________________
નથી થવાનો. કર્મની નિર્જરા કરવા માટે નિષ્પાપ જીવન જીવવું પડશે, અને જીવન માટે શરીર પણ જોઇશે. આથી સંયમપાલન માટે શરીર ઉપયોગી હોવાથી એ શરીર ટકાવવા આહારાદિની જરૂર પણ પડવાની. પણ એ આહારાદિ એવાં જોઇએ કે જે શરીરને ટકાવે અને પાપને ટાળી આપે. એવો ઉપાય તે ભગવાનની આજ્ઞા મુજબની ભિક્ષાચર્યા સ્વરૂપ છે. દર્દીને જેમ રસકસ વગરનો અલ્પ આહાર અપાય છે તેમ સાધુભગવન્ત અંતપ્રાંત આહાર પ્રમાણોપેત લઇને શરીર ટકાવે. અન્યદર્શનકારો કહે છે કે સેંકડો અકર્મ (પાપ) કર્યા વગર આ શરીરનો નિર્વાહ થતો નથી, એની સામે ભગવાનના શાસનમાં આ નિરવધ ઉપાય બતાવેલો છે. ગૃહસ્થે પોતાના માટે બનાવેલા આહારને યથાકૃત કહેવાય.
સ. સાધુભગવન્તને વહોરવા માટેની મર્યાદા છે તેમ ગૃહસ્થ માટે કર્તવ્ય શું ?
ગૃહસ્થનું કર્તવ્ય એટલું કે એના ઘરમાં વસ્તુની અછત ન હોય. ગૃહસ્થનું ઘર છે તો દાનનો અભ્યાસ પાડવા માટે વસ્તુ તો જોઇએ જ. ગમે ત્યારે અતિથિ આવી જાય, દીનદુ:ખી આવી જાય કે સાધર્મિકનો લાભ મળે તે માટે ગૃહસ્થના ઘરમાં પૂરતી વસ્તુઓ હોય જ. સાધુના ઉદ્દેશથી નહિ પણ દાનધર્મના પાલનના ઉદ્દેશથી બેચાર માણસની રસોઇ તો ગૃહસ્થને ત્યાં વધારે હોય જ.
સ. સાધુસાધ્વી માટે રસોડાં ખોલે તો ?
એ પ્રવૃત્તિ યોગ્ય નથી. નિષ્કારણ સાધુના નિમિત્તે બનાવેલું વહોરાવવું તે લાભના બદલે દોષનું કારણ છે. પાલીતાણા વગેરેમાં સાધુસાધ્વી માટે ભક્તિ રખાય છે ત્યાં સાધુસાધ્વીથી વહોરવા ન જવાય અને તમારે એવી ભક્તિ પણ ન રખાય.
સ. તો નિર્દોષ રીતે વહોરાવવા શું કરવું ?
કુટુંબસહિત જવું, સાધર્મિકવાત્સલ્ય કરવું પછી લાભ લેવો. ગમે તેટલાં સાધુસાધ્વી આવે પણ વસ્તુ ત્યારે ખૂટે કે જ્યારે ઉદારતા ખૂટે ને ભાવ ખૂટે. તીર્થયાત્રા માટે આવેલા સાધર્મિકનો લાભ મળે એ ઉદ્દેશથી આયોજન કરવું. અને એટલી શક્તિ ન હોય તો જેટલી શક્તિ હોય એટલાનો લાભ લેવો. પણ દોષિત વહોરાવવા માટે આયોજન ન કરવું. શાસ્ત્રમાં કહ્યું છે કે નિષ્કારણ દોષિત આહારાદિ વહોરાવવાથી દાતાને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ પડે છે. આજે તીર્થસ્થાનોમાં નિર્દોષ આહાર દુર્લભ બની ગયો છે. આથી જ આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે એકવાર
(૭૩)