________________
છતાં આયંબિલનું છે માટે સારું ન લાગે ને ? એની વાસથી પણ ઊલટી જેવું થાય ને? એની જેમ સમજવું. વસ્ત્રપાત્ર વગેરેમાં અમુક જ બરાબર છે એવો આગ્રહ બંધાય પછી બીજી સારામાં સારી વસ્તુ પણ ન ગમે તે મિથ્યાભિનિવેશ. આ રીતે ચાર કારણે કાંત પણ અપ્રિય બને એ જણાવ્યા બાદ હવે ‘લબ્ધ' વિશેષણનો વિચાર કરીએ. કાન્ત અને પ્રિય પણ વસ્તુ જો અલબ્ધ હોય તો તેનો ભોગવટો કોઈ કરતું નથી. જેમ સાધુભગવન્તો સારામાં સારી વસ્તુ દૂરના ઘરે મળે એમ હોય કે ૧૦:૧૨ માળ ચઢીને મળે એવી હોય તેવા વખતે ત્યાગ કરે તે ત્યાગ ન કહેવાય. કારણ કે નજીકમાં મળે તો વાપરવાનું મન છે. દુર્લભનો ત્યાગ કરવો તે ત્યાગ નહિ, સુલભ હોવા છતાં ન લે તો ત્યાગનો પરિણામ છે – એમ કહી શકાય. એ જણાવવા માટે લબ્ધ' વિશેષણ આપ્યું. વિષયના વૈરાગ્ય વિનાનો વિષયનો ત્યાગ, ત્યાગના ઘરનો નથી, તે જણાવવા માટે અહીં ભોગનાં ચાર વિશેષણ આપ્યાં છે. કાન્ત, પ્રિય, લબ્ધ અને સ્વાધીન. ચારમાંથી એકાદ વિશેષણ ઓછું હોય તો તેવા ભોગોનો ત્યાગ રાગી પણ કોઈ કારણસર કરતા હોય છે. આથી રાગીઓના ત્યાગના વ્યવચ્છેદ માટે આ ચાર વિશેષણ છે. કાન્ત, પ્રિય અને લબ્ધ એવા પણ ભોગો જો ડોક્ટર ના પાડે તો ન ભોગવીએ ને? આથી છેલ્લે ‘સ્વાધીન' વિશેષણ આપ્યું. ડોક્ટરના કહેવાથી ભોગનો ત્યાગ કરે તે સ્વાધીન ભોગનો ત્યાગ ન કહેવાય. મનગમતો વિષય હોય, પ્રિય હોય, પ્રાપ્ત-સામેથી મળે એવો હોય અને કોઇની રોકટોક ન હોય કે શરીરાદિને હાનિકારક ન હોય છતાં એનો ત્યાગ કરીએ તો સમજવું કે વૈરાગ્યપૂર્વકનો ત્યાગ છે. રાગી માણસ જે વિષયોનો ભોગવટો ન કરતો હોય તો સમજી લેવું કે આ ચારમાંથી કોઈને કોઈ વિશેષણની ખામી હશે. આ સૂત્રમાં પદે પદે ઊભા રહેવું પડે એવા તર્ક અને એવું તત્ત્વ આમાં ભરેલું છે. આપણા ભવોભવના સંસ્કારને વાચા આપવાનું કામ ગ્રંથકારશ્રીએ કર્યું છે. આવા ગ્રંથ પ્રત્યે બહુમાન જાગે અને ગ્રંથકારશ્રી પ્રત્યે આસ્થા પ્રગટે તો સંસાર છોડીને દીક્ષા લેવાનું મન થયા વિના ન રહે. આ પ્રકારના શાસ્ત્રકાર પ્રત્યેના તાત્વિક બહુમાનના પ્રભાવે રાગ પણ મરે, દ્વેષ પણ મરે અને મોહ પણ મરે... અને ક્રમે કરીને મોક્ષ મળે. રાગાદિથી દૂર રહેવા માટે મનને મારવું પડશે, શરીરને કેળવવું પડશે. રાગાદિ દોષો એની મેળે નથી જવાના, એને પ્રયત્નપૂર્વક કાઢવા પડશે. ક્ષણમાત્રના કાલ્પનિક સુખ ખાતર જિંદગી વેડક્વી નથી. આપણી ઇચ્છાઓ માટે આખી જિંદગી વેડફી નાંખી. હવે બચેલી જિંદગી શાસ્ત્રોના જ્ઞાન માટે આપવી છે. આ સૂત્રને સંપૂર્ણપણે ભણવાની યોગ્યતા દીક્ષા લીધા વિના પ્રગટતી નથી, તેથી દીક્ષા લેવી છે ને ? દીક્ષા કાલે મળતી હોય તો આજે મળે અને આજે
(લ્પ)