SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ચાણક્ય કોઈ સંયોગોમાં પાછા નહિ આવે – એમ સમજી રાજા પાછા ફર્યા. એટલામાં સુબધુએ રાજાની અનુજ્ઞા લઈને ચાણક્યની પૂજા કરવાના બહાને ધૂપ બાળીને તેનો અંગારો છાણા પર નાખ્યો. એ છાણા બળવા માંડ્યા અને તેમાં રહેલ ચાણક્ય પણ બળીને સમાધિપૂર્વક મરણ પામી દેવલોકમાં ગયા. આ બાજુ સુબંધુએ રાજાને વિનંતિ કરી કે – ચાણક્યનું ઘર મને આપો. રાજાની અનુજ્ઞા મળવાથી ચાણક્યના ઘરમાં ગયો. ઘરમાં બધે નજર કરી, એક ઓરડો વાસેલો જોયો. એમાં કાંઈક પણ હશેએવા કૌતુકથી તે ઓરડાનાં બારણાં તોડીને અંદર પેઠો. તેમાં પેલી પેટી જોઈ. એ પેટીને ઉઘાડી. એમાંની એક પછી એક પેટી ઉઘાડીને છેવટે દાભડો ખોલ્યો. તેમાં મઘમઘાટ કરતું સુગન્ધી દ્રવ્ય પત્ર સાથે જોયું. એ દ્રવ્યને કુતૂહલથી સુંધીને તે પત્ર ખોલીને વાંચ્યો. તેમાં જણાવ્યું હતું કે આ ચૂર્ણને જે સુંઘે છે તે જો સ્નાન કરે, શરીર શણગારે, ઠંડું પાણી પીએ, મોટી શય્યામાં સૂએ તેમ જ આવી જાતના ઈષ્ટ વિષયોને ભોગવે અને સાધુભગવન્તોની જેમ ન જીવે તો તે તરત મરી જશે. સુબધુએ તરત જ તે ચૂર્ણ બીજાને સૂંઘાડીને એ પ્રમાણે ખાતરી કરી લીધી. હવે સુબધુ શું કરે ? પત્રની વિગત સાચી હોવાની ખાતરી થવાથી મરણના ભયે સુબધુ ઈષ્ટ વિષયોનો ત્યાગ કરી સાધુની જેમ જીવન જીવવા લાગ્યો. છતાં તે સાધુ ન કહેવાય ને? તેવી રીતે જેઓ અસ્વાધીનપણે પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ભોગવટો કરતા નથી તેઓ ત્યાગી-સાધુ કહેવાતા નથી. અસ્વાધીનપણે વિષયોનો ત્યાગ કરનારાનું મન વિષયમાં લાગેલું હોવાથી તેને ત્યાગી નથી કહેતા. એવી જ રીતે સ્વાધીનપણે વિષયોનો ત્યાગ કરનારા કોઈ વાર તે તે વિષયમાં પ્રવૃત્તિ કરતા દેખાતા હોવા છતાં તેમનું મન વિષયોથી ઊભગી ગયું હોવાથી તેઓ વિષયના ભોગી નથી કહેવાતા. ત્યાગ કે ભોગનું નિયમન પ્રવૃત્તિના આધારે નથી કરાતું. રાગની પરિણતિના આધારે થાય છે. સાધુભગવનો વિષયથી અને વિષયના રાગથી વિરામ પામેલા હોવાથી ત્યાગી કહેવાય છે. કોઇવાર અપવાદપદે રસકસવાળા આહારાદિ વિષયમાં પ્રવૃત્તિ કરે તો પણ તે ભોગી નથી કહેવાતા. અપવાદે વિષયોનું ગ્રહણ ક્યા સંયોગોમાં, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરાય તે માટે શાસ્ત્રમાં સુષમાનું દષ્ટાન્ત આવે છે. ચિલાતીપુત્ર સુષમાનું અપહરણ કરી ગયા ત્યારે સુષમાના માતા, પિતા, ભાઈ વગેરે તેને પકડવા તેની પાછળ પડ્યા હતા. એ લોકોને નજીક આવતા જાણી અંતે ચિલાતિપુત્રે સુષમાનું માથું તલવારથી કાપીને તેનું ધડ ત્યાં મૂકી
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy