SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટે અવરોધોને ટાળવાનું અત્યન્ત જરૂરી છે. સંસારનાં સુખોનો સર્વથા ત્યાગ કરીને કેવળ દુ:ખ ભોગવી લેવાના આશયથી સાધુ થયેલા નૂતન દીક્ષિતને કોઇવાર એ સર્વવિરતિધર્મનું આરાધન અકૃતિનું નિમિત્ત બની જતું હોય તો એવા સંયોગોમાં અતિ-અધીરાઇને દૂર કરીને કૃતિ-ધીરજ કેવી રીતે કેળવવી તે જણાવવા માટે આ શ્રામણ્યપૂર્વિકા નામનું બીજું અધ્યયન છે. શ્રમણ એટલે સાધુ. શ્રામણ્ય એટલે સાધુપણું. આ સાધુપણાના પૂર્વમાં ધૃતિ રહેલી છે. એટલે કે ધૃતિ જો હોય તો જ સાધુપણું પાળી શકાય. માટે ધૃતિને શ્રામણ્યપૂર્વિકા કહી છે. અને એ ધૃતિનું વર્ણન આ અધ્યયનમાં કરેલું હોવાથી તેનું નામ શ્રામણ્યપૂર્વિકા છે. સુખ છોડવા માટે અને દુઃખ ભોગવવા માટે જે સત્ત્વ, જે સ્થિરતા જોઇએ તેને ધૃતિ કહેવાય છે. સુખ છોડયા પછી પાછી સુખમાં રિત જાગે અને દુઃખ વેઠતી વખતે અતિ થવા લાગે તો ધૃતિ જવા માંડે, તેના કારણે સંયમનું પાલન દુષ્કર બની જાય. દુઃખની અતિ કરતાં પણ સુખની રિત વધુ ભૂંડી છે. સુખની રિત જ દુઃખમાં અરતિ જન્માવે છે. એકવાર સુખની લાલચ મરી જાય તો દુઃખની અતિ ટાળવાનું કામ સાવ સહેલું છે. આથી જ અહીં અધૃતિના બીજ તરીકે સુખ ભોગવવાના સંકલ્પને પહેલી ગાથાથી જણાવે છે - कहं नु कुज्जा सामण्णं जो कामे न निवारए । पए पर विसीदंतो संकप्पस्स वसं गओ ? ॥२-१॥ સંકલ્પને વશ પડેલો હોવાથી પગલે પગલે સ્ખલનાને પામતો એવો જે સાધુ કામનું નિવારણ ન કરે તે શ્રમણપણું કઇ રીતે પાળી શક્યું ? અર્થાત્ નહિ પાળી શકે. સંકલ્પ એટલે અપ્રશસ્ત અધ્યવસાય. અને સુખ ભોગવવાનું મન તેનું નામ અપ્રશસ્ત અધ્યવસાય. આવા અધ્યવસાયને આધીન થયા પછી સાધક સંયમની સાધનાના સમયે દરેક સ્થાને વિષાદને પામે છે. આ રીતે વિષાદને પામનાર, કામોનું અર્થાત્ વિષયોપભોગની ઇચ્છાનું નિવારણ ન કરે તો તે કોઇ સંયોગોમાં સાધુપણું પાળી ન શકે. સંયમધર્મ પાળવા માટે તૈયાર થયેલાને મોટામાં મોટું વિઘ્ન હોય તો તે આ ઇચ્છા મુજબનું જીવન છે. હ્રામ્યન્તે રૂતિ ામા:। જે ઇચ્છાય તેને કામ કહેવાય. પાંચેય ઇન્દ્રિયોના મનોજ્ઞ (મનોહર) એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ વિષયોને દ્રવ્યકામ કહેવાય છે અને એ વિષયોની ઇચ્છાને ભાવકામ કહેવાય છે. દ્રવ્યમાં તાકાત નથી કે નુકસાન કરે. દ્રવ્ય ત્યારે જ નડે કે જ્યારે તેની ઇચ્છા થાય. આથી ભાવકામને અહીં વિઘ્ન તરીકે જણાવ્યો છે. ઇચ્છાકામ અને મદનકામ : એમ બે પ્રકારે ભાવકામ (૮૦)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy