________________
સ. આજે સાધુભગવન્તના તપનું પણ ઉજમણું કરાય છે ને ?
આપણે વર્તમાનના આચાર જોવા નથી બેઠા, શાસ્ત્રના આચાર સમજવા માટે પ્રયત્ન કરવો છે. ઓળી વગેરે તપનાં પારણાં સાધુભગવન્તનાં જાહેરમાં ન થાય. શ્રી નંદનઋષિના ભવમાં ભગવાનના આત્માએ અગિયાર લાખ, એંશી હજાર અને છસો પિસ્તાળીશ માસક્ષમણ કર્યા હતાં છતાં એનું ઉજમણું નથી કર્યું. આ તપની નોંધ અનન્તજ્ઞાનીઓએ લીધી છે, તેમણે તપ પ્રગટ નથી કર્યો. શ્રી અનુત્તરોપપાતિક સૂત્રમાં જેનું વર્ણન છે એવો તપ ધન્ના કાકંદીએ કર્યો હતો છતાં ત્યાં ઉજમણાની વાત નથી આવતી. માત્ર આહારનો ત્યાગ કરવાથી તપસ્વી નથી બનાતું સાથે ઈચ્છાઓનો પણ નિરોધ કરવો પડે. આ રીતે શ્રમણ અને મુક્ત કહ્યા પછી ફરી ‘સાધુ” વિશેષણ આપ્યું છે. જોકે જે શ્રમણ અને મુક્ત હોય તે તો સાધુ જ હોય તેથી આ વિશેષણ નકામું છે – એવું લાગે, પરંતુ એ વિશેષણ નિહ્નવોના વ્યવચ્છેદ માટે છે. નિકૂવો તપ સારામાં સારો કરે, ચારિત્ર ઊંચામાં ઊંચું પાળે, વ્યવહારથી બાહ્યાભ્યન્તર પરિગ્રહથી મુક્ત હોય છે છતાં તેમનામાં સાધુતા નથી. બેંતાલીસ દોષથી રહિત આહારાદિ લાવે છતાં પણ ઉત્સુત્રભાષણ કરવાથી તેઓ મિથ્યાત્વના ઉપાસક બનવાથી તેમનામાં સાધુતા રહેતી નથી. જે સમ્યગ્રજ્ઞાનાદિની સાધના કરે તે સાધુ. નિનવો સમ્યગ્રજ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગની સાધના કરવાને બદલે ઉન્માર્ગની સાધના કરતા હોવાથી સાધુ નથી. તેથી તેમનો વ્યવચ્છેદ સાધુ પદથી કર્યો. ફરી શિષ્ય શંકા કરે છે કે ગાથામાં ક્ષતિ પદ આપ્યું છે. સૂત્ર ત્રિકાળગોચર હોવાથી ક્ષત્તિ “એટલે કાયમ હોય છે - એવો અર્થ થાય. અને નિકૂવો તો કાયમ હોતા નથી તેથી તેમનો વ્યવચ્છેદ સનિ પદથી જ થઈ જશે... આવી શંકાના નિરાકરણમાં ટીકાકાર જણાવે છે કે વર્તમાન તીર્થની અપેક્ષાએ જ આ સૂત્રની રચના છે અને આ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં તો નવ નિહનવ અને દસમા દિગંબર નિદ્ભવ થઈ ગયા છે, તેથી તેમના વ્યવચ્છેદ માટે “સાધુ' પદ જરૂરી છે... આ બધું જ આચાર્યભગવન્ત શ્રી શય્યભવસૂરિ સમજાવી રહ્યા છે, કોને?
સ. મનકમુનિને.
આપણને નહિ? ઉપલક્ષણથી આપણને જ કહ્યું છે એવું માનો ને ? એવું માનશો તો જ વિસ્તાર થશે. આપણે સુસાધુ બનવું છે અને એ માટે સુસાધુને ઓળખી લેવા છે. ભમરાની જેમ આવે ને વહોરી જાય તે સુસાધુ. મહેમાનની જેમ
(0)