________________
સ. “મન પર્વ મનુષ્યનાં ઝાર વમોક્ષયોઃ' એમ કહ્યું છે ને?
જો મન જ બંધનું કારણ હોય તો ભગવાનને મન હોવા છતાં કર્મબંધ કેમ નથી થતો - એવી શંકા ન પડી ? મનથી જે કર્મ બંધાય તે રાગના કારણે જ બંધાય છે. રાગદ્વેષસહચરિત મન જ બંધનું કારણ છે. આથી જ શ્રી વાસુપૂજયસ્વામી ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “ક્લશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર'. ક્લેશ એટલે સંક્લેશ. અને સંલેશ એટલે રાગદ્વેષની પરિણતિ. મુહપત્તિના બોલમાં ‘મન પરિહરું નથી આવતું, કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરું આવે છે.
સ. મનદંડ પરિહરું આવે છે ને?
આ મૂલોચ્છેદી પાંડિત્ય કહેવાય. કારણ કે તમારી જે ડાળ તમે કાપી રહ્યા છો. મનદંડ બોલ્યા એટલે નક્કી છે કે મન જેના કારણે દંડનું કારણ બને છે તેનો પરિહાર કરવાનો છે, અને તે રાગદ્વેષ જ છે. આથી પ્રતિક્રમણમાં પણ રાગેણ વા, દોસણ વા' કહ્યું. રાગ અને દ્વેષ ચાલ્યા ગયા પછી માત્ર દ્રવ્યમાન હોય છે ત્યારે કેવળીને કેવળ યોગપ્રત્યયિક બંધ થાય છે. આથી તેમને પ્રતિક્રમણ નથી હોતું. મનને કર્મબંધનું કારણ બનાવનાર રાગદ્વેષ છે. આમ છતાં આજે, મન માંકડા જેવું છે – એ યાદ આવે પણ રાગ સર્પ જેવો છે – એ યાદ નથી આવતું. બધા મનની ફરિયાદ કરવા આવે કે મન ઠેકાણે રહેતું નથી, પણ રાગની ફરિયાદ કરવા કોઈ આવતું નથી. રાગના કારણે મન બગડે છે અને એથી ખરાબ વિચાર આવે છે. સાધુ-સાધ્વીને ખરાબ વિચાર આવતા નથી કારણ કે તેઓ રાગને આધીન બનતા નથી. સાધુભગવનો ભણે એ રીતે, ગુરુની નિશ્રામાં રહે એ રીતે અને ભગવાનની આજ્ઞા પાળે એ રીતે કે જેથી તેમને ખરાબ વિચાર, નકામા વિચાર આવે જ નહિ.
સ. મન સાધ્યું એટલે શું?
મન સાધ્યું એટલે આપણી ઇચ્છાને બાજુએ મૂકીને ગુરુની ઈચ્છા પ્રમાણે જીવવા તૈયાર થવું. મનને ગુરુની ઈચ્છા મુજબ વર્તવા માટે તૈયાર કરવું – એનું નામ મનની સાધના. આજે ભક્તભક્તાણી કે સગપરિચિત પ્રત્યે જેટલું બહુમાન છે એટલું ગુરુ પ્રત્યે નથી, તેથી ગુરુની ઈચ્છા મુજબ જીવવાનું શક્ય બનતું નથી. જેની પ્રત્યે બહુમાન હોય એની ઇચ્છાને અનુસર્યા વિના ચેન ન પડે. ગુરુનું મોટું જોઈને સાધુપણામાં આવેલા જો ગૃહસ્થોનું મોટું જોઈ જીવ્યા કરે તો એવાનો નિસ્તાર કઈ રીતે થાય ?