________________
નથી.' એના બદલે એમ માનતા થવું છે કે ‘પાપ કરતો નથી, પણ પાપથી વિરામ પામવાનો નિયમ નથી માટે અવિરતિનું પાપ ચાલુ જ છે' - તો આજે ઠેકાણું પડી
જાય,
સ. નિયમ ભાંગી જવાનો ડર છે.
જેને પડી જવાનો ડર હોય તેણે સવારે ગાદીમાંથી ઊભા જ નહિ થવાનું કારણ કે ઊભા થઈએ ને પડી જઈએ તો? અકસ્માતનો ભય હોય તો ગાડીમાં નહિ બેસવાનું. ત્યાં એવો વિચાર કરો ? ત્યાં તો કહેશો કે એવું વિચારીએ તો કશું કરી જ ન શકાય. એ તો થોડું સાહસ કરવું જ પડે. તેમ અહીં પણ નિયમ ભાંગી જશે - એના બદલે પાપ ભાગી જશે એવું વિચારશો તો સત્વ પ્રગટશે. અસલમાં અવિરતિના પાપનો ભય નથી માટે વિરતિ પ્રત્યે પ્રેમ જાગતો નથી. ગૃહસ્થપણાના પાપનો ઢગલો દેખાય તો સાધુપણામાં આવવાનું મન થયા વિના ન રહે. સર્વથા પાપથી વિરામ પામેલા સાધુભગવન્તો આજીવિકાનો નિર્વાહ કરતી વખતે પણ આ રીતે નિષ્પાપ જીવન જીવે છે – એવું જાણ્યા પછી ગૃહસ્થપણા પ્રત્યે નફરત જાગે ને ? સાધુપણાના આચાર બતાવીને તમારી સામે ગૃહસ્થપણાનાં પાપોનો ચિતાર રજૂ કરવાનો ઇરાદો
સ. અમે નિવૃત્ત જીવન જીવીએ તો ?
તમે પાપ ન કરવું પડે તે માટે ધંધે ન જાઓ, મૂડીમાંથી ચલાવો પણ આરંભસમારંભનું પાપ તો જીવતું જ રહેવાનું ને? તમે કદાચ કહેશો કે – ‘દિવસમાં ચાર-પાંચ સામાયિક કરું છું, ધંધામાં કે છોકરાઓની બાબતમાં માથું મારતો નથી'.. એ બધું સાચું પણ સાથે અવિરતિ ગઈ નથી – એ ય સાચું ને ? સાધુ થવાનું મન ન હોય તેને શ્રાવક ન કહેવાય. અવિરતિનું પાપ તમને દેખાતું નથી માટે તમારી નિવૃત્તિ નિવૃત્તિ નથી રહેતી. નિવૃત્ત થયા પછી પણ સુખ જ ગમ્યા કરે તો પાપ
ક્યાંથી જાય? સુખની લાલચ છૂટવાને બદલે વધે એવી નિવૃત્તિ શા કામની ? ધંધાનું પાપ વધારે કે અવિરતિનું? સુખ ગમે તેટલું મળે પણ પાપ ન જાય તો એવા સુખની કિંમત શું? સુખ જતું હોય તો ભલે જતું, સાથે પાપ જાય છે તો ચિંતા નહિ. સુખની સાથે પાપ ગમે છે કે અવિરતિ ગમે છે – બને એક જ છે. સુખ ગમે છે માટે તેની સાથેનું પાપ ગમે છે, અને તેથી જ જીવનમાંથી પાપ જતું નથી..
(૭૬)