગેરે ઉદાહરણો આપેલાં છે. આમ ન્યાસકારના અભિપ્રાયથી તો સ્પષ્ટપણે જ જણાય છે કે, વિશેષણમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા શબ્દસંબંધી પણ છે, કેવળ વર્ણસંબંધી નહિ. અને ન્યાસસાર સમુદ્ધારમાં (લઘુન્યાસમાં) તો આગળ જતાં એવું સ્પષ્ટીકરણ પણ કરેલું છે કે, છેવત્વસ્થ વ્યપશિવદ્ધવાન્ તન્તત્વ ટૂથમ્ કેવળ સર્વ શબ્દનો વ્યપદેશિવભાવથી અર્થાત્ કેવળ સર્વાદિ – શબ્દને પણ “સર્વાદિ - અન્ત' રૂપે કલ્પવાથી (ઉપચાર કરવાથી) તેનું તદન્તપણું = સવાદિ - અન્તવાળાપણું જાણવું. અર્થાત કેવળ સર્વાદિને પણ સર્વાદિ – અંતવાળા સમજવા. આથી કેવળ સર્વ શબ્દસંબંધી પણ હું વગેરેના સ્ત્ર વગેરે આદેશ થશે. આમ આ ન્યાયના આધારે સર્વસ્ત્ર | વગેરે રૂપોની સિદ્ધિ ન્યાસમાં કહી છે. અને આ ન્યાસગ્રંથના આધારે જ ન્યાયસૂત્રના ટીકાકાર શ્રી હેમહંસગણિજીએ પણ વિશેષમન્તઃ - પરિભાષાની શબ્દસંબંધમાં પ્રવૃત્તિના ઉદાહરણ વગેરે આપેલાં છે અને આવી વાસકારની વ્યાખ્યા છે, એમ જણાવેલું છે. તથા સંસ્થસવથ્થોડાયાન (૧-૪-૬૩) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં પણ તૃષ્ણા, આ વગેરે રૂપોની જેમ પરમMા, પરમી | વગેરે રૂપોની પૂર્વોક્તસૂત્રથી સિદ્ધિ કરવામાં તદન્તવિધિના ગ્રહણની વાત કહી છે. તે આ પ્રમાણે - સત્ર નપુંસવાથવિશિષ્ટધ્યાવિકિ: ચોદક્ષિપ્ત ૧૫૩.
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy