SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં શિષ્ય શંકા કરે છે કે પોતાના માટે બનાવેલું ન હોય તેવું જ ગ્રહણ કરવાનું હોય તો એવાં અશન-પાનાદિ પ્રાપ્ત થવાં શક્ય નથી. કારણ કે સામાન્યથી દાતા પુણ્યના અર્થી હોવાથી તેઓ તે તે સાધુઓને ઉદ્દેશીને અન્નાનાદિ બનાવ્યા વિના રહેતા નથી. તેથી ભ્રમરના જેવી ભિક્ષાવૃત્તિ પણ શક્ય નથી. આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ગૃહસ્થમાત્ર સાધુઓને ઉદ્દેશીને રાંધવા વગેરેની પ્રવૃત્તિ કરે છે – એ વાત સાચી નથી. જ્યાં સાધુભગવન્તો ભિક્ષા માટે જતા જ નથી એ સમયે અને એ સ્થાને પણ ગૃહસ્થો રાંધવા વગેરેની પ્રવૃત્તિ કરે છે. તેથી સાધુભગવન્તોને નિર્દોષ આહારાદિની પ્રાપ્તિ દુર્લભ નથી, અશક્ય પણ નથી. સાધુભગવન્ત જે આહાર ગ્રહણ કરે તે નવકોટીથી શુદ્ધ હોવો જોઈએ. હનન, પચન અને ક્રયણ : આ ત્રણ કોટિ અને કરેલું, કરાવેલું કે અનુમોદેલું આ ત્રણ કોટિ : એમ ત્રણ પ્રકારે ત્રણ કોટિથી શુદ્ધ અશનાદિ નવ કોટિથી શુદ્ધ કહેવાય છે. સાધુ માટે ઝાડ ઉપરથી તોડેલું હોય કે કાપેલું-સમારેલું હોય તે હનન-દોષયુક્ત આહાર કહેવાય. સાધુ માટે રાંધેલું હોય તે પચનદોષયુક્ત આહાર કહેવાય અને સાધુના નિમિત્તે ખરીદેલું હોય તે ક્રોણ દોષથી યુક્ત આહાર કહેવાય છે. આ પ્રત્યેકના કરણ, કરાવણ અને અનુમોદનરૂપ ત્રણ ભેદ ગણતાં નવ ભેદ થાય છે. સ. સાધુભગવન્તને અનુમોદનાનું પાપ કઈ રીતે લાગે ? ભક્ત વગેરે એની મેળે દોષિત આહાર વહોરાવે ત્યારે “આ શ્રાવક વિવેકી છે, આપણે કહેવું ન પડે, તેની મેળે જ બધું બરાબર ધ્યાન રાખે છે.' ઇત્યાદિ કહેવું તેનું નામ અનુમોદના. એવા વખતે તો લાલ આંખ કરીને કહેવું જોઈએ કે અમારા માટે આરંભસમારંભ કરો તો તે અશનાદિ અમને ન ખપે. સ. સાધુથી આટલા કડક થવાય ? શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે સાધુભગવન્ત જે મકાનમાં ઊતર્યા હોય . ત્યાંનો ગૃહપતિ, સાધુ માટે બનાવવાનો આદેશ આપે અથવા તો સાધુ માટે ગૃહસ્થની સ્ત્રીઓ રાંધે છે એવી વાતચીત સાંભળવાથી સાધુને ખબર પડે તો સાધુભગવન્ત દાતાને ત્યાં જઈને કહી આવે કે તમે અમારા માટે રાંધો એ અમને ન કહ્યું. છતાં તમે રાંધશો તો અમે નહિ લઈ જઈએ.... આ બધું જ સાધુ-સાધ્વી ભણેલાં તો છે છતાં આહાર અને ભગત પ્રત્યેના મમત્વના કારણે આ અનુમોદનાનું પાપ પેસવા માંડ્યું છે, વધવા માંડ્યું છે. દોષોને ટાળવા માટે મમત્વ ટાળવું પડશે અને સુખનો રાગ (૬૭)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy