SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુભગવા માટે ભ્રમરનું જે દષ્ટાન્ત આપ્યું છે તે કેવી રીતે સંગત થાય છે તે જણાવ્યું. આ રીતે દષ્ટાન્તનો ઉપનય ઘટાડ્યા બાદ નિગમન તરીકે સાધુભગવન્તો સાધુ કઈ રીતે કહેવાય છે તે પાંચમી ગાથાથી જણાવે છે – महुगारसमा बुद्धा जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता तेण वुच्चंति साहुणो त्ति बेमि ॥१-५॥ મધુકર એટલે કે ભમરાની જેમ અનિયતવૃત્તિવાળા જે જ્ઞાની ગુરુભગવન્તો કોઈની પણ નિશ્રાએ બંધાયેલા નથી, અનેક પ્રકારના પિંડ(આહારાદિ)ને ગ્રહણ કરનારા છે અને ઇન્દ્રિયોનું દમન કરે છે તે કારણથી તેઓ સાધુ કહેવાય છે – આ પ્રમાણે હું (ગ્રંથકારશ્રી શય્યભવસૂરિ મહારાજા) તને (સામે રહેલા શિષ્ય મનક વગેરેને) કહું છું. પહેલા અધ્યયનને પૂર્ણ કરતી વખતે તેની છેલ્લી ગાથામાં ભ્રમર જેવી વૃત્તિવાળા સાધુભગવન્તોને બુદ્ધ, અનિશ્રિત, નાનાપિંડરત અને દાન્ત : આ ચાર વિશેષતાઓથી વર્ણવ્યા છે. સાધુને ભ્રમરની ઉપમા પૂર્વે જણાવ્યા મુજબ સર્વ અંશે નથી અપાઈ, અમુક અંશે જ અપાઈ છે-તે જણાવવા માટે બુદ્ધ અને અનિશ્રિત આ બે વિશેષણ આપ્યાં છે. ભમરો જે રીતે અજ્ઞાની અને અસંયત છે તેવા સાધુભગવત નથી હોતા. બુદ્ધ હોવાથી તેઓ સંમૂર્છાિમ નથી અને અનિશ્રિત હોવાથી અસંયત નથી. પોતાની સંયમની સાધના માટે અનિવાર્ય એવા શરીરના નિર્વાહ માટે પણ કોઈ પણ જાતનું પાપ કરતા ન હોવાથી સાધુભગવન્ત ખરેખર બુદ્ધ (બોધ પામેલા) હોય છે. શરીર ગમે તેટલું ઉપકારક હોય તોપણ શરીર કરતાં ધર્મની કિંમત વધારે છે. શરીર ખંડિત થાય તો વાંધો નહિ, આશા ખંડિત ન થવી જોઈએ-એ ભાવનાથી સાધુસાધ્વી ભગવતોએ શરીરની મમતા ઉતારી હોવાથી જ તેઓ આવો આચાર સારી રીતે પાળી શકે છે. સામાન્યથી ભણેલામાં અને ગણેલામાં જે ફરક છે એવો જ ફરક જ્ઞાન અને બોધમાં છે. કોઈ પણ જાતના પાપથી દૂર રહેવા માટે બોધની ખૂબ જ જરૂર છે. એવો બોધ ન હોય તો જ્ઞાનમાત્રથી પાપથી દૂર રહેવાનું કામ વસ્તુતઃ અશક્ય છે. શાનને પામેલા નહિ, પરન્તુ જ્ઞાનના ફળને જે પામેલા છે તે બુદ્ધ કહેવાય છે. જ્ઞાન પામ્યા પછી ફળને પામવા પુરુષાર્થ ન કરે તે જ્ઞાની હોવા છતાં અબુધ છે. બોધ પામ્યા પછી પણ કેટલીક વાર મમત્વાદિના કારણે સામી વ્યક્તિને આપણે ટાળી ન રાકીએ, એ વ્યક્તિ કહે તો ના ન કહી શકીએ, તેની નિશ્રાએ જ આપણે કામ કરવું પડે - એવું બને, પરંતુ સાધુભગવન્તોને એવી કોઈ નિશ્રા હોતી નથી - તે જણાવવા (૭)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy