________________
પહેલા અધ્યયનમાં ધર્મની પ્રશંસા કરી છે. દુનિયાના ધર્મ કરતાં ભગવા ભાખેલો ધર્મ પરમોચ્ચ અને લોકોત્તર કોટિનો છે-એ સમજાવવા માટે અહીં નિરવ આચારનું વર્ણન કર્યું છે. આ આચારધર્મ કલ્પનાથી રમણીય છે. આચરવા માટે અઘરો છે-આવું કોઇ ન કહે તે માટે આ આચારનું પાલન શક્ય બનાવવાનો ઉપા પણ અહીં બતાવ્યો છે. ધર્મ એ કેવલ કલ્પનાનું ચિત્ર નથી. ભગવાને જે ધર્મ બતાવ્યું તે આચરી શકાતો ન હોય તો તે માત્ર કલ્પનારૂપ બની રહે કે ઉપેક્ષાનો વિષય બને. પૂર્વના રાજાઓ કે રાજકુમારો રાજકુમારીનું ચિત્ર જોઇને આસક્ત બનતા અને ચિત્રકારને સૌથી પહેલાં પૂછે કે આ કાલ્પનિક છે કે વાસ્તવિક ? ત્યારે પેલો ચિત્રકાર કહે કે વ્યક્તિ હાજર છે તેને જોઇને આ ચિત્ર બનાવ્યું છે. આવું જાણીને પછી અનુરાગ વધે ને ? તેવી રીતે ધર્મ પણ કાલ્પનિક નથી, મહાપુરુષો સ્વયં આચરી ગયા છે. એવો આ માર્ગ અહીં આલેખ્યો છે. અહીં કોઇ શંકા કરે કે ત્રીજી ગાથામાં કહ્યું કે ‘ભ્રમરની જેમ સાધુભગવન્તો દાતા દ્વારા અપાતાં પ્રાસુક અશનાદિને ગ્રહણ કરે’... પરંતુ આથી જ સાધુભગવન્તો પ્રત્યે ભક્તિથી આકૃષ્ટ બની દાતાઓ તેમના (સાધુઓ) માટે બનાવીને અશનાદિ તેમને આપશે અને જો સાધુમહાત્મા તે ગ્રહણ કરશે તો તેમને પ્રાણીવધનું પાપ લાગશે અને જો ગ્રહણ નહિ કરે તો તેમનો નિર્વાહ નહિ થાય.... આવા સંયોગોમાં આ ભિક્ષાવૃત્તિ સુકર કઇ રીતે કહેવાય ? – તેના નિરાકરણમાં ચોથી ગાથાથી જણાવે છે :
=
वयं च वित्तिं लब्भामो न य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते पुप्फेसु भमरा जहा ॥१-४ ॥
‘અમે એ રીતે આજીવિકાને પ્રાપ્ત કરીએ છીએ કે જેથી કોઇ પણ જીવ હણાય નહિ’. આ રીતે સાધુભગવન્તો પુષ્પમાં ભમરાઓની જેમ, દાતાએ પોતાના માટે બનાવેલા આહારાદિના વિષયમાં ગવેષણાદિ માટે જાય છે. કહેવાનો આશય એ છે કે ભમરાઓ જેમ પોતાના માટે નહિ પરંતુ કુદરતી રીતે ખીલેલાં પુષ્પોમાં ફરે છે તેમ મુનિભગવન્તો પણ, દાતાએ પોતા માટે બનાવેલા આહારાદિને વિષે ગવેષણાદિ કરે છે. આ રીતે દાતાએ સાધુઓને ઉદ્દેશીને બનાવેલા આહારાદિને વિષે સાધુભગવન્તો ગવેષણા માટે જતા જ નથી કે જેથી પ્રાણવધના પાપનો કે અનિર્વાહનો પ્રસંગ આવે. આજીવિકા મળ્યા કરે અને કોઇ જીવ હણાય નહિ : એવો આચાર ભગવાને બતાવ્યો છે. આહારાદિ વસ્તુના કારણે કે શરીરના કારણે સંયમ નથી પળાતું, સંયમ ભગવાનની આજ્ઞાના કારણે જ પળાય છે, એની ના નથી. પરંતુ શરીરને અકાળે મારીને નિસ્તાર
(૭૨)