SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રશસ્ત એવા મોક્ષ વગેરેની ઈચ્છાને પ્રશસ્ત ઈચ્છા સ્વરૂપ કામ કહેવાય છે અને સંસારસંબંધી કોઈપણ ઈચ્છાને અપ્રશસ્ત ઈચ્છા સ્વરૂપ કામ કહેવાય છે. આ ઈચ્છાકામ લોભમોહનીયકર્મના ઉદયથી જાગે છે, જ્યારે મદનકામ વેદમોહનીયકર્મના ઉદયથી જાગે છે. સ્ત્રીવેદાદિના ઉદયથી જે વિષયોપભોગાદિની ઈચ્છા જાગે છે તેને મદનસ્વરૂપ કામ કહેવાય છે. અહીં મુખ્યત્વે મદનકામને આશ્રયીને વાત કરી છે. સ્ત્રીને ભોગવવાની ઈચ્છા સ્વરૂપ કામરાગને જો દૂર કરવામાં ન આવે તો સાધુપણું કોઈપણ રીતે પાળી નહિ શકાય. આજે મોટા ભાગનાં સાધુસાધ્વીજીની એ ફરિયાદ છે કે દીક્ષા લેતી વખતે જે ઉલ્લાસ હતો તે પાળતી વખતે નથી. આ ફરિયાદનું નિદાન આ અધ્યયનની પહેલી ગાથામાં સ્પષ્ટપણે કરી આપ્યું છે. દુઃખ વેઠવા માટે સાધુપણું લઈને નીકળેલા પણ ધૃતિ ગુમાવીને ઘરભેગા થવા તૈયાર થતા હોય તો તે આ સુખની લાલચના કારણે. આ નિદાન અનન્તજ્ઞાનીઓએ કર્યું છે. સાધુપણામાં વિસ્રોતસિકાનો પરિણામ સુખની લાલસાના કારણે જાગે છે. મોક્ષ તરફ લઈ જનાર પરિણામની ધારા તેનું નામ સ્ત્રોત અને સંસાર તરફ લઈ જનાર પરિણામની ધારા તે વિસ્ત્રોત, આ પરિણામની તુચ્છતા જણાવવા માટે 'ઈક' પ્રયત્ન લાગીને વિસ્રોતસિકા શબ્દ બને છે. સાધુ થયા પછી પાછા સંસારમાં જવાની ઈચ્છા તેનું નામ વિસ્રોતસિકા. આજે ‘દુઃખ ઘણું છે એમ બતાવે પણ “સુખની લાલચ નડે છે એવું ન બોલે તો તેવાની ચિકિત્સા કઈ રીતે કરાય ? દુઃખે પેટ અને કૂટે માથું તો દુઃખાવો કઈ રીતે દૂર કરાય ? બગડે મન અને કહે કે ગુરુ બરાબર નથી, સહવર્તી બરાબર નથી - તો તેની ફરિયાદનો નિકાલ કઈ રીતે લવાય? ખોટું દર્દ બતાવે તો નિદાન પણ ખોટું થાય અને ચિકિત્સા પણ ઊંધી પડે. જ્યારે જ્યારે સાધુપણામાં અરતિની ફરિયાદ કરે ત્યારે સમજી લેવું કે સુખની લાલચ જાગી છે. આજે આવી સાચી કબૂલાત કરનારા કેટલા મળે? શ્રી મેઘકુમારમાં એટલી લાયકાત હતી કે સાધુભગવન્તોની ભૂલ ન બતાવી, પોતાની અસહિષ્ણુતાને આગળ કરી. મારો સંથારો ધૂળવાળો કર્યો એમ ન કહ્યું, મને ઊંઘ ન આવી – એમ કહ્યું. સુખશીલતાના કારણે આટલું દુઃખ વેઠાય એવું નથી – એમ કહીને ઘરે જવા તૈયાર થયા હતા. ફરિયાદ કરવાની રીત આ છે. આપણે શું કહીએ ? અમારો સંથારો ધૂળથી ભરાઈ જાય, અમારી ઊંઘ બગડે એવી રીતે આ લોકો ચાલે છે, તેમની સાથે કેવી રીતે ફાવે? કોઈની ઊંઘ ન બગડે એટલો તો વિવેક રાખવો જોઈએ ને ?... એવું એવું કહીએ ને ? શ્રી મેઘકુમાર જાણતા હતા અને માનતા હતા કે સાધુપણામાં આવું અને આટલું દુઃખ આવે જ. સાધુપણામાં દુ:ખની ફરિયાદ ન હોય, અસહનશીલતાની ફરિયાદ હોય. દુઃખની ફરિયાદ કરનારને દુઃખ ટાળવાના ઉપાય બતાવવા પડે જ્યારે (૮૧)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy