________________
વૈયાવચ્ચ ન થતી હોય, ઈર્યાસમિતિનું પાલન ન થતું હોય, સંયમનું પાલન કરવા માટે, પ્રાણ કંઠે આવ્યા હોય કે સ્વાધ્યાય ન થતો હોય તો જ સાધુ આહાર લે. આ છમાંથી એક પણ કારણ ન હોય છતાં આહાર લે તો ગ્રામૈષણાનો દોષ લાગે. આ રીતે બેંતાળીસ અને પાંચ, સુડતાળીસ દોષોનું વર્જન કરવામાં તત્પર એવા સાધુભગવા કોઈપણ જીવને પીડા પહોંચાડયા વિના પોતાનો જીવનનિર્વાહ કરનારા
ઉપર જણાવ્યા મુજબ સાધુભગવન્તો ભમરાની જેમ આહારાદિને ગ્રહણ કરવામાં રત હોવાથી શ્રમણ-તપસ્વી છે. ધન ધાન્યાદિ નવ બાહ્ય પરિગ્રહ અને પુરુષવેદાદિ ત્રણ વેદ, હાસ્યાદિ છે, મિથ્યાત્વ અને ચાર કષાય: આ ચૌદ અભ્યન્તર પરિગ્રહથી રહિત હોવાથી મુક્ત છે. તેમ જ અઢી દ્વીપમાં રહેલા તેઓ જ્ઞાનાદિ મોક્ષમાર્ગની સાધના સદાને માટે કરે છે તેથી તેમને સાધુ કહેવાય છે. અહીં શ્રમણની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે શ્રાતિ-તપતિ તિ શ્રમ: સંયમની સાધના કરતાં કરતાં થાકીને લોથપોથ થઈ જાય તે શ્રમણ. પોતે થાક પણ બીજાને ન થકવે, પોતે તપ કરે પણ બીજાને તપ ન કરાવે તેનું નામ શ્રમણ. પોતે સંતાપ પામે પણ બીજાને સંતાપ ન પમાડે એવા સાધુભગવન્ત હોય. જે પોતાના કામ માટે ટ્રસ્ટી, કાર્યકર્તા, પૂજારી, ઘાટી વગેરેને હંફાવે તોબા તોબા કરાવે તે ભગવાનના સાધુ ન હોય. સાધુભગવન્તો જેમ તપ કરે છે તે રીતે બાહ્ય તપ કરનાર બીજા શાક્ય વગેરે પણ શ્રમણ કહેવાય છે તેના નિરાકરણ માટે અહીં મુત્તા (મુવા) પદ આપ્યું છે. મુક્ત એટલે બાહ્ય (નવ પ્રકારનો) અને અત્યંતર (ચૌદ પ્રકારના) પરિગ્રહથી રહિત. શાક્ય, તાપસ વગેરે બાહ્ય તપ કરનારા હોવા છતાં તેઓ મુક્ત નથી. કારણ કે તેઓ બાહય અને અભ્યન્તર પરિગ્રહથી યુક્ત હોય છે. સાધુભગવન્તો તાપસ વગેરેથી જુદા ત્યારે જ પડે કે જયારે તેઓ ધન-ધાન્યાદિ બાહ્ય અને માનલોભાદિ અભ્યન્તર પરિગ્રહથી રહિત હોય. સાધુભગવન્ત તપ કરે પણ તેની જાણ કોઇને ન થાય તેનું ધ્યાન રાખે. તેમ જ સાધુનું પારણું પણ કોઈને ખબર ન હોય. તપની કે પારણાની જાણ કરવામાં માનકષાય, લોભકષાય પુષ્ટ થાય ને? કદાય કોઈ પૂછવા આવે કે પારણું ક્યારે કરવાના તો સાધુ શું કહે ? પારણું કરું ય ખરો ન ય કરું, પારણું કરવા રહીએ. કે નહિ ખબર નથી ને? સાધુભગવા તો કહે કે જ્ઞાનીએ દીઠું હશે ત્યારે પારણું થશે.
(૬૯)