SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મારવો પડશે. આ રીતે દાન અને ભક્તની વ્યાખ્યા કર્યા પછી એષણાની વ્યાખ્યા કરી છે. એષણા ત્રણ પ્રકારની છે. ગવેષણા એટલે શોધવું, ગ્રહણૈષણા એટલે લેવું અને ગ્રાસૈષણા એટલે વાપરવું. દોષરહિત વસ્તુ શોધવી તે ગવેષણા. દોષરહિતપણે ગ્રહણ કરવું તે ગ્રહણૈષણા અને દોષ ન લાગે તે રીતે વાપરવું તે ગ્રાસૈષણા. શુદ્ધ શોધવું પછી શુદ્ધ લેવું અને શુદ્ધ રીતે વાપરવું: આ ત્રણ પ્રકારની એષણા છે, તેમાં સાધુભગવન્ત રત હોય છે. શોધીને લાવવું તે ગવેષણા છે, ઉપાડી લાવવું તે તો મજૂરી છે. ઊંચકાય નહિ માટે ના પાડવી તે ગવેષણા નથી. ઊંચકાય એટલું નથી લાવવાનું જરૂર જેટલું જ લાવવાનું, તે પણ નિર્દોષ હોય તો જ લાવવાનું. નિર્દોષ શોધ્યા પછી તે લેતી વખતે દોષ ન લાગે તેની કાળજી રાખવી. નિર્દોષ આહાર આપતી વખતે ઢોળાઇ જાય કે ઢોળતાં ઢોળતાં આપે તો ના પાડવી કે ‘ન મે કપ્પઇ તારિસ' (અમારે આવો આહાર લેવો કલ્પે નહિ.) આ સિવાય એક પણ શબ્દ આડો-અવળો ન કહેવો. ‘વહોરાવતાં આવડતું ન હોય તો આગળ શા માટે આવો છો, આજે સવારે જ કાપ કાઢ્યો છે, એક વારના કાપમાં એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે'... આ બધું ભાષણ કરવા ન બેસવું. માથું દુર્વાસાજેવું હોય તેવાએ ગોચરી ન જવું. દાતા પાત્ર-દોરા બગાડે, ઝોળી-પડલાં બગાડે કે કપડો-કામળી બગાડે, આપણે મોઢું ન બગાડવું, માથું ન ગુમાવવું. ગોચરી જનારા ઠંડા મગજવાળા જોઇએ. અશુદ્ધ આહારાદિ વહોરાવે કે અશુદ્ધ રીતે વહોરાવે ત્યારે સાધુભગવન્ત શું કરે તે જણાવતાં માત્ર એક જ પદ જણાવ્યું છે કે ‘િિતઅં પડિઆઇખે, ન મે કપ્પઇ તારિસં.’ આ વસ્તુ જેને યાદ હોય તે ગૃહસ્થના ઘરમાં આડુંઅવળું બોલે જ નહિ. ગવેષણા અને ગ્રહણૈષણામાં બેંતાલીસ દોષ સમાય છે. સોળ ઉદ્ગમના એટલે કે પિંડની ઉત્પત્તિ સંબંધી દોષ ગૃહસ્થ થકી લાગે છે અને સોળ ઉત્પાદન દોષ સાધુ થકી લાગે છે. આ બત્રીસ દોષોનો સમાવેશ ગવેષણામાં થાય છે. અને દસ એષણાના દોષો કે જે સાધુ અને ગૃહસ્થ ઉભય થકી જે લાગે છે તેનો સમાવેશ ગ્રહણૈષણામાં થાય છે. આ રીતે નિર્દોષ શોધીને દોષરહિતપણે ગ્રહણ કર્યા પછી પણ ગ્રાસૈષણા સાચવવામાં ન આવે તો દાટ વળી જાય. નિર્દોષ આહાર લીધા પછી વાપરતી વખતે દાતાનાં, ગામનાં, ઘરનાં કે પોતાના પુણ્યનાં વખાણ સાધુ ન કરે. ગ્રાસૈષણાના પાંચ દોષોને માંડલીના પાંચ દોષ કહેવાય છે. રસની લાલચે આહારાદિની સંયોજના કરવી, પ્રમાણથી અધિક આહાર લેવો, ઇષ્ટ આહાર કે તેના દાતાનાં વખાણ કરવા, અનિષ્ટ આહાર કે તેના દાતાની નિંદા કરવી તેમ જ નિષ્કારણ આહાર લેવો : આ પાંચ દોષ માંડલીના છે. ક્ષુધાવેદના શમાવવા, ન : (૬૮)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy